જ્યારે પણ અમે પ્લેઇંગ XI પસંદ કરીએ છીએ, ફેન્સને નિરાશ કરીએ છીએઃ દ્રવિડ

રાહુલ દ્રવિડના ટીમ ઇન્ડિયાના હેડ કોચ બન્યા બાદથી ભારતીય ટીમે કેટલીક મેજર ટુર્નામેન્ટ્સમાં હારનો સામનો કરવો પડ્યો છે. તેમા 2022 એશિયા કપ, 2022 T20 વર્લ્ડ કપ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ જેવી કેટલીક ટુર્નામેન્ટ્સ સામેલ છે. આ ઉપરાંત, ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર પણ હારનો સામનો કરવો પડ્યો હતો. તેમજ, ઇંગ્લેન્ડ વિરુદ્ધ રવિ શાસ્ત્રીના કાર્યકાળમાં 2-1થી લીડ બનાવનારી ટીમ ઇન્ડિયાએ રીશિડ્યૂલ કરવામાં આવેલી પાંચમી ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

જોકે, દ્રવિડે પોતાના ખેલાડીઓને પરફોર્મ કરવાની પર્યાપ્ત તક આપી અને તેમનું હંમેશાં સમર્થન કર્યું. રવિ શાસ્ત્રીના કાર્યકાળ દરમિયાન ટીમમાં ઘણા બદલાવ થતા હતા. દ્રવિડના કાર્યકાળમાં અર્શદીપ સિંહ, શુભમન ગિલ અને શ્રેયસ ઐય્યર જેવા ખેલાડીઓને પર્યાપ્ત તક મળી અને આજે તેઓ સારું પ્રદર્શન કરી ટીમને જીતાડી રહ્યા છે. અર્શદીપ જ્યાં ડેથ ઓવર સ્પેશ્યાલિસ્ટ બની ચુક્યો છે, ત્યાં ગિલ આવનારા સમયમાં ભારતનો સ્ટાર છે. શ્રેયસે પેસ અને સ્પિન એટેકની સામે પોતાની મજબૂતી સાબિત કરી છે.

દ્રવિડ પોતે પણ પોતાના સમયનો એક મહાન બેટ્સમેન રહી ચુક્યો છે. તેને ખબર છે કે, કોઈ ખેલાડીને સમર્થન કરવાનો શો મતલબ હોય છે અને તેનાથી ટીમને શો ફાયદો થાય છે. જોકે, કોચની જવાબદારી સંભાળ્યા બાદથી તેણે જવાબદાર પણ બનવુ પડ્યું છે. તેણે ઘણીવાર એ સવાલોના જવાબ આપવા પડે છે જેનો કોઈ મતલબ નથી હોતો. દ્રવિડનું કહેવુ છે કે, કોચિંગની સૌથી મુશ્કેલ વાત હાર અને જીતથી ઉપર છે.

તેણે એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું, તમે અંગતરીતે એ તમામ લોકોની ચિંતા કરો છો જેને તમે કોચિંગ આપો છો અને તમે વ્યક્તિગત સંબંધ બનાવવાનો પ્રયત્ન કરો છો. તમે તેમને ક્રિકેટ ખેલાડીઓના રૂપમાં નહીં પરંતુ, એક વ્યક્તિના રૂપમાં પ્રશિક્ષિત કરવા માંગો છો. જ્યારે તમે આવુ કરો છો, તો તમે ઇચ્છો છો કે, તે તમામ સફળ થાય. પરંતુ, સાથે જ તમારે સત્ય પણ જીવવુ પડે છે અને એ અનુભવ કરવાનો હોય છે કે, તેમાથી બધા જ સફળ નહીં થશે. ક્યારેક-ક્યારેક તમારે ખૂબ જ મુશ્કેલ નિર્ણય લેવા પડે છે.

દ્રવિડે કહ્યું, દર વખતે જ્યારે અમે એક પ્લેઇંગ ઇલેવન પસંદ કરીએ છીએ, તો અમે લોકોને નિરાશ કરીએ છીએ. એવા પણ લોકો છે જે નથી રમી રહ્યા. દર વખતે જ્યારે અમે કોઈ ટૂર્નામેન્ટ માટે 15 ખેલાડીઓની સ્ક્વોર્ડ પસંદ કરીએ છીએ, તો ઘણા બધા લોકો છે જે વિચારે છે કે, તેમણે ત્યાં હોવુ જોઈએ. તમે તેમના માટે ભાવનાત્મક સ્તર પર ખરાબ અનુભવો છો પરંતુ, અમે દરેક પ્રયાસ કરીએ છીએ. હું એવુ નથી કેહતો કે હું તેમા એક્સપર્ટ છું. આ કોચિંગ અથવા નેતૃત્વનો સૌથી મુશ્કેલ હિસ્સો છે. એ લોકો વિશે મુશ્કેલ નિર્ણય લેવાના હોય છે, જેને તમે વાસ્વમાં સફળ જોવા માંગો છો અને તેમનું સારું ઇચ્છો છો. પરંતુ, તમે નિયમથી મજબૂર થઇને માત્ર પસંદગીના ખેલાડીઓને જ પસંદ કરી શકો છો.

ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચનું પદ સંભાળતા પહેલા દ્રવિડના ભારત એ અને અંડર-19 ટીમો સાથે વીતાવેલા સમયના વખાણ કર્યા હતા. જોકે, ભારતીય પુરુષ સીનિયર ક્રિકેટ ટીમની સાથે એકદમ અલગ સ્થિતિ છે. ત્યાં દ્રવિડે એવા નિર્ણયો લેવા પડ્યા છે જે ઘણા બધા લોકો નથી કરી શકતા. આ વર્ષે ચેતેશ્વર પૂજારાને બહાર કરવો, ગત વર્ષે અજિંક્ય રહાણે અને ઇશાંત શર્માને ટીમમાંથી ડ્રોપ કરવા અથવા ઋદ્ધિમાન સાહા સાથે તેના ભવિષ્ય વિશે વાતચીત કરવા જેવા કેટલાક નિર્ણયો સામેલ છે.

જોકે, નિર્ણય દ્રવિડે કરવાનો હતો આથી, લોકોને આશા હતી કે વાત વધુ નહીં બગડશે. જોકે, દ્રવિડ અને સાહાની વચ્ચે ભવિષ્યને લઇને જે વાતચીત થઈ, તેણે દરેકને પ્રભાવિત કર્યા હતા. સાહાને સ્પષ્ટરીતે જણાવવામાં આવ્યું હતું કે, તેની ટીમ ઇન્ડિયામાં જગ્યા હવે નથી દેખાતી. જોકે, ભારતીય હેડ કોચને એવુ નથી લાગતું કે નિર્ણય આટલો સરળ હતો. તેણે કહ્યું, તેનો કોઈ સરળ જવાબ નથી. મને લાગે છે કે, જે પરિસ્થિતિ મારી સામે આવે છે તેને લઇને હું ઈમાનદાર રહેવાનો પ્રયત્ન કરું છું. ખેલાડીઓ સાથે તમારી વાતચીત અને વ્યવહારમાં જો ઈમાનદારી છે અને તેઓ વિચારે છે કે જે તમે કરી રહ્યા છો તેમા કોઈ રાજકીય એજેન્ડા અથવા ધારણા નથી, તો તે સૌથી સારી વાત છે. એવુ જ હોવુ પણ જોઈએ.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.