સાઈ બાબા પર ટિપ્પણી કરીને ફસાયા ધીરેન્દ્ર શાસ્ત્રી,ઉદ્ધવની યુવા સેનાએ કરી ફરિયાદ

બાગેશ્વર ધામના પીઠાધિશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી વિરુદ્ધ મુંબઈ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે (UBT)ની યુવા સેના તરફથી આપવામાં આવી છે. બાગેશ્વર ધામના પીઠાધિશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ શિરડીના સાઈ બાબા વિરુદ્ધ વિવાદિત નિવેદન આપ્યું હતું, ત્યારબાદ ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેની યુવા સેનાના લોકોએ મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી છે. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પર સખત કાયદાકીય કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.

યુવા સેનાના લોકોએ કહ્યું કે, બાગેશ્વર બાબા શિરડી સાઈ બાબાના ભક્તિની ભાવનાઓ સાથે ખેલવાડ કરી રહ્યા છે. પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ થોડા દિવસ અગાઉ સાઈ બાબાને લઈને મોટું નિવેદન આપ્યું હતું. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે, સાઈબાબા સંત હોય શકે છે, ફકીર હોય શકે છે, પરંતુ ભગવાન નહીં. આપણાં ધર્મમાં શંકરાચાર્યનું સૌથી મોટું સ્થાન છે. તેમણે સાઈ બાબાને દેવતાઓનું સ્થાન આપ્યું નથી.

તેમણે વિવાદિત નિવેદન આપતા કહ્યું હતું કે, શિયાળની ચામડી પહેરીને કોઈ સિંહ બની જતું નથી. ઉલ્લેખનીય છે કે બાગેશ્વર બાબા ઉર્ફ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની કથા મધ્ય પ્રદેશના જબલપુરમાં 25 માર્ચથી 31 માર્ચ સુધી આયોજિત કરવામાં આવી હતી. આ દરમિયાન ચર્ચા કરતા તેમણે સાઈ બાબાને લઈને ઘણી વાતો કહી હતી. તેમણે કહ્યું હતું કે, શંકરાચાર્ય હિન્દુ ધર્મના પ્રધાનમંત્રી છે એટલે દરેક સનતાનીએ તેમની વાત માનવી જરૂરી છે.

એ સિવાય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું હતું કે, સાઈ બાબાને લઈને જે લોકોની આસ્થા છે, હું તેમની આસ્થાને ઠેસ પહોંચાડવા માગતો નથી, પરંતુ એ હકીકત છે કે શિયાળની ચામડી પહેરીને કોઈ સિંહ નહીં બની શકે, સંત પછી આપણાં ધર્મના હોય કે પછી તુલસી દાસ અને સૂરદાસ જ કેમ નહીં હોય, આ લોકો મહાન હોય શકે છે, યોગપુરુષ હોય શકે છે, પરંતુ કોઈ પણ ભગવાન નહીં હોય શકે.

ગત દિવસોમાં મહારાષ્ટ્રના નાગપુરવા કાર્યક્રમમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ એક વીડિયો જાહેર કર્યો હતો. તેમણે વીડિયોમાં પોતાના સમર્થકોને કહ્યું હતું કે, જ્યારથી તેમણે ઘર વાપસીનો મુદ્દો ઉઠાવ્યો, ત્યારથી ષડયંત્ર વધતા જઈ રહ્યા છે, પરંતુ પાછળ હટવાનું નથી, ખૂબ સક્રિય થવાનું છે. તેમણે નાગપુર વિષય પર વિરોધીઓ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, ત્યાં ક્યારેય બીજા ધર્મના લોકો પર સવાલ કેમ ન ઉઠાવ્યા. અમારી હનુમાનજી પ્રત્યે શ્રદ્ધા છે. અમારે વધારે સફાઇ આપવાની નથી. અમે ધર્માંતરણ રોકીશું. અમે ઘર વાપસી કરાવીશું, અમે સનાતનની વાત કરીશું. આ તો હજુ ટ્રેલર છે, હજુ મોટા મોટા પડકાર આવશે.

About The Author

Related Posts

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.