પ્રાણી સંગ્રહાલયથી રાતોરાત ક્યાં ગાયબ થઈ ગયા 321 પ્રાણી? ગરબડી બાદ ડિરેક્ટરની બદલી

પશ્ચિમ બંગાળ વન વિભાગને કોલકાતા પ્રાણી સંગ્રહાલયની વાર્ષિક યાદીમાં કથિત વિસંગતતાનો તપાસ રિપોર્ટ મળ્યો છે અને વિભાગ તારણોનું વિશ્લેષણ કરી રહ્યો છે. આ યાદીમાં નોંધાયેલા પ્રાણીઓની સંખ્યા 672ની જગ્યાએ 321 હતી. તેનાથી સવાલ ઊભા થાય છે કે બાકીના પ્રાણીઓ ક્યાં ગયા? એક વરિષ્ઠ અધિકારીએ બુધવારે આ માહિતી આપી હતી. મામલો સામે આવ્યા બાદ અન્ય ઘટનાક્રમમાં, પ્રાણી સંગ્રહાલયના ડિરેક્ટર અરુણ મુખર્જીની દાર્જિલિંગ હિલ્સ સ્થિત પદ્મજા નાયડુ હિમાલયન ઝૂ લોજિકલ પાર્કમાં બદલી કરી દેવામાં આવી છે. જોકે, અધિકારીઓએ દાવો કર્યો કે- આ બદલી નિયમિત હતી.

alipore-zoological-garden2
getbengal.com

તમને જણાવી દઈએ કે, ગયા મહિને વન વિભાગે  વર્ષ 2023-24 અને 2024-25 દરમિયાન કોલકાતાના 149 વર્ષ જૂના અલીપુર ઝૂ લોજિકલ ગાર્ડનની પ્રાણીઓની યાદીના રિપોર્ટમાં એક મોટી વિસંગતતા અંગે મીડિયા રિપોર્ટ્સની તપાસનો આદેશ આપ્યો હતો. મુખ્ય વન્યજીવન વોર્ડન એસ. સુંદરિયાલે એજન્સીને જણાવ્યું હતું કે, ‘અમને રિપોર્ટ મળી ગયો છે, જેનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. અમે તમને યોગ્ય સમયે તારણો બાબતે જાણ કરીશું. આ એક સત્તાવાર પ્રક્રિયા છે. અમે પારદર્શિતા જાળવી રહ્યા છીએ.

તેમણે જણાવ્યું હતું કે, ટમુખર્જીની બદલી 1 ઓગસ્ટના રોજ રાજ્ય વન વિભાગના આદેશ બાદ કોલકાતાથી દાર્જિલિંગ કરવામાં આવી હતી. કોલકાતા પ્રાણી સંગ્રહાલયમાં 2023-24ના અંતિમ સ્ટોકમાં 672 પ્રાણીઓ નોંધાયેલા હતા, જ્યારે 2024-25ના શરૂઆતી સ્ટોકમાં માત્ર 321 પ્રાણીઓ હતા. આ  પ્રકારે 321 પ્રાણી રાતોરાત ગાયબ થઈ ગયા. આ ઘટના બાદ ગયા અઠવાડિયે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી (CZA)ની એક ટીમે પણ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી.

alipore-zoological-garden
getbengal.com

જ્યારે સુંદરિયાલને પૂછવામાં આવ્યું કે, શું મુખર્જીની બદલી પ્રાણીઓની વાર્ષિક યાદીમાં વિસંગતતા સાથે જોડાયેલી છે, ત્યારે તેમણે કહ્યું કે, ‘તેમના સિવાય ઘણા અન્ય IFS અધિકારીઓની નિયમિત ફેરબદલના ભાગ રૂપે બદલી કરવામાં આવી હતી. તેનાથી વધુ કંઈ નહીં કહી શકાય. વરિષ્ઠ IFS અધિકારી તૃપ્તિ સાહે મુખર્જીની જગ્યાએ અલીપુર પ્રાણી સંગ્રહાલયના નવા પૂર્ણ-કાલિન ડિરેક્ટરનો કાર્યભાર સાંભળી લીધો છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.