જોની બેયરસ્ટોના વિવાદાસ્પદ રન આઉટ પર ગંભીર અને અશ્વિન સામસામે, કોની વાત સાચી?

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી એશિઝ સિરીઝમાં બંને ટીમો પોતાની પુરી તાકાત લગાવી રહી છે. આ દરમિયાન ઘણી એવી ક્ષણો પણ જોવા મળી છે જેના પર ભારે હંગામો થયો છે. લોર્ડ્સ ટેસ્ટની ચોથી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડના બેટ્સમેન જોની બેયરસ્ટોને જે રીતે આઉટ કર્યો હતો તેના પર હોબાળો મચી ગયો છે.

ભારતની વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ રહેલા ગૌતમ ગંભીરે જોની બેયરસ્ટોના રન આઉટ પર પ્રતિક્રિયા આપતા ઓસ્ટ્રેલિયા પર નિશાન સાધ્યું છે. ટ્વિટર દ્વારા કાંગારુઓને સ્લેજર્સ ગણાવતા તેમણે કહ્યું કે, શું 'સ્પિરિટ ઓફ ધ ગેમ'ની ચર્ચા ફક્ત ભારત માટે જ લાગુ પડે છે તમારા માટે નહીં.

બીજી તરફ જોની બેયરસ્ટોના રન આઉટ પર ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિનની વિચારસરણી ગૌતમ ગંભીરથી અલગ છે. તેણે ટ્વિટર દ્વારા કહ્યું કે, આવું કરવું ખોટું નથી. અશ્વિને ઓસ્ટ્રેલિયાના વિકેટ કીપર એલેક્સ કેરીની પણ પ્રશંસા કરી હતી જેણે જોની બેયરસ્ટોને રનઆઉટ કર્યો હતો.

અશ્વિને ટ્વિટર પર લખ્યું કે, કોઈ પણ વિકેટ કીપર જ્યાં સુધી વિરોધી ટીમના બેટ્સમેનને વારંવાર ક્રિઝની બહાર જતા ન જુએ, ત્યાં સુધી તે રન આઉટ કરવાનો પ્રયાસ નથી કરતો. બેયરસ્ટોને ઘણી વખત ક્રિઝની બહાર જોયા પછી જ ઓસ્ટ્રેલિયાએ તેને રન આઉટ કરવાનું મન બનાવી લીધું હશે.

લોર્ડ્સ ટેસ્ટના છેલ્લા દિવસે ઈંગ્લેન્ડનો બેટ્સમેન જોની બેરસ્ટો 10 રન બનાવીને રમી રહ્યો હતો. ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીનના બોલને ડક કર્યા બાદ તેણે વિકેટની પાછળ ઉભેલા ફિલ્ડરોને પૂછ્યા વગર જ ક્રિઝ છોડી દીધી અને બીજા છેડે ઉભેલા બેન સ્ટોક્સ સાથે વાત કરવા લાગ્યો. આ પછી, ઓસ્ટ્રેલિયન વિકેટ કીપર એલેક્સ કેરીએ સ્ટમ્પ પર બોલને ફેંકીને અપીલ કરી અને અમ્પાયરે તેને આઉટ જાહેર કર્યો.

ICCના નિયમો અનુસાર, જ્યાં સુધી વિકેટ-કીપર અથવા કોઈપણ ફિલ્ડર અન્ય ખેલાડી અથવા અમ્પાયરને બોલ પરત ન કરે ત્યાં સુધી બોલને રમતમાં ગણવામાં આવે છે. સામાન્ય રીતે ઓવર સમાપ્ત થયા પછી, બેટ્સમેન વિકેટ કીપરની પરવાનગી લીધા પછી બીજા છેડે જાય છે, પરંતુ આ કિસ્સામાં જોની બેરસ્ટોએ તેમ કર્યું ન હતું.

એશિઝ શ્રેણી 2023માં અત્યાર સુધી ઓસ્ટ્રેલિયાનો દબદબો છે. પેટ કમિન્સની આગેવાની હેઠળની ટીમે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. બંને ટીમો વચ્ચે ત્રીજી ટેસ્ટ લીડ્ઝના હેડિંગ્લે ખાતે 6 જુલાઈથી રમાશે.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.