બાબર આઝમ ઈતિહાસ ભૂલી ગયો, રોમાંચક મેચ પહેલા T20 વર્લ્ડ કપમાં હારની યાદ અપાવી

ODI વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમ સામેની મોટી મેચ પહેલા પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબર આઝમે એક એવું નિવેદન આપ્યું જેની કોઈને અપેક્ષા નહોતી. વર્લ્ડ કપમાં 0-7નો શરમજનક રેકોર્ડ ધરાવતી ટીમના કેપ્ટને T20 વર્લ્ડ કપની મેચની યાદ અપાવી છે.

બાબર આઝમે ODI વર્લ્ડ કપ 2023 અંતર્ગત ભારતીય ટીમ સામેની રોમાંચક મેચ પહેલા એક મોટું નિવેદન આપ્યું છે. આવતીકાલે 14મી ઓક્ટોબરે યોજાનારી ભારત-પાકિસ્તાન ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ મેચ પહેલા પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે T20 વર્લ્ડ કપ 2021માં જીત વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે, અમે ભારતને હરાવી શકીએ છીએ. અમે આ 2021માં કર્યું છે.

તેણે કહ્યું, મહત્વની વાત એ છે કે, અમે બેટિંગ અને બોલિંગ બંનેમાં એક ટીમ તરીકે શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકીએ છીએ. આ સ્થિતિમાં બોલરો માટે ભૂલ કરવાની સંભાવના ઓછામાં ઓછી છે. અનુભવ તમને વધુ સારી રીતે રમવામાં મદદ કરે છે..., મેચ કરતાં મેચની ટિકિટ પર વધુ દબાણ હોય છે. 2021માં અમે T20 વર્લ્ડ કપમાં ભારતને હરાવ્યું હતું. મને લાગે છે કે, અમે અહીં પણ એવું જ કરી શકીએ છીએ.

અત્યાર સુધી રમાયેલી બંને મેચમાં ખરાબ પ્રદર્શન કરનાર બાબરે કહ્યું, મેં આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી વધારે રન નથી બનાવ્યા અને મને આશા છે કે તેમાં બદલાવ આવશે. જો તમારે વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન કરવું હોય તો તમારે સારી ફિલ્ડિંગ કરાવી પડશે. અમે તેના પર કામ કરી રહ્યા છીએ. બાબર આઝમે કહ્યું, મને લાગે છે કે ભૂતકાળમાં શું થયું તે મહત્વનું નથી. અમે વર્તમાનમાં જીવવા માંગીએ છીએ. મને લાગે છે કે અમે સારું કરી શકીએ છીએ. ભારત-પાકિસ્તાન મેચ જોરદાર છે... ઘણા ચાહકો આવી રહ્યા છે.

તેણે કહ્યું, મને લાગે છે કે, અમારી પાસે ચાહકોની સામે સારું પ્રદર્શન કરવાની તક છે. અમે તે પ્રમાણે પ્લાનિંગ કરીશું, કારણ કે પ્રથમ 10 ઓવરમાં વિકેટ અલગ હોય છે અને 10 ઓવર પછી તે અલગ હોય છે. અમે નસીમ શાહને મિસ કરીશું. શાહીન અમારો શ્રેષ્ઠ બોલર છે. અમે તેનામાં વિશ્વાસ કરીએ છીએ અને તે પોતાની જાતમાં વિશ્વાસ રાખે છે..., આ મેચ અમારા માટે દબાણ બનાવનારી મેચ નથી. અમે ઘણી વખત એકબીજા સાથે રમ્યા છીએ. હૈદરાબાદમાં અમને ઘણું સમર્થન મળ્યું અને અમે અમદાવાદ માટે પણ એવી જ અપેક્ષા રાખીએ છીએ.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.