39ની ઉંમર, 44 કરોડની ઘડિયાળો અને 18 કરોડની...., જાણો કોણ છે થાઈલેન્ડના PM, જેને કોર્ટે કર્યા બરતરફ

એક લીક થયેલો ફોન કોલ અને વડાપ્રધાનને પદ પરથી બરતરફ કરી દેવામાં આવ્યા. આ મામલો થાઇલેન્ડનો છે. થાઇલેન્ડના વડાપ્રધાન પટોંગટાર્ન શિનાવાત્રાને પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. 38 વર્ષની ઉંમરમાં તેમણે ઑગસ્ટ 2024માં શપથ લીધા હતા અને થાઇલેન્ડના સૌથી યુવા વડાપ્રધાન બન્યા હતા, પરંતુ તેમને આચારસંહિતાના ઉલ્લંઘનના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. તેમના પર રાષ્ટ્રીય હિતોને અવગણીને થાઇલેન્ડની છબી ખરાબ કરવાનો આરોપ લાગ્યો છે.

paetongtarn2
bloomberg.com

પટોંગટાર્નની થાઇલેન્ડમાં રાજકીય અને આર્થિક સ્તર ખૂબ ઊંચું છે. પટોંગટાર્નના પિતા થાકસિન શિનાવાત્રા પણ થાઇલેન્ડના વડાપ્રધાન રહી ચૂક્યા છે, પરંતુ સૈન્ય તખ્તાપલટને કારણે તેમને પદ પરથી હટવું પડ્યું હતું. થાકસિનના બહેન યિંગલુક શિનાવાત્રા પણ થાઇલેન્ડના વડાપ્રધાન રહી ચૂક્યા છે. યિંગલુક ઑગસ્ટ 2011 થી મે 2014 સુધી વડાપ્રધાન પદ પર કાર્યરત હતા. યિંગલુક વિરુદ્ધ સૌપ્રથમ સંવૈધનિક નિર્ણય લેવામાં આવ્યો હતો, ત્યારબાદ સૈન્ય તખ્તાપલટ થયો હતો. તેઓ થાઇલેન્ડના પહેલા મહિલા વડાપ્રધાન હતા.

paetongtarn1
aljazeera.com

પટોંગટાર્ન શિનાવાત્રાની કુલ સંપત્તિ 3,320 કરોડ રૂપિયા છે. તેમણે રાષ્ટ્રીય ભ્રષ્ટાચાર આયોગને પોતાની સંપત્તિની વિગતો આપી હતી. તેમણે લગભગ 2,606 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. તેમાં કૌટુંબિક બિઝનેસ, રિયલ એસ્ટેટ અને અનેક પ્રકારના શેરનો સમાવેશ થાય છે. તેમની પાસે બેંક ખાતા અને રોકડમાં લગભગ 230 કરોડ રૂપિયા ઉપલબ્ધ છે. તેમની પાસે 75 મોંઘી ઘડિયાળો છે, જેની કિંમત 44 કરોડ રૂપિયા છે. સાથે જ 217 ડિઝાઇનર હેન્ડબેગ છે, જેની કિંમત 44 કરોડ રૂપિયા છે.

તેમની પાસે લંડન અને જાપાનમાં રિયલ એસ્ટેટ પ્રોપર્ટી પણ છે. સાથે જ ઘણી લક્ઝરી કાર પણ છે, પરંતુ પરંતુ સ્પષ્ટ રૂપે તેની લિસ્ટ નથી કે તેમની પાસે કઈ કઈ ગાડીઓ છે, પરંતુ સંપત્તિના વિવરણમાં લક્ઝરી ગાડીઓનો સમાવેશ થાય છે.

About The Author

Related Posts

Top News

8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચની ખુબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. કમિશન 15 જૂન સુધીમાં તેના સૂચનો...
Business 
8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે

મૃતકોના ખાતામાં રૂ. 128 કરોડ ટ્રાન્સફર થયા...કર્ણાટકની 'ગૃહ લક્ષ્મી' યોજનામાં છેતરપિંડી

કર્ણાટક કોંગ્રેસ સરકારની મુખ્ય 'ગૃહ લક્ષ્મી' યોજના અંગે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજ્યમાં મોટી ટેકનિકલ બેદરકારીને કારણે...
National 
મૃતકોના ખાતામાં રૂ. 128 કરોડ ટ્રાન્સફર થયા...કર્ણાટકની 'ગૃહ લક્ષ્મી' યોજનામાં છેતરપિંડી

'ACPના પગારમાંથી વસૂલવામાં આવે 2 લાખ રૂપિયાનું વળતર', અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

પોલીસ કમિશનરેટ સિસ્ટમ હેઠળ શાંતિ ભંગના આરોપસર વ્યક્તિઓને અટકાયતમાં લેવાની સત્તાના કથિત દુરુપયોગ અંગે અલ્હાબાદ હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે....
National 
'ACPના પગારમાંથી વસૂલવામાં આવે 2 લાખ રૂપિયાનું વળતર', અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા

દેશના રાજકારણમમાં એક મોટા ઘટનાક્રમના સમાચાર સામે આવી રહ્યા છે. ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ નવા પ્રદેશ પ્રમુખોની જાહેરાત બાદ...
Politics 
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.