ગાવસ્કર ફક્ત દંડ થવાથી ખુશ નથી, કોહલીને અમુક મેચોમાંથી બહાર કરી દેવો જોઈએ

IPL 2023ની એક મેચમાં સોમવારની રાતના હંગામાથી વિરાટ કોહલી, ગૌતમ ગંભીર અને નવીન-ઉલ-હક ચર્ચામાં છે. સોશિયલ મીડિયાથી લઈને પૂર્વ ક્રિકેટર્સ સુધી મેદાન પર તેમની વચ્ચે જોરદાર ચર્ચા ચાલી રહી છે. મેચ પછીની બોલાચાલી બાદ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા તેમની મેચ ફીના 100% દંડ ફટકારવામાં આવ્યો હતો, પરંતુ મહાન સુનીલ ગાવસ્કર માને છે કે આ સજા હળવી છે. તેને કેટલીક મેચોમાંથી બહાર કરી દેવો જોઈએ.

સુનિલ ગાવસ્કરે પ્રશ્ન કર્યો હતો કે શું દંડ એ ખાતરી આપવા માટે પૂરતો છે કે ભવિષ્યમાં આવું ક્યારેય નહીં થાય. મેચ દરમિયાન કોહલી અને નવીન-ઉલ-હક વચ્ચે બોલાચાલી થઈ અને અમ્પાયર અને અમિત મિશ્રાએ વચ્ચે પાડીને વિવાદ અટકાવ્યો હતો. પરંતુ ત્યાર પછી વિવાદ વધી ગયો હતો. BCCIએ મંગળવારે કોહલી અને ગંભીરને IPLની આચાર સંહિતાનો ભંગ કરવા બદલ તેમની સંપૂર્ણ મેચ ફીનો દંડ ફટકાર્યો હતો. જો કે, ગાવસ્કરે મીડિયા સાથેની વાતચીતમાં ભવિષ્યમાં આવી ઝઘડા ન થાય તે માટે કડક પગલાં લેવાની વાત કરી હતી.

તેમણે કહ્યું- સારું, મેં થોડા સમય પહેલા વિઝ્યુઅલ જોયા હતા, મેં મેચ લાઈવ જોઈ ન હતી. આ વસ્તુઓ ક્યારેય સારી લાગતી નથી. 100 ટકા મેચ ફી શું છે? હકીકતમાં 100 ટકા મેચ ફી શું છે? જો તે કોહલી છે, જે કદાચ RCB માટે ₹17 કરોડ મેળવે છે, જેનો અર્થ સેમિ-ફાઇનલ અને ફાઇનલ સહિતની સંભવિત 16 મેચો માટે ₹17 કરોડ. તો તમે એક કરોડ રૂપિયાની વાત કરી રહ્યા છો. શું તેને ₹1 કરોડ અને વધુનો દંડ થશે? ઠીક છે, તે એક ઘણો જ કઠોર દંડ છે.

તેમણે આગળ કહ્યું, મને ખબર નથી કે ગંભીરની શું હાલત છે. તેઓએ ખાતરી કરવી જોઈએ કે, આવું બીજીવાર થવું ન જોઈએ. તમે આશા રાખો છો કે તેનું પુનરાવર્તન થશે નહીં, કારણ કે તે આટલી સખત સજા છે, આવી આકરી સજા છે. તમે પેશન સાથે ક્રિકેટ રમવા માંગો છો. જ્યારે અમે રમ્યા ત્યારે થોડી મજાક મસ્તી ચાલ્યા કરતી હતી, પરંતુ હવે જે આક્રમકતા જોવા મળે છે તે અલગ છે. આનો ઘણો સંબંધ એ હકીકત સાથે છે કે, બધું TV પર પણ છે. તમે TV પર છો તે હકીકતને કારણે, તમે કદાચ તેને વધુ પડતું કરો છો.

બેટિંગ લિજેન્ડે વાસ્તવમાં ઉકેલ તરીકે કેટલીક મેચો માટે સસ્પેન્શનનું સૂચન કર્યું હતું, જેથી તેમની સંબંધિત ટીમો પણ પરિણામ ભોગવે. તેમણે કહ્યું, મારો અભિપ્રાય છે કે કંઈક એવું કરો જે સુનિશ્ચિત કરે કે, આ વસ્તુઓ ફરીથી ન થાય. જો તમે જાણો છો કે, 10 વર્ષ પહેલા હરભજન અને શ્રીસંત સાથે થયું હતું, તો તમારે તેમને થોડી મેચો બહાર બેસવાનું કહેવું પડશે. ખાતરી કરો કે તમે કંઈક એવું કરો છો જે ખાતરી કરે છે કે, આવી વસ્તુઓ ન થાય અને કંઈક એવું પણ થાય કે જેથી જે તે ટીમને નુકસાન સહન કરવું પડે.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.