મૂડ ઓફ ધ નેશન સર્વેમાં PM પદની રેસમાં કેજરીવાલથી આગળ અભિજીત દિપકે; જાણો રાહુલ ગાંધી કયા નંબરે

ઇન્ડિયા ટૂડે-સીવોટર દ્વારા કરવામાં આવેલા 'મૂડ ઓફ ધ નેશન' (MOTN) સર્વેમાં વડાપ્રધાન પદ માટે પસંદગીના ઉમેદવાર અંગે પ્રશ્ન કરવામાં આવ્યો હતો. આ પ્રશ્નો પર લોકોએ જે જવાબ આપ્યા તે આશ્ચર્યજનક છે. જંતર-મંતર વિરોધ કરનારી 'કોકરોચ જનતા પાર્ટી'નો સંસ્થાપક અભિજીત દિપકેને પણ કેટલાક લોકોએ વડાપ્રધાન પદ માટે પસંદગીનો ઉમેદવાર ગણાવ્યો. રસપ્રદ વાત એ છે કે, તેમણે આ રેસમાં તેના 'ગુરુ' અરવિંદ કેજરીવાલને પણ પાછળ છોડી દીધા છે. CJPની સ્થાપના પહેલા, દિપકેએ કેજરીવાલની આમ આદમી પાર્ટી સાથે લાંબા સમય સુધી કામ કર્યું હતું.

MOTN સર્વેમાં 1.3% ઉત્તરદાતાઓએ અભિજીત દિપકેને ભારતના આગામી વડાપ્રધાન માટે સૌથી યોગ્ય ઉમેદવાર ગણાવ્યો છે, જ્યારે 1.2% લોકોએ કેજરીવાલને પસંદ કર્યા. હવે ભલે આ તફાવત ફક્ત 0.1 ટકા પોઈન્ટનો છે, પરંતુ તેનું ખૂબ રાજકીય મહત્ત્વ છે. ઉલ્લેખનીય છે કે, દિપકેએ 2020 થી 2023 સુધી કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટી (AAP)ની કોમ્યુનિકેશન ટીમ સાથે કામ કર્યું હતું. જ્યારે લોકોને પૂછવામાં આવ્યું કે ભારતના આગામી વડાપ્રધાન બનવા માટે સૌથી યોગ્ય વ્યક્તિ કોણ છે, ત્યારે દિપકેની લોકપ્રિયતા તેને કેજરીવાલ કરતા થોડી આગળ લઇ આવી.

abhijit-deepake1
freepressjournal.in

'મૂડ ઓફ ધ નેશન' સર્વે વર્ષમાં બે વાર હાથ ધરવામાં આવે છે; ઇન્ડિયા ટૂડે ગ્રુપ છેલ્લા બે દાયકાથી આ સર્વે કરી રહ્યું છે. ઓગસ્ટ સર્વે 2026નો સીવોટર દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં 1 જુલાઈથી 25 ઓગસ્ટ વચ્ચે 25,184 વ્યક્તિઓનો સર્વે કરવામાં આવ્યો હતો. ઓગસ્ટ 2026ના 'મૂડ ઓફ ધ નેશન'ટેના પરિણામો તૈયાર કરવા માટે, સીવોટરના નિયમિત ટ્રેકિંગના ભાગ રૂપે છેલ્લા 6 મહિનામાં લેવામાં આવેલા 91,795 ઇન્ટરવ્યૂના ડેટાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. સર્વેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટોચ પર છે, પરંતુ થોડા મહિના પહેલા જ ચર્ચામાં આવેલા અભિજીત દિપકનું આ યાદીમાં હોવું મોટી વાત માનવામાં આવી રહી છે. જો કે મુખ્ય દાવેદારોની સરખામણીમાં દિપકેનો 1.3%નો આંકડો ઘણો ઓછો હોવા છતાં, કેજરીવાલના આંકડાઓની સરખામણી કરીએ તો તેણે મોટી છલાંગ લગાવી છે.

