મેદાનની વચ્ચે અમ્પાયર પર બૂમો પાડી કેપ્ટન શાકિબ અલ હસને, જુઓ વીડિયો

બાંગ્લાદેશના T20 અને ટેસ્ટ ટીમના કેપ્ટન શાકિબ અલ હસન ફરીથી ચર્ચાઓમાં છે. હવે શાકિબ અલ હસન બાંગ્લાદેશ પ્રીમિયર લીગની એક મેચ દરમિયાન વાઈડ બોલ નહીં મળવા પર ગુસ્સાથી લાલ થઈ ગયો હતો અને એમ્પાયર સાથે ઘણી રકઝક કરી હતી. આ મગજમારી શાકિબની કેપ્ટન્સીમાં રમી રહેલી ફોર્ચ્યુન બારિશાલ અને ખુલાના ટાઈગર્સ વચ્ચેની શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમાયેલી મેચ દરમિયાન થઈ હતી.

ફોર્ચ્યુન બરિશાલની ઈનિંગની 16મી ઓવરમાં એમ્પાયરે રેઝાઉર રહેમાન રાઝાની બોલને વાઈડ આપી ન હતી. જમણા હાથના આ ઝડપી બોલરે ધીમી બાઉન્સર ફેંકી અને શાકિબને વિશ્વાસ હતો કે બોલ તેના માથા ઉપરથી નિકળી છે. જોકે એમ્પાયરનું આવું માનવું નહીં હતું અને આથી તેને લિગલ બોલ જાહેર કર્યો હતો. શાકિબ અલ હસન આ નિર્ણયથી હેરાન રહી ગયો હતો.

શાકિબ અલ હસને પહેલા એમ્પાયર સામે બૂમો પાડી હતી. પછી તેણે આક્રમક રીતથી એમ્પાયરની પાસે જઈને પોતાનો ગુસ્સો જાહેર કર્યો હતો. તે તો ભલુ થાય સિલહટ ટાઈગર્સના કેપ્ટન મુશ્ફિકુર રહીમનું જેણે આખા મામલામાં હસ્તક્ષેપ કર્યું અને વસ્તુને શાંત કરવાની કોશિશ કરી. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો સંપૂર્ણ વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. આખી બબાલ પછી શાકિબે બેટિંગથી પોતાનું અસલી રૂપ દેખાડ્યું હતું.

શાકિબે રાઝાની આગળની બોલને મિડ-વિ કેટ રીજનની ઉપરથી સિક્સ માર્યો હતો. આગામી ઓવરમાં શાકિબે થિસારા પરેરાની ચાર બોલ પર 18 રન બનાવીને પોતાના ફિફ્ટી પૂરા કરી લીધા હતા. શઆકિબે મેચમાં 32 બોલ પર સાત ચોગ્ગા અને ચાર સિક્સની મદદથી 67 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન મશરફે મુર્તજાએ ઈનિંગની 20મી ઓવરની પહેલી બોલ પર શકિબની વિકેટ લીધી. શાકિબે આ અર્ધશતકીય બોલિંગને બદોલત બારિશાલ ટીમ 20 ઓવરમાં 7 વિકેટ પર 194 રનનો સ્કોર બનાવવામાં સફળ રહી. જોકે શાકિબ અલ હસનની આ ઈનિંગ બેકાર ગઈ હતી કારણ કે તેની ટીમે 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.

આ પહેલી વખત નથી જ્યારે શાકિબ અલ હસનનો એમ્પાયર સાથે વિવાદ થયો હોય. વર્ષ 2021માં ઢાકા પ્રીમિયર લીગમાં એક મેચ દરમિયાન આ અનુભવી ખેલાડીએ એમ્પાયર પર તેમના નિર્ણય અંગેનો અસંતોષ જતાવતા સ્ટમ્પ પર લાત મારી દીધી હતી. શાકિબ અલ હસનની ગણતરી દુનિયાના બેસ્ટ ઓલ રાઉન્ડર્સમાં થાય છે અને તેણે ગયા વર્ષના ડિસેમ્બર મહિનામાં ભારત વિરુદ્ધની બે ટેસ્ટ મેચની સીરિઝમાં પણ બાંગ્લાદેશ ટીમની કેપ્ટન્સી  કરી હતી.   

About The Author

Top News

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.