‘પત્નીએ કર્યા છે 5 લગ્ન, હવે દિયરને કરી રહી છે પ્રેમ..’, સમાધાન માટે પરેશાન પતિ પહોંચ્યો પોલીસ પાસે

ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લાના રાધા નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક હેરાન કરનારો મામલો સામે આવ્યો છે. જ્યાં એક પતિએ પોતાની પત્ની પર 5 લગ્ન કરવાનો આરોપ લગાવ્યો છે. પતિનું કહેવું છે કે, પત્ની હવે પોતાના જ દિયર સાથે આડા સંબંધ બનાવીને રહે છે. હાલમાં પોલીસે ફરિયાદ નોંધીને આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી દીધી છે.

પીડિત પંકજ અગ્રહરી વ્યવસાયે શાકભાજી વિક્રેતા છે. તેણે પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ આપીને પોતાની પત્ની ગુડિયા પર આરોપ લગાવ્યો છે. પીડિતનું કહેવું છે કે ગુડિયાએ તેને અને તેના માતા-પિતાને ઘરમાંથી કાઢી મૂક્યા અને ઘણી વખત બહારના યુવકોને બોલાવીને મારામારીની ઘટનાને અંજામ આપી ચૂકી છે. ગુડિયાએ આખું ઘર પોતાના કબજામાં લઈ લીધું અને હવે તે દિયર સાથે રહે છે.

husband
aajtak.in

 

પીડિતે જણાવ્યું કે, તેના લગ્ન 16 એપ્રિલ 2024ના રોજ બાંદા જિલ્લાના મરકા પોલીસ સ્ટેશન વિસ્તારની રહેવાસી ગુડિયા સાથે થયા હતા. લગ્નના થોડા મહિના બાદ ગુડિયાનો વ્યવહાર બદલાઈ ગયો. તેણે પંકજનો બધો સામાન, ઘરેણાં અને રોકડ રકમ પોતાના પિયરમાં મોકલી દીધા. સાથે જ તે પંકજ અને તેના માતા-પિતાને ઘરમાં પ્રવેશવા દેતી નથી.

પંકજે જણાવ્યું કે, તેની પત્નીએ આ અગાઉ 4 લગ્ન કર્યા હતા, જેમાંથી 3 લગ્ન ફતેહપુરમાં થયા હતા. તે પોતે ગુડિયાનો પાંચમો પતિ છે. પંકજે પોતાની પત્ની પર લગ્નને વેપારમાં બદલવાનો આરોપ લગાવતા કહ્યું કે તે લગ્ન બાદ વસ્તુઓ હડપીને બીજા કોઈ સાથે જતી રહે છે.

woman1
hindi.news18.com

 

પોલીસને આપેલી ફરિયાદમાં પંકજે કહ્યું કે હું અત્યારે પણ અપનાવવા તૈયાર છું, પરંતુ તે મારા ભાઈ સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ ન રાખે. ત્યારે જ હું તેને મારી સાથે રાખીશ. પીડિતે પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. હાલમાં પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે.

Top News

50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

ક્રિકેટમાં ઘણીવાર એકતરફી મેચ જોવા મળે છે, પરંતુ કેટલીક મેચમાં સંઘર્ષ એટલો બધો થઇ જાય છે કે તેના પર...
Sports 
50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પુણે કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે, તેમના જીવને ગંભીર જોખમ છે. આ...
National 
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનોથી થતા એર પોલ્યુશનને રોકવા અને ફ્યુલના ભાવો ઘટાડવા માટે દુનિયાભરની સરકારો ઇથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલ પર કામ કરી...
Tech and Auto 
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે

બિહારના ભૂતપૂર્વ DyCM તેજસ્વી યાદવ છેલ્લા કેટલાક દિવસોથી ચૂંટણી પંચ પર સંપૂર્ણ પ્રહાર કરી રહ્યા છે. જ્યારથી બિહારમાં SIR પ્રક્રિયા...
National 
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.