39ની ઉંમર, 44 કરોડની ઘડિયાળો અને 18 કરોડની...., જાણો કોણ છે થાઈલેન્ડના PM, જેને કોર્ટે કર્યા બરતરફ

એક લીક થયેલો ફોન કોલ અને વડાપ્રધાનને પદ પરથી બરતરફ કરી દેવામાં આવ્યા. આ મામલો થાઇલેન્ડનો છે. થાઇલેન્ડના વડાપ્રધાન પટોંગટાર્ન શિનાવાત્રાને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. 38 વર્ષની ઉંમરમાં તેમણે ઑગસ્ટ 2024માં શપથ લીધા હતા અને થાઇલેન્ડના સૌથી યુવા વડાપ્રધાન બન્યા હતા, પરંતુ તેમને આચારસંહિતાના ઉલ્લંઘનના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. તેમના પર રાષ્ટ્રીય હિતોને અવગણીને થાઇલેન્ડની છબી ખરાબ કરવાનો આરોપ લાગ્યો છે.

paetongtarn2
bloomberg.com

પટોંગટાર્નની થાઇલેન્ડમાં રાજકીય અને આર્થિક સ્તર ખૂબ ઊંચું છે. પટોંગટાર્નના પિતા થાકસિન શિનાવાત્રા પણ થાઇલેન્ડના વડાપ્રધાન રહી ચૂક્યા છે, પરંતુ સૈન્ય તખ્તાપલટને કારણે તેમને પદ પરથી હટવું પડ્યું હતું. થાકસિનના બહેન યિંગલુક શિનાવાત્રા પણ થાઇલેન્ડના વડાપ્રધાન રહી ચૂક્યા છે. યિંગલુક ઑગસ્ટ 2011 થી મે 2014 સુધી વડાપ્રધાન પદ પર કાર્યરત હતા. યિંગલુક વિરુદ્ધ સૌપ્રથમ સંવૈધનિક નિર્ણય લેવામાં આવ્યો હતો, ત્યારબાદ સૈન્ય તખ્તાપલટ થયો હતો. તેઓ થાઇલેન્ડના પહેલા મહિલા વડાપ્રધાન હતા.

paetongtarn1
aljazeera.com

પટોંગટાર્ન શિનાવાત્રાની કુલ સંપત્તિ 3,320 કરોડ રૂપિયા છે. તેમણે રાષ્ટ્રીય ભ્રષ્ટાચાર આયોગને પોતાની સંપત્તિની વિગતો આપી હતી. તેમણે લગભગ 2,606 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. તેમાં કૌટુંબિક બિઝનેસ, રિયલ એસ્ટેટ અને અનેક પ્રકારના શેરનો સમાવેશ થાય છે. તેમની પાસે બેંક ખાતા અને રોકડમાં લગભગ 230 કરોડ રૂપિયા ઉપલબ્ધ છે. તેમની પાસે 75 મોંઘી ઘડિયાળો છે, જેની કિંમત 44 કરોડ રૂપિયા છે. સાથે જ 217 ડિઝાઇનર હેન્ડબેગ છે, જેની કિંમત 44 કરોડ રૂપિયા છે.

તેમની પાસે લંડન અને જાપાનમાં રિયલ એસ્ટેટ પ્રોપર્ટી પણ છે. સાથે જ ઘણી લક્ઝરી કાર પણ છે, પરંતુ પરંતુ સ્પષ્ટ રૂપે તેની લિસ્ટ નથી કે તેમની પાસે કઈ કઈ ગાડીઓ છે, પરંતુ સંપત્તિના વિવરણમાં લક્ઝરી ગાડીઓનો સમાવેશ થાય છે.

About The Author

Related Posts

Top News

ગુજરાતની શાળામાં એક વિદ્યાર્થિનીએ 13 વર્ષીય વિદ્યાર્થિનીને છરી મારી દીધી, 20 ટાંકા આવ્યા

તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં હચમચાવી મૂકે તેવી ગંભીર ઘટના સામે આવી છે. એક વિદ્યાર્થિનીએ પોતાની સાથે અભ્યાસ કરતી અન્ય વિદ્યાર્થિનીને...
Gujarat 
ગુજરાતની શાળામાં એક વિદ્યાર્થિનીએ 13 વર્ષીય વિદ્યાર્થિનીને છરી મારી દીધી, 20 ટાંકા આવ્યા

શું પંજાબ પોલીસે CM ભગવંત માનને બચાવવા માટે 10 લાખ રૂપિયાની લાંચ આપી હતી? 2ની ધરપકડ

પંજાબના CM ભગવંત માન સાથે સંકળાયેલા વિવાદાસ્પદ વીડિયો કેસમાં નવો વળાંક આવ્યો છે. 23 જૂનના રોજ, હરિયાણાના ગુરુગ્રામ પોલીસે ...
National 
શું પંજાબ પોલીસે CM ભગવંત માનને બચાવવા માટે 10 લાખ રૂપિયાની લાંચ આપી હતી? 2ની ધરપકડ

33 ડિગ્રી તાપમાં સિયાના પ્રેમીએ પહેરેલી હૂડી! આવી રીતે ખુલ્યું કેતન અગ્રવાલ કેસનું રહસ્ય

ગયા અઠવાડિયે, મહારાષ્ટ્રના પુણેમાં પ્રખ્યાત પર્યટન સ્થળ લોહાગઢ કિલ્લા પર 26 વર્ષીય ઉદ્યોગપતિ કેતન વિશાલ અગ્રવાલના મૃત્યુના સમાચાર આવ્યા....
National 
33 ડિગ્રી તાપમાં સિયાના પ્રેમીએ પહેરેલી હૂડી! આવી રીતે ખુલ્યું કેતન અગ્રવાલ કેસનું રહસ્ય

કોણ છે અલ્ટ્રા-ઓર્થોડોક્સ જે નેતન્યાહુની ખુરશી છીનવી લેવાના છે

ઇઝરાયેલમાં અલ્ટ્રા-ઓર્થોડોક્સ (કટ્ટરપંથી યહૂદી - જેને ત્યાં Haredi કહેવાય છે) સમુદાયની સૈન્ય ભરતીનો વિવાદ ખૂબ જૂનો અને સંવેદનશીલ છે. પરંતુ...
World 
કોણ છે અલ્ટ્રા-ઓર્થોડોક્સ જે નેતન્યાહુની ખુરશી છીનવી લેવાના છે

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.