થરૂરના વખાણનો જવાબ આપવાના બહાને ગંભીરે કોના પર સાધ્યું નિશાન?

ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરના તાજેતરની ટ્વીટે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે. તેમની ટ્વીટ વાયરલ થઈ રહી છે. તેમણે આ ટ્વીટ કોંગ્રેસના સાંસદ શશિ થરૂરની પ્રશંસા કરતા જવાબ આપતા કરી હતી. કોંગ્રેસના સાંસદ નાગપુરમાં T20 મેચ અગાઉ ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરને મળ્યા હતા. ત્યારબાદ તેમણે X પર ગંભીર સાથેનો ફોટો શેર કર્યો હતો. ભારતે નાગપુરમાં રમાયેલી પ્રથમ T20 મેચમાં ન્યૂઝીલેન્ડને 48 રનથી હરાવ્યું હતું.

gambhir
newsbytesapp.com

તેમણે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી પહેલી T20 મેચના એક દિવસ અગાઉ X પર લખ્યું હતું કે, ‘નાગપુરમાં મારા જૂના મિત્ર ગૌતમ ગંભીર સાથે મારી મુલાકાત દરમિયાન ખૂલીને વાત થઈ. ભારતમાં વડાપ્રધાન બાદ સૌથી મુશ્કેલ કામ તેમનું છે. દરરોજ, લાખો લોકો તેમના પર સવાલ ઉઠાવે છે. પરંતુ તેઓ સંપૂર્ણ શાંતિ અને મજબૂતી સાથે, અડગ રહીને આગળ વધી રહ્યા છે. તેમના શાંત ઈરાદા અને સક્ષમ નેતૃત્વની પ્રશંસા થવી જોઈએ. આજથી શરૂ થનારા દરેક પડકાર માટે ખૂબ શુભેચ્છાઓ.

ગૌતમ ગંભીરે શશિ થરૂરના વખાણ પર પ્રતિક્રિયા આપતા તેમનો આભાર માન્યો. જોકે, તેમણે X પર કંઈક એવું પણ લખ્યું જેણે બધાનું ધ્યાન ખેંચ્યું. ભારતીય ટીમના હેડ કોચ ગંભીરે લખ્યું કે, ‘ડૉ. શશિ થરૂર ખૂબ ખૂબ આભાર. જ્યારે ધૂળ શાંત થઇ જશે, ત્યારે એક કોચ પાસે અનલિમિટેડ ઓથોરિટી હોવાનું સત્ય અને તર્ક આપમેળે સામે આવી જશે. ત્યાં સુધી મને એ વાત પર હસવું આવે છે કે મને પોતાના લોકો સામે ઊભો કરવામાં આવી રહ્યો છે.

ત્યારબાદ, તેમની ટ્વીટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ ગઇ. કેટલાક લોકોએ કહ્યું કે આ ટ્વીટ સિલેક્શન સમિતિના અધ્યક્ષ અજિત અગરકર માટે હતી. પરંતુ, ગૌતમ ગંભીરે તેમની ટ્વીટમાં કોઈનું નામ લીધું નથી, કે ન તો સિલેક્ટર્સ તરફ ઈશારો કર્યો હતો.

gambhir1
livemint.com

ગૌતમ ગંભીરને જુલાઈ 2024માં ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકે બનાવવામાં આવ્યા હતા. તેમની નિમણૂક બાદ, ત્રણેય ફોર્મેટમાં ઘણા ફેરફારો જોવા મળ્યા. સૂર્યકુમાર યાદવને T20I કેપ્ટન બનાવવામાં આવ્યો. રોહિત શર્મા, વિરાટ કોહલી અને આર. અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે. આ ટ્રાન્ઝિશન પીરિયડ દરમિયાન મોટા ફેરફારો જોવા મળ્યા. ઉપ-કેપ્ટન શુભમન ગિલને T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.

તાજેતરમાં જ, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 3 મેચની ODI સીરિઝ રમાઈ હતી. આ સીરિઝમાં કિવીઓએ ભારતને 2-1થી હરાવ્યું હતું. આ પહેલીવાર હતું જ્યારે ન્યૂઝીલેન્ડે ભારતીય ધરતી પર ODI સીરિઝ જીતી હતી. તો આ અગાઉ, ગંભીરના કોચિંગ હેઠળ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ અને ODI સીરિઝ હારી ચૂકી હતી. ભારતે દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે ટેસ્ટ સીરિઝ પણ ગુમાવી હતી. ગૌતમ ગંભીરના કોચિંગની એકમાત્ર સફળતા ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ટેસ્ટ સીરિઝ 2-2થી ડ્રો રહી હતી.

About The Author

Related Posts

Top News

UGCના નવા નિયમો પર બબાલ, જાણો શું છે ‘ઇક્વિટી કમિટી’ અને આ ફેરફારની જરૂર કેમ પડી?

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના નવા નિયમો પર ચાલી રહેલા હોબાળા વચ્ચે બરેલીના સિટી મેજિસ્ટ્રેટે રાજીનામું આપી દીધું હતું....
Education 
UGCના નવા નિયમો પર બબાલ, જાણો શું છે ‘ઇક્વિટી કમિટી’ અને આ ફેરફારની જરૂર કેમ પડી?

જયરાજ આહીર વિરુદ્ધ પુરાવા મળી ગયા કે પછી અંદરોઅંદર કંઈક રંધાયું? SITએ માયાભાઇના પુત્ર વિરુદ્ધ રિમાન્ડ કેમ ન માંગ્યા?

ડિસેમ્બર 2025માં કોળી બગદાણાના પૂર્વ સરપંચ અને કોળી યુવાન નવનીત બાલધિયાને માર મારવાની ઘટના સામે આવી હતી. આ મામલે લોકડાયરા...
Gujarat 
જયરાજ આહીર વિરુદ્ધ પુરાવા મળી ગયા કે પછી અંદરોઅંદર કંઈક રંધાયું? SITએ માયાભાઇના પુત્ર વિરુદ્ધ રિમાન્ડ કેમ ન માંગ્યા?

શું ગોપાલને હાથના કરેલા હૈયે વાગી રહ્યા છે?

વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂનાગઢના માળિયા હાટીનાના ગડુ ગામ ખાતે આયોજિત એક સભમાં જૂતુ ફેંકવાનો પ્રયાસ...
Gujarat 
શું ગોપાલને હાથના કરેલા હૈયે વાગી રહ્યા છે?

વાઇબ્રન્ટમાં લાખો કરોડના MoU તો થાય છે પણ રોકાણ કેટલું આવે છે?

છેલ્લાં 22 વર્ષથી ગ્લોબલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ગાંધીનગરમાં યોજાતું હતું. પરંતુ આ વખતે રાજકોટમાં યોજાયું છે અને તેને વાઇબ્રન્ટ ગુજરાત...
Business 
વાઇબ્રન્ટમાં લાખો કરોડના MoU તો થાય છે પણ રોકાણ કેટલું આવે છે?

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.