ગંભીરનો પ્રભાવ, સ્ટારને સાઈડલાઈન... બાંગ્લાદેશ T20 ટીમથી કેમ નારાજ છે ચાહકો?

શનિવાર, 28 સપ્ટેમ્બર ભારતીય ક્રિકેટ માટે ખૂબ જ ઘટનાપૂર્ણ દિવસ હતો. કાનપુર ટેસ્ટનો બીજો દિવસ વરસાદને કારણે ધોવાઈ જવાથી નિરાશ થયેલા ચાહકોને સાંજ સુધીમાં ઘણું બધું મળી ગયું હતું. અને ભારતીય ટીમને બાંગ્લાદેશ સાથેની ત્રણ T20I મેચની શ્રેણીમાં સામેલ કરવામાં આવી હતી. સિનિયર મેન્સ સિલેક્શન કમિટીએ આ ટીમમાં ઘણા આશ્ચર્યજનક નિર્ણયો લીધા હતા.

સૌથી પહેલા તેણે નવા પેસ સેન્સેશન મયંક યાદવને તેમાં સામેલ કર્યો. મયંકને પહેલીવાર ભારતીય ટીમ તરફથી કોલ આવ્યો છે. તેણે IPL 2024માં પોતાની ગતિથી બધાને ચોંકાવી દીધા હતા. આ ઉપરાંત મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીને પણ આ ટીમમાં સ્થાન મળ્યું છે. વરુણે છેલ્લે વર્ષ 2021માં ભારત માટે T20I મેચ રમી હતી.

આ ટીમના ઘણા નિયમિત ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. આવા ખેલાડીઓમાં શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, રીષભ પંત, અક્ષર પટેલ અને મોહમ્મદ સિરાજ જેવા નામ સામેલ છે. આ ખેલાડીઓ આવતા મહિને ન્યુઝીલેન્ડ સાથે ટેસ્ટ શ્રેણીમાં પણ રમશે.

હાર્દિક પંડ્યા, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, રિંકુ સિંહ, રવિ બિશ્નોઈ અને અર્શદીપ સિંહ જેવા T20I નિયમિત ખેલાડીઓને બાંગ્લાદેશ સાથેની T20I શ્રેણી માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. જો કે આ સિલેકશન થયા પછી બે યુવા ખેલાડીઓ સૌથી વધુ ચર્ચામાં છે. ચાહકોને લાગે છે કે વિકેટ કીપર ઈશાન કિશન અને ટોપ ઓર્ડર બેટ્સમેન રૂતુરાજ ગાયકવાડ સાથે ખોટું કરવામાં આવ્યું છે.

આ બંનેએ આ મહિને રમાયેલી દુલીપ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ BCCIએ આ બંનેની પસંદગી કરી ન હતી. સ્પેશિયાલિસ્ટ ઓપનર તરીકે માત્ર અભિષેક શર્માને ટીમમાં જગ્યા આપવામાં આવી છે. ઇશાન છેલ્લે ડિસેમ્બર 2023માં ભારતીય જર્સીમાં જોવા મળ્યો હતો. ત્યાર પછી ડોમેસ્ટિક ક્રિકેટ ન રમવાના કારણે તેનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પણ છીનવી લેવામાં આવ્યો હતો.

રુતુરાજની તાજેતરની T20I ઈનિંગ્સનો ઉલ્લેખ કરતાં, એક પ્રશંસકે લખ્યું, 'રુતુરાજ તેની છેલ્લી સાત T20I ઈનિંગ્સમાં, હજુ પણ ટીમમાં સ્થાન નથી. શું નસીબ છે.'

ઈશાન માટે નિરાશ થયેલા તમામ ચાહકોમાં એકે લખ્યું, 'આ સંપૂર્ણપણે રાજકારણ છે. ઇશાન કિશનના આંકડા જીતેશ અને સેમસન કરતા ઘણા સારા છે. BCCIને શરમ આવવી જોઈએ. ઇશાન કિશનને બાજુ પર રાખવાનું બંધ કરો.'

સોશિયલ મીડિયા પર ચાહકોએ આ ટીમ પર મુખ્ય કોચ ગંભીરનો પ્રભાવ પણ શોધી કાઢ્યો. ચક્રવર્તી અને હર્ષિત રાણા ત્રણ વર્ષ પછી ટીમ ઈન્ડિયામાં પરત ફર્યા, બંને KKRના ખેલાડી છે. આ એ જ ટીમ છે જેણે ગંભીરના નેતૃત્વમાં IPL2024 જીતી હતી. આ અગાઉ, ગંભીર લખનઉ સુપરજાયન્ટ્સનો મેન્ટર હતો. અને મયંક યાદવ એ જ ટીમનો ખેલાડી છે. ગંભીરના પ્રભાવનો ઉલ્લેખ કરતા એક પ્રશંસકે લખ્યું, 'વરુણ ચક્રવર્તી પરત ફર્યો છે. ગૌતમ ગંભીર હોવાનો ફાયદો મળ્યો.'

બાંગ્લાદેશ સામે શ્રેણીની ત્રણેય મેચ 6, 9 અને 12 ઓક્ટોબરે રમાશે. આ શ્રેણીની સંપૂર્ણ ટીમ નીચે મુજબ છે. સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટ કીપર), રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, રાયન પરાગ, નીતિશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી, જીતેશ શર્મા (વિકેટ કીપર), અર્શદીપ સિંહ, હર્ષિત રાણા અને મયંક યાદવ.

About The Author

Related Posts

Top News

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.