‘અમારા કારણે નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે’, મલ્લિકાર્જુન ખડગે આવું કેમ બોલ્યા?

કોંગ્રેસ સ્થાપના દિવસના મોકા પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મુંબઇમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા કેન્દ્રની ભાજપ સરકાર પર હુમલો કર્યો હતો. તેની સાથે જ ભાજપ પર ધારાસભ્ય ચોરી કરીને સરકાર બનાવવાનો પણ આરોપ લગાવ્યો હતો. સાથે જ કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી અમારા કારણે જ વડાપ્રધાન છે.

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, દરેક જગ્યા પર વડાપ્રધાન મોદી કહેતા ફરે છે કે, સીત્તેર વર્ષોમાં કોંગ્રેસે શું કર્યું. પણ હું તેમને કહેવા માગીશ કે, કોંગ્રેસે સીત્તેર વર્ષોથી આ સુંદર લોકતંત્રને બચાવી રાખવાનું કામ કર્યું છે. જેના કારણે આજે વડાપ્રધાન હેલીકોપ્ટરમાં ફરે છે. તેમણે આગળ કહ્યું કે, જ્યારે લોકો ભૂખા મરી રહ્યા હતા ત્યારે કોંગ્રેસ હરીત ક્રાંતિ લઇને આવ્યું હતું.

તેની સાથે જ તેમણે ભાજપ પર ધારાસભ્યો ચોરી કરીને સરકાર બનાવવાનો આરોપ લગાવ્યો હતો. પોતાના ભાષણમાં ખડગેએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં જેમને જનતાનું સમર્થન ન મળ્યું, તે સરકારમાં બેઠા છે. તેમણે આગળ કહ્યું કે, ભાજપના કોઇ એથિક્સ નથી. સરકાર બનાવવા માટે તેઓ કોઇપણ હદ સુધી જઇ શકે છે.

તેની સાથે જ તેમણે ભાજપ પર નિશાનો સાધતા કહ્યું કે, પાર્ટીની પાસે ઘણું મોટું વોશીંગ મશીન છે, જે મોટામાં મોટા ડાઘને પણ સાફ કરી શકે છે. જ્યારે લોકોને આ મશીનમાં નાખવામાં આવે છે તો તેઓ સાફ થઇની નીકળે છે. લોકતંત્રને બચાવવા માટે આપણે બધાએ મળીને લડવું પડશે. કેન્દ્રમાં આ જૂઠ્ઠા લોકોની સરકાર છે.

કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે મુંબઇના સૌમ્યા ચૂનાભઠ્ઠી ગ્રાઉન્ડમાં એક જનસભાને સંબોધિત કરી હતી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના 28મી ડિસેમ્બર, 1885ના રોજ બોમ્બેમાં થઇ હતી. તેના સંસ્થાપકોમાં એઓ હ્યૂમ, દાદા ભાઇ નૌરોજી અને દિનશા વાચા શામેલ હતા અને કોંગ્રેસ પાર્ટીની અધ્યક્ષતા હાઇકોર્ટના બેરિસ્ટર વ્યોમેશ ચંદ્ર બેનર્જીએ કરી હતી. 1947માં આઝાદી મળ્યા બાદ કોંગ્રેસ પાર્ટી ભારતની એક પ્રમુખ રાજકીય પાર્ટી બની ચૂકી હતી.

થોડા સમય પહેલા જ ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપે પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવી હતી પણ હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ પાર્ટી ચૂંટણી જીતી હતી અને હિમાચલ પ્રદેશમાં સરકાર બનાવી હતી.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.