આકાશ ચોપરાએ જણાવ્યું કેમ T20માં હિટ અને વન-ડેમાં ફ્લોપ છે સૂર્યકુમાર યાદવ

37 મેચ 25.77ની સામાન્ય એવરેજ અને 105.03ની સ્ટ્રાઈક રેટ, તો 54 મેચ 46.85ની શાનદાર એવરેજ અને 173.38ની શાનદાર સ્ટ્રાઈક રેટ, આ આંકડા છે સૂર્યકુમાર યાદવના વન-ડે ઇન્ટરનેશનલ ક્રિકેટ અને T20 ઇન્ટરનેશનલ ક્રિકેટના. T20 ઇન્ટરનેશનલ બેટર રેન્કિંગમાં સૂર્યકુમાર નંબર-1 પોઝિશન પર છે અને આ ફોર્મેટમાં ઉપસ્થિત સમયમાં બેસ્ટ બેટ્સમેન માનવામાં આવે છે. જો કે, સૂર્યકુમાર યાદવ વન-ડેમાં સફળ થયો નથી.

આ બેટ્સમેને જ્યાં 3 સદી અને 16 અડધી સદી T20 ઇન્ટરનેશનલમાં ઠોકી છે તો વન-ડેમાં તેના ખાતામાં માત્ર 4 અડધી સદી છે. આ ભારતીય બેટ્સમેનના વન-ડે અને T20 સ્ટેટસમાં જમીન આકાશનો ફરક છે અને ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર આકાશ ચોપડાએ સમજાવ્યું કે આખરે આ ફરક કેમ છે. ભારત વર્સિસ ઓસ્ટ્રેલિયા 5 મેચોની સીરિઝ અગાઉ T20 ઇન્ટરનેશનલ મેચમાં કેપ્ટન્સી કરી રહેલા સૂર્યકુમાયાર યાદવે 42 બૉલમાં 80 રન બનાવ્યા અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી.

આકાશ ચોપરાએ સૂર્યકુમાર યાદવને લઈને કહ્યું કે, T20માં સૂર્યકુમાર યાદવ અલગ જ પ્રકારનો ખેલાડી નજરે પડે છે. તેનો અપ્રોચ એકદમ અલગ છે, તે એકદમ અનસ્ટોપેબલ થઈ જાય છે, એમ શા માટે થાય છે? એમ એટલે થાય છે કેમ કે તેનો DNA એકદમ અલગ પ્રકારનો સેટ થઈ ચૂક્યો છે. આ ફોર્મેટને અને ફોર્મેટની જરૂરિયાતો સમજે છે અને તે T20 ઇન્ટરનેશનલ મેચની પરિસ્થિતિના હિસાબે રમે છે.

એટલું જ નહીં વિરોધી ટીમને પણ સમજમાં આવે છે એ ફિલ્ડ પ્લેસમેન્ટમાં તે નજરે પણ પડે છે. આકાશ ચોપરાએ કહ્યું કે, મારું માનવું છે કે, એ જરૂરી નથી કે કોઇ ખેલાડીઓ ત્રણેય ફોર્મેટમાં જ રમે. સૂર્યકુમાર યાદવ માત્ર T20 ક્રિકેટર બનીને રહી શકે છે. એ સારું હશે કે આગામી 6 મહિના સુધી તેને બસ T20 ક્રિકેટ પર ફોકસ કરવા માટે છોડી દેવામાં આવે. મને લાગે છે કે આપણે એક T20 રોકસ્ટારને માત્ર એટલે નહીં ગુમવવા માગીએ કે તે ત્રણેય ફોર્મેટ રમે જ.

About The Author

Related Posts

Top News

ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

ઉત્તર ગોવાના અરપોરામાં એક નાઈટક્લબમાં લાગેલી ભીષણ આગમાં 25 લોકોના મોત થયા હતા. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ...
National 
ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 3 દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને શનિવારે તેમણે બનાસ ડેરીમાં કેટલાક ઉદઘાટન પણ કર્યા....
Gujarat 
અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

જામનગરના ટાઉન હોલમાં એક સભામાં કોંગ્રેસના કાર્યકર છત્રપાલ સિંહ જાડેજાએ જૂતુ મારવાની ઘટનાને કારણે આમ આદમી પાર્ટી એકદમ જોરમાં આવી...
Politics 
શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ

બરાબર એજ સમયે ભારતના ઘણા શહેરોમાં ઇન્ડિગોની અવ્યવસ્થા અને 1000થી વધુ ફ્લાઇટ્સ રદ થવાને કારણે હાહાકાર મચી ગયો હતો,...
World 
‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.