ટોચના રેન્કિંગની દૃષ્ટિએ, વડાપ્રધાન મોદી સૌથી વધુ પસંદગીના ઉમેદવાર છે; તેમને 48.7% લોકોએ વડાપ્રધાન બનવા માટે સૌથી યોગ્ય વિકલ્પ માન્યા છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી 27.1% લોકોના સમર્થન સાથે બીજા સ્થાને છે.

abhijit-deepake
indiatoday.in

સર્વેમાં બીજું એક આશ્ચર્યજનક નામ તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજય છે; તેમને 9.2% લોકો વડાપ્રધાન પદ માટે યોગ્ય માને છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને 2% લોકોએ પસંદ કર્યા છે. ત્યારબાદ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ આવે છે, જેમને 1.7% લોકો આ ભૂમિકા માટે શ્રેષ્ઠ ઉમેદવાર માને છે. ત્યારબાદ 1.3% સાથે દિપકે બીજા ક્રમે છે, જ્યારે અરવિંદ કેજરીવાલને 1.2% લોકોએ પસંદ કર્યા છે.

સર્વેમાં એ પણ પૂછવામાં આવ્યું હતું કે વર્તમાન વિપક્ષી નેતાઓમાંથી વિપક્ષી ગઠબંધનનું નેતૃત્વ કરવા માટે કોણ સૌથી યોગ્ય છે? આ પ્રશ્નના જવાબમાં જાણવા મળ્યું કે કેજરીવાલની લોકપ્રિયતા ઘટી રહી છે, જ્યારે તમિલનાડુના મુખ્યમંત્રી વિજયે જનતા પર ખૂબ મોટી અસર નાખી છે. વિપક્ષી નેતૃત્વની પસંદ માટે રાહુલ ગાંધી 29% સમર્થન સાથે સૌથી આગળ છે. જાન્યુઆરી 2026માં આ આંકડો 286 હતો. એટલે વિપક્ષી તરીકે તેમની લોકપ્રિયતામાં વધારો થયો છે. તો, મુખ્યમંત્રી વિજય, જે અગાઉની યાદીમાં સામેલ નહોતા, તેઓ 12.2% સમર્થન સાથે આ લિસ્ટમાં આવી ગયા છે. પહેલી જ એન્ટ્રીમાં તેઓ બીજા સ્થાને પહોંચી ગયા છે. મમતા બેનર્જી આ લિસ્ટમાં 8.5% સાથે ત્રીજા ક્રમે છે, જ્યારે કેજરીવાલને 7.5% લોકોએ પસંદ કર્યા છે.

About The Author

Related Posts

Top News

CM વિજય અચાનક સેન્ટ્રલ જેલની મુલાકાતે, કેદીઓ સાથે કરી સીધી વાતચીત

તમિળનાડુના CM સી. જોસેફ વિજયે શુક્રવારે પુઝલ સેન્ટ્રલ જેલની અચાનક મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન તેમણે જેલમાં...
National 
CM વિજય અચાનક સેન્ટ્રલ જેલની મુલાકાતે, કેદીઓ સાથે કરી સીધી વાતચીત

મૂડ ઓફ ધ નેશન સર્વેમાં PM પદની રેસમાં કેજરીવાલથી આગળ અભિજીત દિપકે; જાણો રાહુલ ગાંધી કયા નંબરે

ઇન્ડિયા ટૂડે-સીવોટર દ્વારા કરવામાં આવેલા 'મૂડ ઓફ ધ નેશન' (MOTN) સર્વેમાં વડાપ્રધાન પદ માટે પસંદગીના ઉમેદવાર અંગે પ્રશ્ન...
Politics 
મૂડ ઓફ ધ નેશન સર્વેમાં PM પદની રેસમાં કેજરીવાલથી આગળ અભિજીત દિપકે; જાણો રાહુલ ગાંધી કયા નંબરે

રાહુલે ઉઠાવ્યો દલિતોના અપમાનનો મુદ્દો, કહ્યું- ખડગેના મંચનું 'શુદ્ધિકરણ' કરનારાઓ સામે FIR નોંધો, આદેશ આપે PM મોદી

કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ દલિતો સામે હિંસાનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે આરોપ લગાવ્યો કે દલિતોને દરેક...
Politics 
રાહુલે ઉઠાવ્યો દલિતોના અપમાનનો મુદ્દો, કહ્યું- ખડગેના મંચનું 'શુદ્ધિકરણ' કરનારાઓ સામે FIR નોંધો, આદેશ આપે PM મોદી

કેન્સરની સારવારમાં નવા યુગની આશા

કેન્સરની સારવારમાં લાંબા સમયથી ચાલી રહેલા સંશોધનને નવી દિશા આપતી એક મહત્વપૂર્ણ સફળતા સામે આવી છે. મોડર્ના અને મર્ક દ્વારા...
Charcha Patra 
કેન્સરની સારવારમાં નવા યુગની આશા

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.