ટ્રૂડોએ આપ્યો મોટો ઝટકો, હવે ભારતીયોનું કેનેડામાં નોકરી કરવું થઇ જશે મુશ્કેલ

જો તમે કેનેડામાં નોકરી કરવાનું સપનું જોઇ રહ્યા છો તો તમારા માટે માઠા સમાચાર છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ ચૂંટણી અગાઉ મહત્ત્વનો નિર્ણય લીધો છે. તેમણે કેનેડામાં અસ્થાયી નોકરી કરનાર વિદેશીઓની સંખ્યા ઘટાડવાની જાહેરાત કરી છે. તેની અસર કેનેડામાં કામ કરનારા હજારો વિદેશીઓ પર પડશે, જેમાં ભારતીય પણ સામેલ છે. દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થી કેનેડા જાય છે. એવામાં અભ્યાસ સાથે અસ્થાયી નોકરીનું સપનું જોનારા ભારતીયોને આ નિર્ણયથી મોટો ઝટકો લાગ્યો છે.

જસ્ટિન ટ્રૂડોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વીટર) પર પોસ્ટ કરી કે, ‘શ્રમ બજાર બદલાઇ ગયો છે. કેનેડા ઓછા વેતનવાળા અસ્થાયી વિદેશી કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરવા જઇ રહ્યો છે. હવે સમય આવી ગયો છે કે કેનેડાના વ્યવસાયો સ્થાનિક શ્રમિક અને યુવા ઇન્વેસ્ટ કરે.’ ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં કેનેડામાં વિદેશીઓની સંખ્યા ખૂબ ઝડપથી વધી છે. તેનાથી બેરોજગારીમાં વધારો થયો છે. દેશના ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે હાલમાં જ આ તરફ ઇશારો કરતા કહ્યું હતું કે પ્રવાસન નિયમ કેનેડિયન લોકોના હિસાબે હોવા જોઇએ કેમ કે નોકરીઓ સતત ઓછી થઇ રહી છે. તેના માટે અમે જરૂરી પગલાં ઉઠાવીશું.

કઇ જગ્યાઓ પર લાગૂ થશે નિયમ?

નવા નિયમો મુજબ, ઓછા વેતનવાળી નોકરીઓ માટે પરમિટ 2 વર્ષથી ઘટાડીને માત્ર એક વર્ષ માટે જાહેર કરવામાં આવશે. એ સિવાય કૃષિ, સ્વાસ્થ્ય દેખરેખ અને નિર્માણ ક્ષેત્રોને છૂટ રહેશે. જે જગ્યાએ બેરોજગારી દર 6 ટકા કે તેનાથી વધુ છે ત્યાં ઓછા વેતનવાળા વિદેશી કર્મચારીઓને કામ નહીં આપવામાં આવે. કોઇ એક નિયોક્તા દ્વારા કામ પર રાખી શાકને અસ્થાયી વિદેશી શ્રમિકોની હિસ્સેદારી 20 ટકાથી ઘટાડીને 10 ટકા પર આવી જશે.

કોરોનાકાળ દરમિયાન શ્રમિકોની ભારે કમી દરમિયાન સરકાર દ્વારા પ્રતિબંધોમાં ઢીલ આપ્યા બાદ કેનેડામાં વિદેશી શ્રમિકોની સંખ્યામાં ઐતિહાસિક વૃદ્ધિ જોવા મળી હતી. કેટલાક કેનેડિયન વિશેષજ્ઞોનું માનવું છે કે આ પગલાંથી લોકલ લોકો અને યુવાઓમાં બેરોજગારી વધી છે. આ બધાના કારણે જસ્ટિન ટ્રૂડોએ કેનેડામાં અસ્થાયી નોકરી કરનાર વિદેશીઓની સંખ્યા ઘટાડવાની જાહેરાત કરવી પડી છે. કેનેડામાં સ્થાનિક લોકોને વધુમાં વધુ નોકરીઓ આપવાની વાત કહેવામાં આવી છે. જેથી કેનેડાના લોકોને વધુમાં વધુ નોકરીમાં ફાયદો મળી શકે.

Related Posts

Top News

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ, જાણો શું છે આખો મામલો

દાહોદ જિલ્લાના ધાનપુર અને દેવગઢ બારિયા તાલુકામાં મનરેગા યોજના હેઠળ થયેલા કરોડો રૂપિયાના કૌભાંડ મામલે રાજ્યના કૃષિ અને પંચાયત રાજ્ય...
Gujarat 
દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ, જાણો શું છે આખો મામલો

અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાને લઈ કરી આગાહી, આ તારીખે ચોમાસું બેસવાની શક્યતા

રાજ્યમાં થોડા દિવસ પહેલા કમોસમી વરસાદના રાઉન્ડ પછી વાતાવરણમાં ઠંડક છવાઈ હતી, પણ હવે ફરીથી બફારો અને ઉકળાટ સાથે ગરમીનો...
Gujarat 
 અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાને લઈ કરી આગાહી, આ તારીખે ચોમાસું બેસવાની શક્યતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.