પ્રાણી સંગ્રહાલયથી રાતોરાત ક્યાં ગાયબ થઈ ગયા 321 પ્રાણી? ગરબડી બાદ ડિરેક્ટરની બદલી

પશ્ચિમ બંગાળ વન વિભાગને કોલકાતા પ્રાણી સંગ્રહાલયની વાર્ષિક યાદીમાં કથિત વિસંગતતાનો તપાસ રિપોર્ટ મળ્યો છે અને વિભાગ તારણોનું વિશ્લેષણ કરી રહ્યો છે. આ યાદીમાં નોંધાયેલા પ્રાણીઓની સંખ્યા 672ની જગ્યાએ 321 હતી. તેનાથી સવાલ ઊભા થાય છે કે બાકીના પ્રાણીઓ ક્યાં ગયા? એક વરિષ્ઠ અધિકારીએ બુધવારે આ માહિતી આપી હતી. મામલો સામે આવ્યા બાદ અન્ય ઘટનાક્રમમાં, પ્રાણી સંગ્રહાલયના ડિરેક્ટર અરુણ મુખર્જીની દાર્જિલિંગ હિલ્સ સ્થિત પદ્મજા નાયડુ હિમાલયન ઝૂ લોજિકલ પાર્કમાં બદલી કરી દેવામાં આવી છે. જોકે, અધિકારીઓએ દાવો કર્યો કે- આ બદલી નિયમિત હતી.

alipore-zoological-garden2
getbengal.com

તમને જણાવી દઈએ કે, ગયા મહિને વન વિભાગે  વર્ષ 2023-24 અને 2024-25 દરમિયાન કોલકાતાના 149 વર્ષ જૂના અલીપુર ઝૂ લોજિકલ ગાર્ડનની પ્રાણીઓની યાદીના રિપોર્ટમાં એક મોટી વિસંગતતા અંગે મીડિયા રિપોર્ટ્સની તપાસનો આદેશ આપ્યો હતો. મુખ્ય વન્યજીવન વોર્ડન એસ. સુંદરિયાલે એજન્સીને જણાવ્યું હતું કે, ‘અમને રિપોર્ટ મળી ગયો છે, જેનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. અમે તમને યોગ્ય સમયે તારણો બાબતે જાણ કરીશું. આ એક સત્તાવાર પ્રક્રિયા છે. અમે પારદર્શિતા જાળવી રહ્યા છીએ.

તેમણે જણાવ્યું હતું કે, ટમુખર્જીની બદલી 1 ઓગસ્ટના રોજ રાજ્ય વન વિભાગના આદેશ બાદ કોલકાતાથી દાર્જિલિંગ કરવામાં આવી હતી. કોલકાતા પ્રાણી સંગ્રહાલયમાં 2023-24ના અંતિમ સ્ટોકમાં 672 પ્રાણીઓ નોંધાયેલા હતા, જ્યારે 2024-25ના શરૂઆતી સ્ટોકમાં માત્ર 321 પ્રાણીઓ હતા. આ  પ્રકારે 321 પ્રાણી રાતોરાત ગાયબ થઈ ગયા. આ ઘટના બાદ ગયા અઠવાડિયે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી (CZA)ની એક ટીમે પણ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી.

alipore-zoological-garden
getbengal.com

જ્યારે સુંદરિયાલને પૂછવામાં આવ્યું કે, શું મુખર્જીની બદલી પ્રાણીઓની વાર્ષિક યાદીમાં વિસંગતતા સાથે જોડાયેલી છે, ત્યારે તેમણે કહ્યું કે, ‘તેમના સિવાય ઘણા અન્ય IFS અધિકારીઓની નિયમિત ફેરબદલના ભાગ રૂપે બદલી કરવામાં આવી હતી. તેનાથી વધુ કંઈ નહીં કહી શકાય. વરિષ્ઠ IFS અધિકારી તૃપ્તિ સાહે મુખર્જીની જગ્યાએ અલીપુર પ્રાણી સંગ્રહાલયના નવા પૂર્ણ-કાલિન ડિરેક્ટરનો કાર્યભાર સાંભળી લીધો છે.

About The Author

Related Posts

Top News

'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

વંદે માતરમના 150 વર્ષ પૂરા થવાના પ્રસંગે સંસદભવનમાં ચર્ચા થઈ રહી છે, ત્યારે સૌ કોઈ તેમના ઈતિહાસ વિશે જાણવા ઈચ્છતા...
National 
'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

કાનપુરના રૂ. 1,500 કરોડના કાનપુર છેતરપિંડીના કેસમાં અભિનેતા સોનુ સૂદ અને કુસ્તીબાજ ધ ગ્રેટ ખલીનું નામ માસ્ટરમાઇન્ડ રવિન્દ્રનાથ સોનીના છેતરપિંડીના...
National 
સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત રાઈડ્સમાં ફરી એકવાર ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે, જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા...
Gujarat 
રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...

વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વડનગરમાં યોજાયેલી જાહેર સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર...
Gujarat 
જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...
Copyright (c) Khabarchhe All Rights Reserved.