અઠવાડિયામાં 80-90 કલાક કામ કરવું પડશે, નીતિ આયોગના પૂર્વ CEO અમિતાભ કાંત

અઠવાડિયામાં વધુ કલાક કામ કરવાને લઈને હાલના દિવસોમાં ખૂબ વિવાદ થયો છે. પહેલા ઈન્ફોસિસના કો-ફાઉન્ડર નારાયણ મૂર્તિએ 70 કલાક કામ કરવાની વાત કરી અને પછી L&Tના ચેરમેને 90 કલાકની વાત કરી હતી. હવે નીતિ આયોગના પૂર્વ CEO અમિતાભ કાંત પણ આ લિસ્ટમાં જોડાઈ ગયા છે. G-20 શેરપા કાંતે કહ્યું છે કે, ભારતીયોએ સખત મહેનત કરવી જોઈએ અને અઠવાડિયામાં 80-90 કલાક કામ કરવું જોઈએ. ભારતે 30 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવા માટે અથાક પરિશ્રમની જરૂર છે, ન કે વર્ક લાઇફ બેલેન્સ પ્રત્યે ઝનૂનની.

'બિઝનેસ સ્ટાન્ડર્ડ'ના એક કાર્યક્રમમાં બોલતા અમિતાભ કાંતે કહ્યું કે, સખત મહેનત ન કરવા બાત કરવું ફેશનેબલ બની ગયું છે. હું સખત મહેનતમાં વિશ્વાસ રાખું છું. ભારતીયોએ સખત મહેનત કરવી જોઈએ, પછી તે અઠવાડિયામાં 80 કલાક હોય કે 90 કલાક હો. જો તમારી મહત્ત્વાકાંક્ષા 4 ટ્રિલિયન ડોલરથી 30 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનવાની છે, તો તમે તેને મનોરંજનના માધ્યમથી કે કેટલાક ફિલ્મ સ્ટાર્સના વિચારોને અનુસરીને નહીં કરી શકો. તેમણે એમ પણ કહ્યું કે, લોકોએ ડેડલાઇન અગાઉ પ્રોજેક્ટ ડિલિવર કરવા માટે સખત મહેનત કરવી જોઈએ.

Amitabh-Kant1

તમને જણાવી દઈએ કે, અમિતાભ કાંત પહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લાર્સન એન્ડ ટર્બો (L&T)ના ચેરમેન S.N. સુબ્રમણ્યમના એક નિવેદને ખૂબ વિવાદ ઉભો કરી દીધો હતો. તેમણે કહ્યું હતું કે, લોકોએ અઠવાડિયામાં 90 કલાક કામ કરવું જોઈએ. રવિવારે પણ કામ પર જવું જોઈએ. તેમણે અહીં સુધી કહી દીધું કે ઘરે રહીને કેટલા સમય સુધી પોતાની પત્નીને જોયા કરશો. આ પહેલા નારાયણ મૂર્તિના આવા જ નિવેદન પર ખૂબ હોબાળો થયો હતો.

Amitabh-Kant2

કોરિયા-જાપાનનું આપ્યું ઉદાહરણ

કાર્યક્રમમાં બોલતા અમિતાભ કાંતે કોરિયા અને જાપાનના ઉદાહરણ પણ આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે, આ દેશોએ મજબૂત વર્ક એથિકની મદદથી જ આર્થિક સફળતા મેળવી છે અને ભારતે પણ આવી જ માનસિકતા વિકસિત કરવી જોઈએ. કાન્તે એ વાત પર ભાર આપ્યો કે, જો કોઇ વ્યક્તિ લાંબા સમય સુધી કામ કરે છે તો પણ કાર્ય લાઇફ બેલેન્સ હાંસલ કરી શકાય છે.

Related Posts

Top News

હીરા ઉદ્યોગમાં 8 કરોડનું ઉઠમણું પ્રી પ્લાન્ડ હતું?

સુરતના હીરાઉદ્યોગમાં 8.20 કરોડ રૂપિયાના ઉઠમણાંની ભારે ચર્ચા છે. કતાગરગામ વિસ્તારમાં આવેલી મહંત ડાયમંડ અને રશેષ જ્વેલસના 3 ભાગીદારો સામે...
Gujarat 
હીરા ઉદ્યોગમાં 8 કરોડનું ઉઠમણું પ્રી પ્લાન્ડ હતું?

સિને પ્રેમીઓને નવા સિનેમેટિક્સ એક્સપિરિયન્સ આપવા તૈયાર છે લૂપ સિનેમા

સુરત. શહેરની સિનેમાં પ્રેમી જનતા માટે હવે ફિલ્મ નિહાળવાની સાથે રીફ્રેશ થવા માટેની વધુ એક જગ્યા ઉમેરાઈ છે અને તે...
Entertainment 
સિને પ્રેમીઓને નવા સિનેમેટિક્સ એક્સપિરિયન્સ આપવા તૈયાર છે લૂપ સિનેમા

તિરંગા યાત્રાથી ઓપરેશન સિંદૂરનું ગર્વ ભાજપે લીધું પણ કોંગ્રેસ અને અન્ય પક્ષો કેમ બેઠા રહ્યા?

(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને...
Opinion 
તિરંગા યાત્રાથી ઓપરેશન સિંદૂરનું ગર્વ ભાજપે લીધું પણ કોંગ્રેસ અને અન્ય પક્ષો કેમ બેઠા રહ્યા?

શું ભાજપના દાવથી ફરી એકવાર દેશમાં મંડલ રાજનીતી શરૂ થશે?

જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. ભાજપ, જે અગાઉ મંડલ રાજનીતિનો વિરોધ કરતુ હતું તેણે...
Politics 
શું ભાજપના દાવથી ફરી એકવાર દેશમાં મંડલ રાજનીતી શરૂ થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.