દિલ્હીના CM રેખા ગુપ્તા કેમ કરવા લાગ્યા કેજરીવાલના વખાણ? આતિશીને આપી નાખી સલાહ

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા આમ તો આમ આદમી પાર્ટી (AAP) પર આકરા પ્રહારો કરે છે. પરંતુ સોમવારે તેમણે વિધાનસભામાં પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની એક વાત માટે પ્રશંસા કરી હતી. એટલું જ નહીં, તેમણે પૂર્વ મુખ્યમંત્રી આતિશીને સલાહ પણ આપી નાખી. તેમને કહ્યું કે, મને આતિશીજીની માટે ચિંતા થાય છે. કેજરીવાલની આટલી સાઇડ ન લેતા, ક્યાંક એવું ન થાય કે કોઈ અપ્રિય ઘટના ઘટી જાય.

મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું કે, આમ આદમી પાર્ટીમાં ભલે ગમે તેટલી ખામીઓ હોય, તેમની એક સારી વાત એ છે કે, અંતે પોતાની ભૂલો માની લે છે. કેજરીવાલજીએ પણ માની લીધું કે, હું યમુના સાફ કરી શક્યો નથી. પાણી ન આપી શક્યો. એ સારી વાત છે કે અંતમાં આવીને પોતાની ભૂલ સ્વીકારવી પણ એક સુધાર છે. આ બદલાવ જોવો જોઈએ.

દિલ્હીના મુખ્યમંત્રીએ પૂર્વ મુખ્યમંત્રી આતિશી પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે, હું માત્ર એટલું જ કહીશ કે મને આતિશી જીની ચિંતા થાય છે. તમે અરવિંદ કેજરીવાલની આટલી સાઇડ ન લો. સ્વાતિ માલીવાલની જેમ આતિશી સાથે કોઈ ઘટના ન થાય મને એ વાતની ચિંતા છે. જ્યારે સ્વાતિ માલીવાલ સાથે દુર્વ્યવહાર થઈ શકે છે, તો તમારી સાથે પણ આવું જ થઈ શકે છે. એટલે અમને ચિંતા છે. દિલ્હીના લાખો લોકો, જે હૉસ્પિટલોના ધક્કા ખાતા દુઃખી થયા છે, તેની જવાબદાર આમ આદમી પાર્ટી છે.

આતિશીએ શું કહ્યું

પૂર્વ મુખ્યમંત્રી આતિશીએ કહ્યું કે, અધ્યક્ષે મને સદનની ગરિમાને લઈને ચિઠ્ઠી લખી હતી, પરંતુ ભાજપના જ સભ્યો અહીં AAPને ગાળો આપી રહ્યા છે. મહેરોલીના ધારાસભ્યએ કહ્યું કે, આતિશી શૂર્પણખા છે. ત્યારે ગરિમાનું ધ્યાન નહોતું? દિલ્હીની જનતાએ તમને ચૂંટીને કામ કરવા માટે મોકલ્યા છે, પરંતુ માત્ર ગાળો આપવામાં આવી રહી છે. તમે આમ-તેમની વાત ન કરો, એ કહો કે કાફલો લૂંટ્યો કેવી રીતે.

પૂર્વ મુખ્યમંત્રી આતિશીએ કહ્યું કે, મેં ભાજપને CAG પ્રત્યે આટલી આસ્થા રાખતા જોઈ છે, જેટલો વિશ્વાસ રાખતા પહેલા ક્યારેય જોઈ નથી. મને ખુશી છે કે ચર્ચા થઈ રહી છે, ક્યાંક તો થઈ રહી છે. ઉત્તરાખંડમાં જ્યારે વન વિભાગના પૈસાથી આઇફોન ખરીદવામાં આવ્યા, દ્વારકા એક્સપ્રેસમાં કૌભાંડ થયું હતું, તો તેના CAG રિપોર્ટની ચર્ચા ન થઈ.

દ્વારકા એક્સપ્રેસવે પર CAG રિપોર્ટ જેવો જ સંસદના ટેબલ પર થયો, તેને બનાવનારા કરનારા અધિકારીઓની બદલી થઈ ગઈ. આયુષ્માન ભારત લાગૂ કરવાની વાત થઈ. આ હકીકતમાં ચમત્કારિક યોજના છે, જેના હેઠળ 28 હજાર દર્દીઓના મોત બાદ પણ સારવાર થઈ જાય છે.

Related Posts

Top News

અંજીર વેજ છે કે નોન વેજ? હવે પરીક્ષામાં પણ પૂછવામાં આવ્યો સવાલ, શું તમે જાણો છો જવાબ?

NEET UGની પરીક્ષા 04 મે, 2025ના રોજ બપોરે 2:00 થી 5:00 વાગ્યા વચ્ચે થઈ હતી. આ વર્ષે ...
Lifestyle  Health 
અંજીર વેજ છે કે નોન વેજ? હવે પરીક્ષામાં પણ પૂછવામાં આવ્યો સવાલ, શું તમે જાણો છો જવાબ?

હવે ક્લચ દબાવ્યા વિના ગિયર્સ બદલી શકાશે! આવી રહી છે હોન્ડાની અદ્ભુત બાઇક E-ક્લચ સાથે

જાપાની ટુ-વ્હીલર ઉત્પાદક ભારતીય બજારમાં એક એવી બાઇક લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે જે મોટરસાઇકલ સવારીની રીત બદલી નાખશે....
Tech and Auto 
હવે ક્લચ દબાવ્યા વિના ગિયર્સ બદલી શકાશે! આવી રહી છે હોન્ડાની અદ્ભુત બાઇક E-ક્લચ સાથે

શાર્ક ટેન્કમાં મળ્યું 70 લાખનું ફંડિંગ, વાર્ષિક ટર્નઓવર 12 કરોડ, છતા કેમ બંધ થઈ આ કંપની

છેલ્લા કેટલાક વર્ષોમાં શાર્ક ટેન્ક ઈન્ડિયા શોની લોકપ્રિયતા ઘણી વધી છે. આ વર્ષે પણ સીઝન 4 ઠીક ઠાક પસંદ આવી....
Business 
શાર્ક ટેન્કમાં મળ્યું 70 લાખનું ફંડિંગ, વાર્ષિક ટર્નઓવર 12 કરોડ, છતા કેમ બંધ થઈ આ કંપની

જાતિ વસ્તી ગણતરીના સરકારના નિર્ણયથી વધુ ફાયદો કોને?

દેશમાં જાતિગત વસ્તી ગણતરી કરાવવાના મોદી સરકારના નિર્ણયનું રાહુલ ગાંધીએ સ્વાગત અને સમર્થન કર્યું છે, જેમ પહેલગામ હુમલા બાદ...
National  Politics 
જાતિ વસ્તી ગણતરીના સરકારના નિર્ણયથી વધુ ફાયદો કોને?
Copyright (c) Khabarchhe All Rights Reserved.