કોણ હતા ગોપીનાથ બોરદોલોઈ, જેમની મૂર્તિનું PM નરેન્દ્ર મોદીએ અનાવરણ કર્યું?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ગુવાહાટીના લોકપ્રિય ગોપીનાથ બોરદોલોઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર આસામના પ્રથમ મુખ્યમંત્રી અને ભારત રત્ન ગોપીનાથ બોરદોલોઈની ભવ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આ કાર્યક્રમને આસામ માટે ગર્વની ક્ષણ ગણાવી. ગોપીનાથ બોરદોલોઈ બાબતે બોલતા મુખ્યમંત્રીએ કહ્યું કે તેઓ એક એવા નેતા હતા, જેમની દૂરંદેશી વિચારસરણીએ વર્તમાન આસામ બનાવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

મુખ્યમંત્રી સરમાએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, ‘આજે આપણે એક મહાન નેતાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છીએ, જેમના કારણે આસામ પૂર્વી પાકિસ્તાનમાં ન ભળ્યું. જો બોરદોલોઈ ન હોત, તો આસામનો ઇતિહાસ કંઈક અલગ હોત. તેમણે જણાવ્યું કે, ‘પ્રતિષ્ઠિત શિલ્પકાર રામ સુતાર દ્વારા બનાવવામાં આવેલી આ પ્રતિમા ગુવાહાટી એરપોર્ટના પ્રવેશદ્વાર પર સ્થાપિત કરવામાં આવી છે, જે ઉત્તરપૂર્વ ભારતની ઓળખ અને ભારતની એકતાનું પ્રતિક રહેશે.

Gopinath-Bardoloi3
indiatoday.in

કોણ હતા ગોપીનાથ બોરદોલોઈ?

6 જૂન 1890ના રોજ જન્મેલા ગોપીનાથ બોરદોલોઈ માત્ર આસામના પહેલા મુખ્યમંત્રી જ નહોતા, પરંતુ ભારતના એવા થોડા નેતાઓમાંથી એક હતા જેમણે દેશના ભાગલા દરમિયાન તેમના રાજ્યને વિભાજનથી બચાવ્યું હતું. 1940ના દાયકામાં જ્યારે ગ્રુપિંગ પ્લાનહેઠળ આસામને પૂર્વી પાકિસ્તાનમાં સમાવવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું હતું, ત્યારે બોરદોલોઈની રાજકીય કુશળતા અને દૃઢ નિશ્ચયને કારણે આ યોજના નિષ્ફળ કરી દેવામાં આવી.

જિન્હાના દબાણ, બ્રિટિશ રાજકીય દાવપેચ અને મુસ્લિમ લીગની રણનીતિઓ વચ્ચે  બોરદોલોઈ ખડકની જેમ ઉભા રહ્યા. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું, ‘આસામ ભારતનો હિસ્સો છે અને રહેશે. તે જ સમયે તેમણે આસામની સ્વતંત્ર ઓળખ અકબંધ રહે તે સુનિશ્ચિત કરવા માટે ગાંધીજી અને સરદાર પટેલનો સંપર્ક કર્યો હતો. તેમના અથાક પ્રયાસોને કારણે આસામ આજે ભારતનો અભિન્ન હિસ્સો છે.

Father-Begs4
uptak.in

બોરદોલોઈનું જીવન રાજકારણથી વિપરીત સમાજ સેવા માટે સમર્પિત હતું. ડૉક્ટરના ઘરે જન્મેલા ગોપીનાથ બાળપણથી જ અન્ય લોકોને મદદ કરવાની ભાવના સાથે મોટા થયા હતા. કોલકાતા યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા દરમિયાન તેઓ બંગાળ નવજાગરણના વિચારોથી પ્રભાવિત થયા અને શિક્ષણ પૂર્ણ કર્યા બાદ કોંગ્રેસ આંદોલનમાં સામેલ થઈ ગયા. 1950માં તેમના નિધનના દાયકાઓ બાદ 1999માં ભારત સરકારે તેમને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારત રત્ન'થી નવાજ્યા હતા.

About The Author

Related Posts

Top News

AI કન્ટેન્ટમાં ફરજિયાત લખવું પડશે કે આ AI જનરેટેડ વિઝ્યુઅલ છે, સરકારનો આદેશ

સોશિયલ મીડિયા પર આજકાલ જે વીડિયો અને ફોટા જોવા મળે છે, તેના પર આંખ બંધ કરીને ભરોસો કરવો હવે...
Tech and Auto 
AI કન્ટેન્ટમાં ફરજિયાત લખવું પડશે કે આ AI જનરેટેડ વિઝ્યુઅલ છે, સરકારનો આદેશ

નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

7 ફેબ્રુઆરીએ રાજકોટમાં જાણીતા અને પ્રતિષ્ઠિત 'હેમુ ગઢવી હોલ'  ખાતે આજે રાત્રે 'હું નથુરામ ગોડસે' નામના...
Gujarat 
નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના સાબરકાંઠામાં ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય રસાયણોનો ઉપયોગ કરીને નકલી દૂધ અને છાશ બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો...
Gujarat 
દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

ભાવનગર જિલ્લાના વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણે આઠ વર્ષ પહેલાં પ્રાકૃતિક ખેતી અપનાવીને એક અલગ જ માર્ગ પસંદ કર્યો. રાસાયણિક...
Gujarat 
ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.