‘આ લોકોને બહાર કરી દેવામાં આવશે..’, વન ટાઇમ ઇલેક્શન પર ઉદ્ધવ ઠાકરેએ કેમ કહી આ વાત?

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફરી એક વખત કેન્દ્ર સરકારને ઘેરી છે. તેમણે શનિવારે એક સાથે ચૂંટણી કરાવવા પર ભાર આપવાને લઇને કેન્દ્ર સરકાર પર પ્રહારો કરતા કહ્યું હતું કે, ચૂંટણી સુધારણાની આડમાં આખરે અન્ય ધર્મના લોકોને મતદાર યાદીમાંથી બહાર કરીને મતદાન કરવામાં આવશે. આ સિવાય તેમણે શું કહ્યું ચાલો જાણીએ.

uddhav-thackeray1
deccanherald.com

 

શિવસેનાના મુખપત્ર 'સામના'ના સંપાદકીયમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભાજપ ઇચ્છે છે કે દેશમાં માત્ર એક જ પાર્ટી રહે અને 'એક પાર્ટી એક ચૂંટણી' તેમનું અંતિમ લક્ષ્ય છે. સંપાદકીયમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ઉલ્લેખ કરતા કહેવામાં આવ્યું છે કે, જે પ્રકારે અમેરિકન રાષ્ટ્રપતિ લેટિન અમેરિકનો, અશ્વેત અમેરિકનો અને પ્રવાસીઓને મતદાન કરતા રોકવા માગે છે, એજ જ રીતે ભારતમાં અન્ય ધર્મના લોકોને મતદાર યાદીમાંથી બહાર કરીને મતદાન કરવામાં આવશે અને તેને ચૂંટણી સુધારણાનું નામ આપી દેવામાં આવશે.

સંપાદકીયમાં મંગળવારે ટ્રમ્પ દ્વારા હસ્તાક્ષર કરાયેલા કાર્યકારી આદેશનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેમાં સંઘીય ચૂંટણીમાં મતદાન માટે રજિસ્ટ્રેશન હેતું નાગરિકતા સંબંધિત દસ્તાવેજી પ્રમાણને આવશ્યક બનાવવામાં આવ્યા છે અને પ્રાવધાન કરવામાં આવ્યું છે કે ચૂંટણીના દિવસ સુધીમાં બધા મતપત્રો પ્રાપ્ત થઇ જાય. શિવસેના (UBT)એ ​​કહ્યું કે, ભારત વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર છે અને અમેરિકા સૌથી મજબૂત લોકતંત્ર છે. જો કે, એ સ્પષ્ટ છે કે લોકતંત્રના મૂળ ખૂબ નબળા છે.

uddhav-thackeray
uddhav thackeray

 

આ સિવાય શિવસેના (UBT)એ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ લોકતંત્ર અને અભિવ્યક્તિની સ્વતંત્રતામાં પર વિશ્વાસ કરતા નથી. સંપાદકીયમાં ટ્રમ્પને વ્હાઇટ મોદી કરાર આપતા કહ્યું કે, આ પગલું ડેમોક્રેટિક પાર્ટીની 'વોટ બેંક' માટે મોટો ઝટકો છે કેમ કે તેનાથી લેટિન અમેરિકનો, અશ્વેત અમેરિકનો અને પ્રવાસીઓને મતદાર યાદીમાંથી બહાર કરી દેવામાં આવશે.

About The Author

Related Posts

Top News

GPSCના ઇન્ટરવ્યૂનો વિવાદ શું છે? કેમ રદ્દ કરવામાં આવ્યા? સરદારધામનું શું કનેક્શન

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)ને આમ તો વિવાદો સાથે ઘનિષ્ઠ નાતો છે. પરંતુ આ વખતે વિવાદ લેખિત પરીક્ષાના...
Education 
GPSCના ઇન્ટરવ્યૂનો વિવાદ શું છે? કેમ રદ્દ કરવામાં આવ્યા? સરદારધામનું શું કનેક્શન

25 લગ્નો કરનારી લૂંટેરી દુલ્હન પકડાઇ, આ રીતે લોકોને છેતરતી હતી

રાજસ્થાનના સવાઇ માધોપુરમાં આવેલા માનટાઉન પોલીસે 25 લગ્નો કરી ચુકેલી એક લૂંટેરી દુલ્હનને પકડી પાડી છે. એક ફરિયાદને આધારે પોલીસે...
National 
25 લગ્નો કરનારી લૂંટેરી દુલ્હન પકડાઇ, આ રીતે લોકોને છેતરતી હતી

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે નવું જ નામ ચર્ચામા, સૌરાષ્ટ્રના નેતા છે

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખના નામમાં એક નવું નામ ઉમેરાયું છે અને આ નામ રેસમાં અત્યારે સૌથી આગળ હોવાનું માનવામાં આવી...
Politics 
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે નવું જ નામ ચર્ચામા, સૌરાષ્ટ્રના નેતા છે

વર્ષમાં એક વખત ખૂલે છે આ ટ્રેનના દરવાજા, ભારતની એકમાત્ર ટ્રેન જે 15 દિવસમાં ફેરવે છે આખો દેશ

ટ્રેનમાં મુસાફરી કરવાની પોતાની એક અલગ મજા હોય છે. બારી પાસેની સીટ હોય અને ગરમાગરમ ચા, તો પછી ટ્રેનની...
Business 
વર્ષમાં એક વખત ખૂલે છે આ ટ્રેનના દરવાજા, ભારતની એકમાત્ર ટ્રેન જે 15 દિવસમાં ફેરવે છે આખો દેશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.