PM સાથે મુલાકાત પહેલા BJP નેતાઓના ફોન કેમ લઇ લેવામાં આવ્યા?

ભારતીય જનતા પાર્ટી (BJP)ની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક મંગળવારે (17 જાન્યુઆરી)ના રોજ પૂર્ણ થઈ. આ બેઠકમાં લોકસભા ચૂંટણીની રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. જો કે આ બેઠકમાં સૌથી આશ્ચર્યજનક બાબત એ હતી કે PM મોદી સાથેની બેઠક પહેલા BJP નેતાઓના ફોન લઇ લેવામાં આવ્યા હતા.

હકીકતમાં, BJP તેની સંગઠનાત્મક ચર્ચાઓની ગુપ્તતા પ્રત્યે ખૂબ જ કાળજી રાખે છે. તાજેતરમાં જ, BJPની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં હાજર રહેલા પ્રતિનિધિઓને તેમના મોબાઈલ ફોન મિટિંગ  હોલની બહાર રાખવા માટે કહી દેવામાં આવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં પાર્ટીના હૈદરાબાદ સંમેલનમાં PM નરેન્દ્ર મોદીના સંબોધનની ટૂંકી વિડિયો ક્લિપ વાયરલ થયા પછી, પાર્ટીના નેતાઓ ગોપનીયતા વિશે ખૂબ જ સાવચેત રહેતા હોય છે.

પક્ષના એક ટોચના નેતા, જેમણે શરૂઆતમાં પ્રતિનિધિઓને મીડિયા સાથે આઉટ ઓફ ટર્ન વાત કરવા સામે ચેતવણી આપી હતી, ક્લિપ લીક થવાથી નારાજ થયા હતા. જે બાદ તેમણે સૂચન કર્યું કે, મીટીંગ હોલની અંદર કોઈને પણ ફોન સાથે પ્રવેશ ન આપવો જોઈએ.

જ્યારે, દિલ્હીમાં યોજાયેલી BJPની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડાના કાર્યકાળને એક વર્ષ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે તેઓ જૂન 2024 સુધી પાર્ટીના અધ્યક્ષ રહેશે. આ સાથે જ BJPએ કારોબારી બેઠકમાં 2024ની રૂપરેખા તૈયાર કરી છે. પ્રમુખ JP નડ્ડાએ સ્પષ્ટ કર્યું છે કે, પાર્ટીએ અત્યારથી જ ચૂંટણીની તૈયારી શરૂ કરવી પડશે અને આ વર્ષે 9 રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી જીતવી પડશે.

BJPની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે 'એક ભારત શ્રેષ્ઠ ભારત'ના ઠરાવ હેઠળ તમામ રાજ્યોએ એકબીજાને સહકાર આપવો જોઈએ અને એકબીજાની ભાષા અને સંસ્કૃતિને સ્વીકારવી જોઈએ. લોકોને પાર્ટી સાથે જોડવા માટે BJP 'BJP Jodo' અભિયાન ચલાવશે. PM નરેન્દ્ર મોદીએ બેઠકમાં જણાવ્યું હતું કે, BJPના કાર્યકરોએ સમાજના તમામ વર્ગો સાથે સંવેદનશીલતા સાથે સંબંધ બાંધવો પડશે અને તે પણ માત્ર મત માટે નહીં પરંતુ દેશમાં પરિવર્તન લાવવા માટે કંઈક કરવું પડશે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.