રસ્તા પર ખાડા હોવાની જાણ કરનારને મળશે રૂ. 5000, આ રાજ્યમાં આવી રહી છે નવી સ્કીમ

બિહારના રસ્તાઓ પર ખાડા હોવાની જાણ કરનાર કોઈપણ વ્યક્તિને 5000 રૂપિયા મળશે. આ નવી યોજના 15 ફેબ્રુઆરી બાદ લાગૂ કરવામાં આવશે. બિહાર સરકારના મંત્રી દિલીપ જાયસ્વાલે આ યોજના વિશે માહિતી આપી હતી. કિશનગંજમાં તેમણે પાંચ એક્સપ્રેસવેથી રાજ્યની તસવીર બદલવાની વાત કરી. આ દરમિયાન, તેમણે રસ્તા પર ખાડા બતાવો, પુરસ્કાર મેળવો યોજનાના ટૂંક સમયમાં લાવવાની વાત કરી હતી.

નીતિશના કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું કે બિહારમાં પાંચ એક્સપ્રેસવે બનાવવામાં આવશે, જેનાથી બિહારના કોઈપણ ખૂણેથી 5 કલાકમાં પટના પહોંચી શકાય છે. હાલના હાઇવેમાં સુધારો કરવામાં આવશે અને જિલ્લામાં હાલના રસ્તાઓને પહોળા કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવી રહ્યો છે.

Dilip Jaiswal
indiatodayne.in

દિલીપ જાયસ્વાલે જણાવ્યું હતું કે બિહારમાં રસ્તાઓનું નેટવર્ક બિછાવવામાં આવશે અને તે એક ઐતિહાસિક પગલું હશે. શનિવારે ધર્મગંજ રોડ પર જિલ્લા ભાજપ કાર્યાલયમાં પત્રકારો સાથે વાત કરતા ઉદ્યોગ અને માર્ગ બાંધકામ મંત્રી ડૉ. દિલીપ જાયસ્વાલે જણાવ્યું હતું કે બિહારમાં રસ્તાઓ પર ખાડાઓની ફરિયાદો મળી રહી છે. જાન્યુઆરીમાં માર્ગ મેન્ટેનેન્સની એક નવી નીતિ આવી રહી છે, જે 15 ફેબ્રુઆરી બાદ લાગૂ કરવામાં આવશે. ત્યારબાદ રસ્તા પરના નાના ખાડાને પણ 72 કલાકની અંદર રોડ એમ્બ્યુલન્સ દ્વારા રિપેર કરવામાં આવશે. રોડ એમ્બ્યુલન્સનો નંબર બધા ચારરસ્તાઓ પર ડિસ્પ્લે થશે. જેવો જ આ નંબર પર કૉલ આવ્યા બાદ 72 કલાકની અંદર એક પણ ખાડો નહીં મળે.

ડૉ. જાયસ્વાલે નવી નીતિ રજૂ કરવાની વાત કરી અને કહ્યું કે દેશમાં આ પહેલી નીતિ હશે. ખાડાની જાણ કરો અને 5,000 રૂપિયા મેળવો. આનાથી કોન્ટ્રાક્ટરોમાં ડર ફેલાશે અને વિભાગના એન્જિનિયરો સતર્ક રહેશે કે એક પણ ખાડો રહેશે તો મોટી કાર્યવાહી થશે. તેમણે કહ્યું કે, તાજેતરમાં જ શિવહરના એક્ઝિક્યૂટિવ એન્જિનિયરને સસ્પેન્ડ કર્યા છે. બે વધુ એક્ઝિક્યુટિવ એન્જિનિયરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જ્યારે તેઓ જમીન મહેસૂલ મંત્રી હતા, ત્યારે તેમણે 136 અધિકારીઓ સામે કાર્યવાહી કરી હતી. હું જે વિભાગમાં કામ કરું છું તેમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરું છું.

road
x.com/i/grok

દિલીપ જાયસ્વાલે ટેન્ડર પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાની પણ વાત કરી. ડૉ. જાયસ્વાલે કહ્યું કે કોન્ટ્રાક્ટરો ટેન્ડર કિંમત કરતા 35 થી 40% ઓછા ભાવે ટેન્ડર સબમિટ કરે છે. અમે આ અંગે પણ નિયમો બનાવવા જઈ રહ્યા છીએ, અને કોઈપણ કોન્ટ્રાક્ટર ટેન્ડર કિંમતના 10% કરતા ઓછા ભાવે ટેન્ડર સબમિટ નહીં કરી શકે. તેમણે કહ્યું કે આ પગલાથી ભ્રષ્ટાચાર ઘટશે, સાથે જ માર્ગનું નિર્માણ ગુણવત્તાયુક્ત થશે.

About The Author

Related Posts

Top News

હાર્વર્ડ યુનિવર્સિટીથી સંસ્કૃતમાં એવો શું લોચો લાગી ગયો કે હિન્દુ સમુદાયની માફી માંગવી પડી?

યુનાઇટેડ સ્ટેટ્સના મેસેચ્યુસેટ્સ સ્થિત કેમ્બ્રિજ સ્થિત હાર્વર્ડ યુનિવર્સિટીને એક સંસ્કૃત પોસ્ટના કારણે હિન્દૂ સમાજ સામે શરમજનક સ્થિતિમાં મૂકવું પડ્યું હતું...
Education 
હાર્વર્ડ યુનિવર્સિટીથી સંસ્કૃતમાં એવો શું લોચો લાગી ગયો કે હિન્દુ સમુદાયની માફી માંગવી પડી?

T20 વર્લ્ડ કપ વચ્ચે BCCIની મોટી જાહેરાત, ભારત આ ટીમ સામે પહેલીવાર ODI સીરિઝમાં રમશે, શેડ્યૂલ આવ્યું સામે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન એક મોટી જાહેરાત કરી છે. IPL 2026 બાદ, ભારતીય ટીમ...
Sports 
T20 વર્લ્ડ કપ વચ્ચે BCCIની મોટી જાહેરાત, ભારત આ ટીમ સામે પહેલીવાર ODI સીરિઝમાં રમશે, શેડ્યૂલ આવ્યું સામે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 04-03-2026 વાર - બુધવાર મેષ - આજે કામ કાજમાં વધારે મહેનતનો દિવસ, આવકમાં વધારો થાય, શનિદેવના દર્શન કરવાથી...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ, તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

એક તરફ, અમેરિકા ટ્રેડ વૉર અને ભારે ટેરિફ દ્વારા પોતાની અર્થવ્યવસ્થાને સમેટી રહ્યું છે, જ્યારે બીજી તરફ, ...
National 
ભારત, ઓસ્ટ્રેલિયા-કેનેડાએ બનાવ્યો નવો ટ્રાએંગલ,  તેને કેમ ગેમ-ચેન્જર કહેવામાં આવી રહ્યું છે?

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.