છત્રપતિ શિવાજી મહારાજની બાજુમાં મુકાયેલ PM મોદીનો ફોટો હટાવાયો, આ સરકારી કોલેજમાં બની ઘટના

MNS કાર્યકરોએ પુણેની સરકારી પોલિટેકનિક કોલેજમાં છત્રપતિ શિવાજી મહારાજ પાસે લગાવવામાં આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો હટાવી દીધો. આ ફોટો કોલેજના પ્રિન્સિપાલની કેબિનમાં મુકવામાં આવ્યો હતો. MNS નેતા અને રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરે વિદ્યાર્થીઓની ફરિયાદોના નિવારણ માટે કોલેજ પહોંચ્યા હતા. તેમણે સૌપ્રથમ નબળી ગુણવત્તાવાળા કેન્ટીન ભોજનનો મુદ્દો ઉઠાવ્યો હતો, જે વિદ્યાર્થીઓ માટે મુશ્કેલીનું કારણ હતું. એકદમ ફિલ્મી અંદાજમાં, તેમણે પ્રિન્સિપાલના ટેબલ પર હલકી ગુણવત્તાવાળા ડુંગળી અને અન્ય ખાદ્ય પદાર્થો મૂક્યા.

તેમણે હોસ્ટેલના ખોરાક અંગેના ગેરવહીવટ પર પણ સવાલ ઉઠાવ્યા. તેમણે પ્રિન્સિપાલને કડક શબ્દોમાં કહ્યું કે હોસ્ટેલની ખરાબ સ્થિતિને કારણે વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને બહાર PG (પેઇંગ ગેસ્ટ ફેસિલિટી) મા રહેવાની ફરજ પડી હતી. ઠાકરેએ શૌચાલય અને જીમની સ્થિતિ અંગે અલ્ટીમેટમ પણ આપ્યું કે આ મુદ્દાઓને તાત્કાલિક સુધારવા જોઇએ. આ વાતચીત દરમિયાન ઠાકરેની નજર પ્રિન્સિપાલના કેબિનની દિવાલ પર લાગેલ છત્રપતિ શિવાજી મહારાજના ફોટો પર પડી.

MNS-Workers1
thelallantop.com

દિવાલની એક બાજુ છત્રપતિ શિવાજી મહારાજ અને બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના ફોટા હતા, જ્યારે બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના ફોટા હતા. ઠાકરેએ છત્રપતિ શિવાજી મહારાજના ફોટાની બાજુમાં પીએમ મોદીનો ફોટો લગાવવા સામે વાંધો ઉઠાવ્યો અને તેને હટાવવાની માંગ કરી. ત્યારબાદ MNSના એક કાર્યકર્તાએ પોતે જ ત્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો હટાવી દીધો.

ઠાકરેએ કહ્યું કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી છત્રપતિ શિવાજી મહારાજ કે બાબાસાહેબ આંબેડકર સાથે કરતા નથી. સરકારી કોલેજ છે તો તેનો અર્થ એ નથી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો છત્રપતિ શિવાજી મહારાજના ફોટાની બાજુમાં લગાવવામાં આવે. તેમણે પૂછ્યું કે શું આવો કોઈ કોલેજ પ્રોટોકોલ છે? શું તેમે છત્રપતિ શિવાજી મહારાજની સરખામણી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરી રહ્યા છો? ઠાકરેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ 'મહારાજ'નું અપમાન અથવા અપમાન કરતી કોઈપણ વસ્તુ સહન કરશે નહીં.

MNS-Workers
hindustantimes.com

નોંધનીય છે કે અમિત ઠાકરે પુણેના તેમના પ્રવાસ દરમિયાન વિવિધ કોલેજોની મુલાકાત લઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી રહ્યા છે; આ અનુસંધાને તેઓ સરકારી પોલિટેકનિક કોલેજમાં ગયા હતા. અહીં, તેમણે બગડેલી ડુંગળી અને અન્ય ખાદ્ય વસ્તુઓ અંગે ન માત્ર વાંધો ઉઠાવ્યો એટલું જ નહીં, પરંતુ ભારે ગુસ્સામાં તેમણે આચાર્યના ટેબલ પર ખરાબ વસ્તુ પણ મૂકી દીધી.

સોમવારે સરકારી પોલિટેકનિક પુણે ખાતે પ્રિન્સિપાલની ઓફિસમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો કથિત રીતે હટાવી દેવાયા બાદ MNS વિદ્યાર્થી સેનાના નેતા અમિત રાજ ઠાકરે અને 20-25 અન્ય લોકો સામે FIR નોંધવામાં આવી છે.

About The Author

Top News

પાકિસ્તાને SCO સમિટના ફોટામાંથી PM નરેન્દ્ર મોદી અને ઈરાની રાષ્ટ્રપતિને દૂર કર્યાં!

પાકિસ્તાને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટના ગ્રુપ ફોટોમાંથી PM નરેન્દ્ર મોદી અને ઈરાની રાષ્ટ્રપતિના ફોટાને કાપી નાખ્યો, જેથી...
National 
પાકિસ્તાને SCO સમિટના ફોટામાંથી PM નરેન્દ્ર મોદી અને ઈરાની રાષ્ટ્રપતિને દૂર કર્યાં!

હાર્દિક પંડ્યા હવે તાલીમ દરમિયાન ઘાયલ! 177 દિવસ પહેલા રમી હતી છેલ્લી મેચ

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના પાછા ફરવાની રાહ જોઈ રહેલા ચાહકોને થોડી વધુ રાહ જોવી પડી શકે છે. હાર્દિક...
Sports 
હાર્દિક પંડ્યા હવે તાલીમ દરમિયાન ઘાયલ! 177 દિવસ પહેલા રમી હતી છેલ્લી મેચ

ઓરેકલ ફરી એકવાર નોકરીઓમાં કાપ મૂકશે; ભારતીય કર્મચારીઓ પર થશે અસર

ઓરેકલ ફરી એક વખત મોટી છટણી કરવાની તૈયારી કરી રહી છે, જેની અસર ભારત સહિત વિશ્વભરના કર્મચારીઓ પર જોવા...
Business 
ઓરેકલ ફરી એકવાર નોકરીઓમાં કાપ મૂકશે; ભારતીય કર્મચારીઓ પર થશે અસર

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 02-09-2026 દિવસ: બુધવાર મેષ: સમય સારો છે, લાંબા સમયનું રોકાણ કરી શકો છો, કાર્યક્ષેત્રમાં તમારા પ્રતિનિધિઓને તમે પહોંચી વળશો,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.