મેઘાલયમાં ગુમ થયેલા દંપતી કેસમાં પત્ની સોનમ જ આરોપી નીકળી, પતિને જ પતાવી દીધો

ઇન્દોરના રાજા રઘુવંશી હત્યા કેસમાં મેઘાલય પોલીસને મોટી સફળતા મળી છે. મધ્યપ્રદેશના 3 હુમલાખોરોની ધરપકડ કરવામાં આવી છે. સોનમ UPના ગાઝીપુરમાં આત્મસમર્પણ કરી ચૂકી છે. પોલીસ બીજા હુમલાખોરને પકડવા માટે ઝુંબેશ ચલાવી રહી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, સોનમ માત્ર 2 કલાક પહેલા જ મળી આવી હતી. હાલમાં ગાઝીપુર પોલીસે ઇન્દોર પોલીસને જાણ કરી છે. ત્યારપછી મહિલાને પકડી લેવામાં આવી છે અને ઇન્દોર પોલીસ ગાઝીપુર પહોંચી રહી છે. સોનમે પોતે પોતાના ઘરે ફોન કરીને સમગ્ર કેસની માહિતી મેળવી હતી.

Sonam
navbharattimes.indiatimes.com

મેઘાલયના CM કોનરાડ K સંગમાએ પણ આ કેસ અંગે ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું છે કે ઇન્દોરના રાજા હત્યા કેસમાં મેઘાલય પોલીસને મોટી સફળતા મળી છે. મધ્યપ્રદેશના 3 હુમલાખોરોની ધરપકડ કરવામાં આવી છે, મહિલાએ આત્મસમર્પણ કર્યું છે અને બીજા હુમલાખોરને પકડવાની કાર્યવાહી હજુ ચાલુ છે..

આ દરમિયાન, મેઘાલયના DGP I નોંગરાંગે પણ આ કેસમાં નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ઇન્દોરના પુરુષની હત્યાના સંબંધમાં પત્ની સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. સોનમને કોઈ ઈજા થઈ નથી. તે સંપૂર્ણપણે સ્વસ્થ છે. હાલમાં, પોલીસે તેને UPના ગાઝીપુરમાં વન સ્ટોપ સેન્ટરમાં રાખી છે.

અહીં તમને જણાવી દઈએ કે, શનિવારે, એક પર્યટન ગાઈડે દાવો કર્યો હતો કે, મેઘાલયના સોહરા વિસ્તારમાંથી ગુમ થયેલા ઇન્દોરના હનીમૂન કપલ રાજા રઘુવંશી અને તેમની પત્ની સોનમ સાથે ત્રણ પુરુષો પણ હતા. એક અધિકારીએ પુષ્ટિ આપી હતી કે ગાઈડે પોલીસને આ માહિતી આપી હતી.

Sonam
aajtak.in

23 મેના રોજ આ દંપતી ગુમ થયું હતું, જ્યારે 2 જૂનના રોજ રાજાનો મૃતદેહ એક કોતરમાંથી મળી આવ્યો હતો, જ્યારે તેમની પત્નીની શોધ ચાલુ હતી. માવલખિયાતના માર્ગદર્શક આલ્બર્ટ PDએ જણાવ્યું હતું કે, તેમણે 23 મેના રોજ સવારે 10 વાગ્યાની આસપાસ નોંગરિયાતથી માવલખિયાત સુધી 3000થી વધુ પગથિયાં ચઢતા ત્રણ પુરુષ પ્રવાસીઓ સાથે આ દંપતીને જોયું હતું.

તેમણે કહ્યું કે તેમણે દંપતીને ઓળખી કાઢ્યું, કારણ કે તેઓએ તેમને નોંગરિયાત લઈ જવા માટે તેમની સેવાઓ આપવાની ઓફર કરી હતી, પરંતુ તેમણે નમ્રતાપૂર્વક ઇનકાર કર્યો હતો અને બીજા ગાઇડને રાખ્યા હતા. ચાર પુરુષો આગળ ચાલી રહ્યા હતા, જ્યારે મહિલા પાછળ હતી. ચારેય માણસો હિન્દીમાં વાત કરી રહ્યા હતા પણ મને સમજાયું નહીં કે તેઓ શું કહી રહ્યા છે, કારણ કે હું ફક્ત ખાસી અને અંગ્રેજી ભાષા જ જાણું છું.

About The Author

Related Posts

Top News

સુરત પોલીસે ત્યજી દેવાયેલી નવજાત બાળકીની છઠ્ઠી વિધિ ઉજવી; નામ રાખ્યું- ‘હસ્તી’

બાળકો ત્યજી દેવાની ઘટનાઓ ખૂબ જ ચોંકાવનારી અને  ચિંતાજનક હોય છે. અવારનવાર તમે આવી ઘટનાઓ સમાચારોમાં સાંભળી હશે અથવા થોડા...
Gujarat 
સુરત પોલીસે ત્યજી દેવાયેલી નવજાત બાળકીની છઠ્ઠી વિધિ ઉજવી; નામ રાખ્યું- ‘હસ્તી’

રસ્તા પર ખાડા હોવાની જાણ કરનારને મળશે રૂ. 5000, આ રાજ્યમાં આવી રહી છે નવી સ્કીમ

બિહારના રસ્તાઓ પર ખાડા હોવાની જાણ કરનાર કોઈપણ વ્યક્તિને 5000 રૂપિયા મળશે. આ નવી યોજના 15 ફેબ્રુઆરી બાદ લાગૂ કરવામાં...
Politics 
રસ્તા પર ખાડા હોવાની જાણ કરનારને મળશે રૂ. 5000, આ રાજ્યમાં આવી રહી છે નવી સ્કીમ

બજરંગ દળના નેતાને UP પોલીસે આખી રાત પોલીસ સ્ટેશનમાં ધાબળો ઓઢાડી ખૂબ માર્યા; મંત્રી અને ધારાસભ્યએ વિરોધ પ્રદર્શન કર્યું

ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં બજરંગ દળના જિલ્લા સંયોજકે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. વિનોદ મૌર્યનો આરોપ છે કે, પોલીસે...
National 
બજરંગ દળના નેતાને UP પોલીસે આખી રાત પોલીસ સ્ટેશનમાં ધાબળો ઓઢાડી ખૂબ માર્યા; મંત્રી અને ધારાસભ્યએ વિરોધ પ્રદર્શન કર્યું

ભાજપના MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને સિંહ કહ્યા, સભામાં હાજર BJPના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ્ધ

સામાન્ય રીતે સત્તા પક્ષ અને વિપક્ષના નેતાઓ એક-બીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવતા રહેતા હોય છે. વિપક્ષના નેતાઓ રાજયમાં બનતી કેટલીક ઘટનાઓને...
Gujarat 
ભાજપના MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને સિંહ કહ્યા, સભામાં હાજર BJPના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ્ધ
Copyright (c) Khabarchhe All Rights Reserved.