PMએ આપી દીધેલો પાકિસ્તાનને સંદેશ-લોહી અને પાણી એક સાથે નહીં વહી શકે, હવે નોટિસ

ભારતે સપ્ટેમ્બર 1960ની સિંધુ જળ સંધિની સમીક્ષા અને તેમાં સંશોધન માટે પાકિસ્તાનને નોટિસ મોકલી છે. પાકિસ્તાનને પહેલી વખત આ નોટિસ 6 દશક જૂની આ સંધિને લાગૂ કરવા સાથે જોડાયેલા વિવાદ સેટલમેન્ટ મોકેનિઝ્મના અનુપાસનને લઇને પોતાના વલણ પર અડગ રહેવાના કારણે મોકલી છે. જો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2016માં ઉરી હુમલા બાદ જ પાકિસ્તાનને સંકેત આપી દીધા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 11 દિવસ સુધી ચાલેલી સંધિ સમીક્ષા બેઠકમાં ભાગ લેનારા અધિકારીઓને કહ્યું હતું કે, ‘લોહી અને પાણી એક સાથે નહીં વહી શકે.’ ઉરી હુમલામાં ભારતના 18 સૈનિક શહીદ થયા હતા. 2 વર્ષ કરતા પણ ઓછા સમય બાદ એટલે કે મે 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાંદીપોરમાં 300 મેગાવોટ કિશનગંગા પનબિજલી પરિયોજનાનું ઉદ્દઘાટન કર્યું અને જમ્મુ-કશ્મીરના કિશ્તવાડમાં 1,000 મેગાવોટના પાકલ-દુલ પ્લાન્ટની આધારશિલા રાખી હતી.

તો બે અન્ય મોટી વીજ પરિયોજનાઓ, 1856 મેગાવોટ સાવલકોટ અને 800 મેગાવોટ બરસરને પણ સપ્ટેમ્બર 2016ની સંધિ સમીક્ષા બેઠકના તુરંત બાદ તેજીથી ટ્રેક કરવામાં આવ્યું હતું. એ સિવાય ચિનાબની બે સહાયક નદીઓ, કિશનગંગા અને મરૂસુદર પર સ્થિત પરિયોજનાઓએ સંકેત આપ્યા કે સરકાર દરેક વિકલ્પ સાથે પાકિસ્તાનને જવાબ આપવા તૈયાર હતી. પાકલ-દુલ પરિયોજના, જે એક દશકથી લટકેલી છે.

તેની શરૂઆતે સિંધુ જળ પ્રણાલી પર ઝડપથી ટ્રેક પાયાના ઢાંચા માટે મોદી સરકારના ઇરાદાઓને રેખાંકિત કર્યા, જેથી સંધિના દાયરામાં ભારતના પાણીના ઉપયોગને વધારે કરી શકાય. તેમાં સિંધુની પશ્ચિમી સહાયક નદીઓ જેમ કે ચિનાબ અને ઝેલમ સાથે સાથે વહેતી ધારાઓ પર જળવિદ્યુત પરિયોજનાઓનું નિર્માણ સામેલ છે. અમેરિકન સીનેટ કમિટી ઑન ફોરેન રિલેશન્સના 2011ના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, ભારત સિંધુથી પાકિસ્તાનના પુરવઠાને નિયંત્રિત કરવાની રીતના રૂપમાં આ પરિયોજનાઓનો ઉપયોગ કરી શકે છે, જેને તેનો કંઠ માનવામાં આવે છે.

આ પરિયોજનાઓની સંચયી પ્રભાવ ભારતના વધતા વાતાવરણમાં મહત્ત્વપૂર્ણ ક્ષણોમાં પાકિસ્તાનને પુરવઠાને સીમિત કરવા માટે જરૂરી પાણીનો ભંડાર ક્ષમતા આપી શકે છે. સ્પષ્ટ રૂપે લંબિત પનબિજલી પરિયોજનાઓ અને ભંડારણ પાયાના ઢાંચાને ગતિ આપવી ભારતની સિંધુ રણનીતિનું એક મુખ્ય ઘટક છે કેમ કે સંધિ પોતાના વર્તમાન સ્વરૂપમાં ભારતને ઘરેલુ ઉપયોગ સહિત અલગ-અલગ ઉદ્દેશ્યો માટે પશ્ચિમી નદીઓ પર 3.6 મિલિયન એકર ફૂટ (MAF) સુધી ભંડારણ ક્ષમતા બનાવવાની મંજૂરી આપે છે.

About The Author

Related Posts

Top News

અમદાવાદ ટ્રાફિક પોલીસનું X(ટ્વીટર) એકાઉન્ટ સસ્પેન્ડ: T20 વર્લ્ડ કપની પોસ્ટ બની કારણ?

અમદાવાદ શહેરની ટ્રાફિક સમસ્યાઓ અને અપડેટ્સ માટે કાર્યરત સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ @PoliceAhmedabad ને X (અગાઉનું ટ્વિટર) દ્વારા હાલ...
Gujarat 
અમદાવાદ ટ્રાફિક પોલીસનું X(ટ્વીટર) એકાઉન્ટ સસ્પેન્ડ: T20 વર્લ્ડ કપની પોસ્ટ બની કારણ?

મોનાલિસા 'લવ જેહાદ'માં ફસાઇ, મેનેજરે કરી દીધી ડીલ; દિગ્દર્શકનો દાવો

Viral Mahakumbh Girl Monalisa Marries Boyfriend Farman Khan At Kerala Temple Amid Police Protection
Entertainment 
મોનાલિસા 'લવ જેહાદ'માં ફસાઇ, મેનેજરે કરી દીધી ડીલ; દિગ્દર્શકનો દાવો

ગુજરાતના ખેડૂતો માટે જમીન માપણીની ભૂલો સુધારવા સરકારનો મોટો નિર્ણય

જો તમારી ખેતીની જમીનની માપણીમાં કોઈ ભૂલ રહી ગઈ હોય અને સરકારી કચેરીઓના ધક્કા ખાઈને તમે પરેશાન હોવ, તો...
Governance 
ગુજરાતના ખેડૂતો માટે જમીન માપણીની ભૂલો સુધારવા સરકારનો મોટો નિર્ણય

‘હું 20 વર્ષથી તેને મા*રવાનો પ્રયાસ કરી રહ્યો...’ કોણ છે કમલ સિંહ? જેણે ફારુક અબ્દુલ્લા પર ગોળી ચલાવી

જમ્મુ-કાશ્મીરમાં લગ્ન સમારોહમાં ફાયરિંગ કરવાના આરોપીનું નિવેદન સામે આવ્યું છે. આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા અને નાયબ મુખ્યમંત્રી સુરિન્દર...
Politics 
‘હું 20 વર્ષથી તેને મા*રવાનો પ્રયાસ કરી રહ્યો...’ કોણ છે કમલ સિંહ? જેણે ફારુક અબ્દુલ્લા પર ગોળી ચલાવી

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.