Video: વ્યક્તિ કુતરાને મારતો હતો, લોકો વીડિયો ઉતારતા હતા, તેવામાં ગાયે બદલો લીધો

એવું કહેવામાં આવે છે કે, લોકોએ કરેલા કર્મોની સજા તેમને જરૂરથી મળે છે. જ્યારે કોઈ વ્યક્તિ દ્વારા કોઇ અન્ય વ્યક્તિ પર ક્રૂરતા કરવામાં આવતી હોય છે ત્યારે લોકો એવું કહેતા હોય છે કે લોકોએ તેમના કરેલા કર્મોનો ફળ હંમેશા મળે છે. સારા કર્મો કર્યા હોય તો તેનું સારું ફળ મળે છે.જો ખરાબ કર્મો કર્યા હોય તો તેનું ફળ ખરાબ મળે છે. તમે ઘણી વખત એવું જોયું હશે કે કોઈ વ્યક્તિ દ્વારા અબોલ જીવ પર ક્રૂરતા કરવામાં આવી હોય અબોલ જીવને ક્રૂરતાથી મારવામાં આવ્યું હોય અથવા તો તેના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોય.

ત્યારે આવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં એક વ્યક્તિ એક પુત્રને મારમારી રહ્યો હતો પરંતુ આસપાસ રહેલા લોકો આ વ્યક્તિને સમજાવવાને બદલે પોતાના મોબાઈલમાં વીડિયો ઉતારી રહ્યા હતા પરંતુ એક અબોલ જીવોને બચાવવા માટે બીજું અબોલ જીવ તેની મદદે આવ્યું અને કૂતરાને માર મારનાર વ્યક્તિને અડફેટે લઇ જમીન પર પાડી દીધો.

સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થયો છે તે પોસ્ટમાં એવું જોઇ શકાય છે કે, એક વ્યક્તિ કૂતરાને મારમારી રહ્યો છે અને કૂતરો વ્યક્તિથી બચવા માટે પ્રયાસ કરી રહ્યો છે પરંતુ તે વ્યક્તિ આ કૂતરાને છોડતો નથી. ત્યારે વ્યક્તિની આસપાસ રહેલા કેટલાક લોકો આ ઘટનાનો વીડિયો ઉતારી છે પરંતુ તેઓ કૂતરાને બચાવવા માટે જતા નથી. ત્યાં થોડી વારમાં એક ગાય કૂતરાની મદદ માટે આવે છે અને તે કૂતરાને માર મારનારા વ્યક્તિને શિંગડું મારીને જમીન પર પાડી દે છે અને ત્યારબાદ કૂતરુ તરત જ ભાગી જાય છે. આ વીડિયો સુશાંત નંદ IFS દ્વારા ટ્વીટ કરવામાં આવ્યો છે અને તેની નીચે લખવામાં આવ્યું છે કર્મ.

મહત્વની વાત એ છે કે આ વીડિયો પાંચ મહિના જૂનો છે પરંતુ તે હજુ પણ ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે તો બીજી તરફ એક યુઝર્સે આ વીડિયો પર કૉમેન્ટ કરી હતી કે ગૌમાતા એ જે કર્યું તે બરાબર છે.

About The Author

Related Posts

Top News

ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા

(ઉત્કર્ષ પટેલ) સ્વભાવે સરળ અને સ્પષ્ટ વ્યક્તિત્વ ધરાવતા ડૉ. મહેન્દ્રસિંહ દેવસિંહ ચૌહાણ ગુજરાતના પ્રસિદ્ધ આંખના સર્જન છે. 24 ડિસેમ્બર 1964ના...
Opinion 
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા

TMC નેતા દીપાંકર ભટ્ટાચાર્યના નિવાસસ્થાન અને ઓફિસમાંથી રૂ. 80 લાખની રોકડ મળી; જાણો શું છે આરોપ

પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાં, TMC નેતા સાથે જોડાયેલા વિવિધ પરિસરમાંથી ₹80 લાખ રોકડ મળી આવી છે. અહેવાલો...
Politics 
TMC નેતા દીપાંકર ભટ્ટાચાર્યના નિવાસસ્થાન અને ઓફિસમાંથી રૂ. 80 લાખની રોકડ મળી; જાણો શું છે આરોપ

ધી વરાછા કો-ઓપ. બેંકને મલ્ટી સ્ટેટ શિડ્યુલ બેંકનો દરજ્જો મળ્યો

સુરતની ધી વરાછા કો-ઓપ. બેંક લિ.,“શિડયુલ્ડ બેંક” નો પ્રતિષ્ઠિત દરજ્જો પ્રાપ્ત થયો છે. અગાઉથી “મલ્ટી સ્ટેટ કો-ઓપરેટિવ બેંક”...
Gujarat 
 ધી વરાછા કો-ઓપ. બેંકને મલ્ટી સ્ટેટ શિડ્યુલ બેંકનો દરજ્જો મળ્યો

AMCના પદાધિકારીઓની વરણી, હિતેશ બારોટ અમદાવાદના નવા મેયર, ડેપ્યુટી મેયર તરીકે...

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ખાતે આજે યોજાયેલી પહેલી બોર્ડ બેઠકમાં ભાજપ હાઈકમાન્ડ દ્વારા મોકલવામાં આવેલું બંધ કવર ખોલીને આગામી...
Gujarat 
AMCના પદાધિકારીઓની વરણી, હિતેશ બારોટ અમદાવાદના નવા મેયર, ડેપ્યુટી મેયર તરીકે...
Copyright (c) Khabarchhe All Rights Reserved.