શું લાગે છે? પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે? બ્રોકરેજ હાઉસનો રિપોર્ટ જોઈ લો

દેશમાં મોંઘવારીથી પ્રજા ઘણા સમયથી પરેશાન છે, પરંતુ હવે જ્યારે 10 મહિનામાં લોકસભા અને લગભગ અડધો ડઝન રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે સરકાર અચાનક પ્રજાને રાહત આપવાના મૂડમાં આવી ગઇ છે. પ્રજાને રાહત મળે તેવા નિર્ણયો હવે લેવાના શરૂ થયા છે. રક્ષાબંધન પહેલાં જ સરકારે રાંધણ ગેસના ભાવમાં ઘટાડો કર્યો હતો. હવે લોકોના મનમાં થોડી આશા જાગી છે કે ચૂંટણી છે તો કદાચ પેટ્રોલ-ડિઝલના ભાવ પણ ઘટી શકે છે.

જો કે પેટ્રોલ-ડિઝલના ભાવને લઇને સરકારે હજુ સુધી કોઇ સંકેત આપ્યો નથી. પરંતુ સ્થાનિક બ્રોકરેજ ફર્મ JM ફાયનાન્શિયલે એવો અંદાજ લગાવ્યો છે કે દિવાળીની આજુબાજુ સરકાર પેટ્રોલના ભાવમાં 3 રૂપિયા અને ડિઝલના ભાવમાં 5 રૂપિયાના ઘટાડાની જાહેરાત કરી શકે છે. જો આવું થશે તો લોકોને મોટી રાહત મળી શકે છે.

નવેમ્બરથી ડિસેમ્બર મહિનાના સમયગાળામાં 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. એ પછી આવતા વર્ષે એટલે કે 2024માં લોકસભાની ચૂંટણી છે. એવામાં સરકારને એવી આશંકા છે કે મોંઘવારી ચૂંટણીમાં એક મોટો મુદ્દો બની શકે છે. એટલે તહેવારોના ટાંકણે પેટ્રોલ –ડિઝલના ભાવ ઘટાડીને સરકાર લોકોને ખુશ કરી શકે છે.

બ્રોકરેજ હાઉસનું કહેવું છે કે સરકાર પેટ્રોલ-ડિઝલ પર એક્સાઇઝ ડ્યૂટી અથવા વેટમાં ઘટાડો કરી શકે છે. જો કે આ ઘટાડાને કારણે સરકારી તિજોરી પર ભારણ આવી શકે છે. સરકાર પર ભારણ આવવાનું કારણ એવું છે કે છેલ્લાં 10 મહિનાથી ઇન્ટરનેશનલ લેવલે ક્રુડ ઓઇલના ભાવ તેના ઉચ્ચત્તમ સ્તર પર છે. એવું માનવામાં આવી રહ્યું છે કે વર્ષના અંત સુધી રશિયા અને સાઉદી અરબ ક્રુડ ઓઇલના ઉત્પાદનમાં કાપ મુકતા રહેશે.અત્યારે ક્રુડ ઓઇલનો ભાવ બેરલ દીઠ 90 ડોલર પર ચાલી રહ્યો છે.

ગયા સપ્તાહમાં કેન્દ્ર સરકારે 14.2 કિલો વાળા LPG સિલિન્ડરમાં 200 રૂપિયાના ઘટાડાની જાહેરાત કરી હતી. આ દરમિયાન ફુગાવો પણ સરકાર માટે માથાનો દુખાવો બનેલો છે. જુલાઇમાં રિટેલ ફુગાવાનો દર 7.44 ટકા નોંધાયો હતો. જે RBIના 4 થી 6 ટકાના દાયરાથી બહાર છે. પરંતુ જે રીતે સરકારે LPGના ભાવમાં ઘટાડો કર્યો, તે જોતા પેટ્રોલ-ડિઝલમાં ઘટાડો આવી શકે છે.

ઓગસ્ટ મહિનામાં રિટેલ ફુગાવાનો દર ઘટવાની અપેક્ષા રાખવામાં આવી છે. કારણકે, ટામેટા સહિતના શાકભાજીના ભાવો નીચે ઉતર્યા છે. અત્યારે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ લીટર દીઠ 96.72 રૂપિયા અને ડિઝળ 89.62 રૂપિયા પર છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.