થરૂરના વખાણનો જવાબ આપવાના બહાને ગંભીરે કોના પર સાધ્યું નિશાન?

ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરના તાજેતરની ટ્વીટે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે. તેમની ટ્વીટ વાયરલ થઈ રહી છે. તેમણે આ ટ્વીટ કોંગ્રેસના સાંસદ શશિ થરૂરની પ્રશંસા કરતા જવાબ આપતા કરી હતી. કોંગ્રેસના સાંસદ નાગપુરમાં T20 મેચ અગાઉ ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરને મળ્યા હતા. ત્યારબાદ તેમણે X પર ગંભીર સાથેનો ફોટો શેર કર્યો હતો. ભારતે નાગપુરમાં રમાયેલી પ્રથમ T20 મેચમાં ન્યૂઝીલેન્ડને 48 રનથી હરાવ્યું હતું.

gambhir
newsbytesapp.com

તેમણે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી પહેલી T20 મેચના એક દિવસ અગાઉ X પર લખ્યું હતું કે, ‘નાગપુરમાં મારા જૂના મિત્ર ગૌતમ ગંભીર સાથે મારી મુલાકાત દરમિયાન ખૂલીને વાત થઈ. ભારતમાં વડાપ્રધાન બાદ સૌથી મુશ્કેલ કામ તેમનું છે. દરરોજ, લાખો લોકો તેમના પર સવાલ ઉઠાવે છે. પરંતુ તેઓ સંપૂર્ણ શાંતિ અને મજબૂતી સાથે, અડગ રહીને આગળ વધી રહ્યા છે. તેમના શાંત ઈરાદા અને સક્ષમ નેતૃત્વની પ્રશંસા થવી જોઈએ. આજથી શરૂ થનારા દરેક પડકાર માટે ખૂબ શુભેચ્છાઓ.

ગૌતમ ગંભીરે શશિ થરૂરના વખાણ પર પ્રતિક્રિયા આપતા તેમનો આભાર માન્યો. જોકે, તેમણે X પર કંઈક એવું પણ લખ્યું જેણે બધાનું ધ્યાન ખેંચ્યું. ભારતીય ટીમના હેડ કોચ ગંભીરે લખ્યું કે, ‘ડૉ. શશિ થરૂર ખૂબ ખૂબ આભાર. જ્યારે ધૂળ શાંત થઇ જશે, ત્યારે એક કોચ પાસે અનલિમિટેડ ઓથોરિટી હોવાનું સત્ય અને તર્ક આપમેળે સામે આવી જશે. ત્યાં સુધી મને એ વાત પર હસવું આવે છે કે મને પોતાના લોકો સામે ઊભો કરવામાં આવી રહ્યો છે.

ત્યારબાદ, તેમની ટ્વીટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ ગઇ. કેટલાક લોકોએ કહ્યું કે આ ટ્વીટ સિલેક્શન સમિતિના અધ્યક્ષ અજિત અગરકર માટે હતી. પરંતુ, ગૌતમ ગંભીરે તેમની ટ્વીટમાં કોઈનું નામ લીધું નથી, કે ન તો સિલેક્ટર્સ તરફ ઈશારો કર્યો હતો.

gambhir1
livemint.com

ગૌતમ ગંભીરને જુલાઈ 2024માં ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકે બનાવવામાં આવ્યા હતા. તેમની નિમણૂક બાદ, ત્રણેય ફોર્મેટમાં ઘણા ફેરફારો જોવા મળ્યા. સૂર્યકુમાર યાદવને T20I કેપ્ટન બનાવવામાં આવ્યો. રોહિત શર્મા, વિરાટ કોહલી અને આર. અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે. આ ટ્રાન્ઝિશન પીરિયડ દરમિયાન મોટા ફેરફારો જોવા મળ્યા. ઉપ-કેપ્ટન શુભમન ગિલને T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.

તાજેતરમાં જ, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 3 મેચની ODI સીરિઝ રમાઈ હતી. આ સીરિઝમાં કિવીઓએ ભારતને 2-1થી હરાવ્યું હતું. આ પહેલીવાર હતું જ્યારે ન્યૂઝીલેન્ડે ભારતીય ધરતી પર ODI સીરિઝ જીતી હતી. તો આ અગાઉ, ગંભીરના કોચિંગ હેઠળ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ અને ODI સીરિઝ હારી ચૂકી હતી. ભારતે દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે ટેસ્ટ સીરિઝ પણ ગુમાવી હતી. ગૌતમ ગંભીરના કોચિંગની એકમાત્ર સફળતા ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ટેસ્ટ સીરિઝ 2-2થી ડ્રો રહી હતી.

About The Author

Related Posts

Top News

AAP સાંસદ રાઘવ ચઢ્ઢાનો રાજ્યસભામાં સવાલ- મોબાઈલમાં 12 મહિનામાં 13 વાર રિચાર્જ કેમ કરવું પડે છે, ઇનકમિંગ કોલ્સ કેમ બંધ થાય છે?

મોબાઇલ રિચાર્જ અંગે દેશમાં એક નવો વિવાદ ઉભો થયો છે. રાજ્યસભામાં આમ આદમી પાર્ટી (AAP)ના સાંસદ રાઘવ ચઢ્ઢાએ...
Politics 
AAP સાંસદ રાઘવ ચઢ્ઢાનો રાજ્યસભામાં સવાલ- મોબાઈલમાં 12 મહિનામાં 13 વાર રિચાર્જ કેમ કરવું પડે છે, ઇનકમિંગ કોલ્સ કેમ બંધ થાય છે?

શ્રી શુક્લેશ્વર મહાદેવ મંદિર ધામ ખાતે એડવોકેટ શ્રેયસ દેસાઇ પરિવાર તરફથી ફરીથી દર્શન પથના નિર્માણ માટે 2.5 લાખનું દાન

સુરત. સુરત શહેરથી 80 કિ. મી. ના અંતરે અનાવલ ગામ સ્થિત પ્રસિદ્ધ શ્રી શુક્લેશ્વર મહાદેવ મંદિર ધામ ખાતે “શ્રીમતી ગજરાબેન...
Gujarat 
શ્રી શુક્લેશ્વર મહાદેવ મંદિર ધામ ખાતે એડવોકેટ શ્રેયસ દેસાઇ પરિવાર તરફથી ફરીથી દર્શન પથના નિર્માણ માટે 2.5 લાખનું દાન

50000થી ઓછી કિંમતમાં આ કંપનીએ લોન્ચ કર્યું Orbiter V1 ઇલેક્ટ્રિક સ્કૂટર

TVSએ તેનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે. કંપનીએ તેની કિંમત ખૂબ જ ઓછી રાખી છે. આ સ્કૂટર 50,000...
Tech and Auto 
50000થી ઓછી કિંમતમાં આ કંપનીએ લોન્ચ કર્યું Orbiter V1 ઇલેક્ટ્રિક  સ્કૂટર

હાઇવે પર 'આ રસ્તો મુસ્લિમો માટે નથી' જેવા નફરતભર્યા સૂત્રો લખવા બદલ પોલીસે મહિલાને પકડી

સહારનપુરના બિહારીગઢ પોલીસ સ્ટેશને દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસવેની દિવાલો પર 'આ રસ્તો મુસ્લિમો માટે નથી' જેવા વિવાદાસ્પદ સૂત્રો લખવા બદલ...
National 
હાઇવે પર 'આ રસ્તો મુસ્લિમો માટે નથી' જેવા નફરતભર્યા સૂત્રો લખવા બદલ પોલીસે મહિલાને પકડી

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.