કેપ્ટન રોહિત શર્માની વન-ડેમાંથી પણ થશે છુટ્ટી? 2027 વર્લ્ડ કપ માટે BCCI કરી રહી છે આ તૈયારી

ભારતીય ટીમના દિગ્ગજ બેટ્સમેન અને કેપ્ટન રોહિત શર્માનું 2027નો વર્લ્ડ કપ રમવાનું સપનું હવે મુશ્કેલીમાં મુકાતું નજરે પડી રહ્યું છે. 2027માં દક્ષિણ આફ્રિકામાં આગામી વન-ડે વર્લ્ડ કપ થશે, ત્યારે રોહિત 40 વર્ષનો થઈ જશે. એવામાં જો બધા મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) વન-ડે ટીમમાં નેતૃત્વ પરિવર્તનની યોજના બનાવી રહ્યું છે. એક રિપોર્ટ મુજબ, BCCIને અપેક્ષા હતી કે રોહિત ટેસ્ટમાંથી સંન્યાસ લેવા સાથે સાથે વન-ડેમાંથી પણ સંન્યાસ લઈ લેશે, પરંતુ 38 વર્ષીય રોહિતે બધાને ચોંકાવતા વન-ડે ક્રિકેટ રમવાનો નિર્ણય લીધો, જેથી વર્ષ 2027ના વર્લ્ડ કપનું સપનું પૂરું થઈ શકે.

rohit2
BCCI

 

નોંધનીય છે કે, રોહિતે વર્ષ 2023ના વર્લ્ડ કપમાં ભારતીય ટીમને ફાઇનલ સુધી પહોંચાડી હતી. જોકે તે ટાઇટલ જીતવાનું ચૂકી ગયો હતો. ત્યારબાદ તેણે ભારતને T20 વર્લ્ડ કપ અને વર્ષ 2025 ચેમ્પિયન્સ ટ્રોફી જીતાડીતી. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં જીત્યા બાદ રોહિતે કહ્યું હતું કે, ‘એક બીજી વાત, હું વન-ડે ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નથી. જેથી કોઈ અફવાઓ ન ફેલાય.

rohit
hindustantimes.com

 

રિપોર્ટ્સ મુજબ, BCCI હવે વન-ડે ટીમમાં બદલાવ કરવાનું વિચારી રહી છે. ટીમ મેનેજમેન્ટ આ ફોરમેટની કમાન ભવિષ્યને ધ્યાનમાં રાખતા કોઈ યુવા ખેલાડીને સોંપવા માગે છે. BCCI પાસે વર્ષ 2027 વર્લ્ડ કપ પહેલા 27 વન-ડે મેચ છે, જેથી નવા કેપ્ટનને તૈયાર કરવાની સારી તક મળશે. મેડિયા રિપોર્ટ મુજબ, શ્રેયસ ઐયયરને રોહિત શર્માની જગ્યાએ કેપ્ટન્સી મળી શકે છે. ઐય્યરે IPLમાં 3 ટીમોનું નેતૃત્વ કર્યું છે અને મુંબઈ માટે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી પણ જીતી છે.

rohit1
BCCI

 

હાલમાં શ્રેયસ માત્ર વન-ડે રમે છે, પરંતુ આ IPL બાદ તેને T20 અને ટેસ્ટ ક્રિકેટથી દૂર રાખવું મુશ્કેલ હશે. હવે તે સત્તાવાર રીતે સફેદ બોલની કેપ્ટન્સીની રેસમાં સામેલ થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રોહિતે T20માંથી સંન્યાસ લઈ લીધો હતો. તો, તાજેતરમાં જ રોહિતે ટેસ્ટ ક્રિકેટને પણ અલવિદા કહી દીધી હતી. જોકે, તેણે સ્પષ્ટ કર્યું હતું કે તે 2027નો વર્લ્ડ કપ રમવા માગે છે.

Top News

50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

ક્રિકેટમાં ઘણીવાર એકતરફી મેચ જોવા મળે છે, પરંતુ કેટલીક મેચમાં સંઘર્ષ એટલો બધો થઇ જાય છે કે તેના પર...
Sports 
50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પુણે કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે, તેમના જીવને ગંભીર જોખમ છે. આ...
National 
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનોથી થતા એર પોલ્યુશનને રોકવા અને ફ્યુલના ભાવો ઘટાડવા માટે દુનિયાભરની સરકારો ઇથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલ પર કામ કરી...
Tech and Auto 
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે

બિહારના ભૂતપૂર્વ DyCM તેજસ્વી યાદવ છેલ્લા કેટલાક દિવસોથી ચૂંટણી પંચ પર સંપૂર્ણ પ્રહાર કરી રહ્યા છે. જ્યારથી બિહારમાં SIR પ્રક્રિયા...
National 
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.