રાહુલ અંગે કોંગ્રેસે કહ્યું-નિંદાથી તે વળી માનહાનિ થતી હશે, અમે સુપ્રીમમાં જઇશું

ગુજરાત હાઈકોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની 'મોદી સરનેમ' ટિપ્પણી પર ફોજદારી માનહાનિના કેસમાં દોષિત ઠેરવવા પર સ્ટે માંગતી અરજીને ફગાવી દીધી છે. રાહુલ ગાંધીની બે વર્ષની સજા અકબંધ રહેશે અને તેમનું સંસદ પદ પરત નહીં આવે.આ સમગ્ર મામલે કોંગ્રેસ પાર્ટી તરફથી સત્તાવાર નિવેદન સામે આવ્યું છે.

સુપ્રીમ કોર્ટના વકીલ અને કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ આ સમગ્ર મામલે રાહુલ ગાંધીનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું કે આ અપીલ 25 એપ્રિલે હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. 67 દિવસ બાદ નિર્ણય આવ્યો છે. તેમણે વ્યંગમાં કહ્યુ કે આ અનન્ય છે. સમગ્ર સમુદાય જેની કોઇ વ્યાખ્યા નથી, એમાં માનહાનિ થતી નથી. અરજદાર કેવી રીતે માનહાનિનો શિકાર બન્યા તે જાણી શકાયું નથી. આમાં કોઈ દ્વેષ ન હતો, કે કોઈ નુકસાન થયું ન હતું. રાહુલને કોઈપણ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા નથી. ભાજપના લોકોએ તેમની સામે ઘણા કેસ કરાવ્યા છે.

કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે માનહાનિના કેસનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. જનતાની દરબારમાં ભાજપની વાત રાખીશું. અગાઉ પણ કહ્યું હતું કે વેરની રાજનીતિથી લોકતંત્રનું ગળું દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, આ બધાથી રાહુલ ગાંધી ડર્યા નથી. તેઓ ભાજપના જુઠ્ઠાના પર્દાફાશ કરતા રહેશે. સિંઘવીએ કહ્યુ કે અમને વિશ્વાસ છે કે ન્યાયતંત્ર સત્યનો સાથ આપશે, અહંકારી સત્તાને અંતમાં કડક જવાબ આપશે.

અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે હાઇકોર્ટે માનહાનિને જઘન્ય અપરાધ બતાવ્યો છે, મને લાગે છે કે સુપ્રીમ કોર્ટ બધું બરાબર કરી દેશે. તેમણે કહ્યું કે, શું નિંદાથી બદનક્ષી થાય છે? આ કાયદાકીય રીતે ખોટું છે, જે અમે સુપ્રીમ કોર્ટમાં આ વાત રાખીશું. આમા પ્રધાનમંત્રીની કોઇ બદનામી થઇ નથી. તે અરજદાર ક્યાં છે? અમે ટૂંક સમયમાં સુપ્રીમ કોર્ટમાં જઈશું. રાહુલ વિરૂદ્ધ મોટા ભાગના મામલા ભાજપના કાર્યકરો દ્વારા દાખલ કરવામાં આવ્યા છે.

સુરતની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે 23 માર્ચે ગુજરાતમાં ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા 2019 કરવામાં આવેલા માનહાનિના કેસમાં IPCની કલમ 499 અને 500 (ગુનાહિત માનહાનિ) હેઠળ રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા હતા અને 2 વર્ષની સજાનો ચુકાદો આપ્યો હતો. એ પછી બીજા દિવસે ગાંધીને લોક પ્રતિનિધિત્વ અધિનિયમની જોગવાઈઓ હેઠળ સંસદના સભ્યપદેથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. રાહુલ ગાંધી કેરળના વાયનાડથી 2019માં લોકસભામાં ચૂંટાયા હતા.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.