ગંભીરના મતે પાકિસ્તાન સામે આ ખેલાડીને ન રમાડ્યો તો એ ભારતની મોટી ભૂલ હશે

એશિયા કપ 2023માં રોમાંચ ધીરે ધીરે વધતો જઈ રહ્યો છે. 2 સપ્ટેમ્બરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી હાઇવોલ્ટેજ મેચ વરસાદના કારણે રદ્દ થઈ ગઈ હતી, પરંતુ હવે ફરી એક વખત ભારત અને પાકિસ્તાનની ટીમો મેદાનમાં સામસામે થવા તૈયાર છે. 10 સપ્ટેમ્બરના રોજ એશિયા કપ 2023 હેઠળ સુપર-4ની ત્રીજી મેચ બંને ટીમો વચ્ચે રમાશે. આ મેચ અગાઉ પૂર્વ ભારતીય બેટ્સમેન ગૌતમ ગંભીરે ભારતીય ટીમને મોટી સલાહ આપી છે.

ગૌતમ ગંભીરનું માનવું છે કે, જો 10 સપ્ટેમ્બરના રોજ ભારત વિરુદ્ધ ઇશાન કિશનને ટીમમાં જગ્યા ન મળી તો તે ભારતીય ટીમની સૌથી મોટી ભૂલ હશે. ગૌતમ ગંભીરના જણાવ્યા મુજબ, જે પ્રકારે ઈશાન કિશને પ્રદર્શન કર્યું છે, તેને જોતા ઇશાન કિશનને પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા જરૂર મળવી જોઈએ. ગૌતમ ગંભીરનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પાકિસ્તાન વિરુદ્ધ કે.એલ. રાહુલને રમાડવાની ચર્ચા તેજ છે. સ્ટાર સ્પોર્ટ્સ પર વાતચીત કરવા દરમિયાન ગૌતમ ગંભીરે કહ્યું કે, ભારતીય ટીમ જો ઇશાન કિશનની જગ્યાએ કે.એલ. રાહુલને રમાડે છે તો પછી આ તેની સૌથી મોટી ભૂલ હશે.

ઇશાન કિશનને વધુ અવસર મળતા નથી, પરંતુ જ્યારે તેને અવસર મળે છે તો પછી તેની ઉપર દબાવ હોય છે. તેણે બેવડી સદી ફટકારી છે, એ છતા તેને વધુ અવસર મળ્યા નથી. ગૌતમ ગંભીરે હેરાની વ્યક્ત કરતા કહ્યું કે, વન-ડેમાં બેવડી સદી લગાવ્યા બાદ ઇશાન કિશનને આગામી સીરિઝ માટે ટીમમાં ન સિલેક્ટ કરવામાં આવ્યો. તે જે નંબર પર બેટિંગ કરે છે તે એક અલગ મુદ્દો છે, પરંતુ તે ખેલાડી વન-ડે ફોર્મેટને ખૂબ સારી રીતે સમજે છે. એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન બંને ટીમોએ શાનદાર પ્રદર્શન કર્યું છે.

ગ્રુપ-Aમાં પાકિસ્તાને 3માંથી 2 મેચ જીતી છે. એક મેચ વરસાદના કારણે રદ્દ થઈ ગઈ હતી, જેમાં તેને 1 પોઈન્ટ મળ્યો હતો. તો ભારતીય ટીમે અત્યાર સુધી 2 મેચ રમી છે. પહેલી મેચ પાકિસ્તાન વિરુદ્ધ વરસાદના કારણે રદ્દ થઈ ગઈ હતી, જ્યારે બીજી મેચમાં નેપાળ વિરુદ્ધ 10 વિકેટે મોટી જીત મળી હતી. હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 સપ્ટેમ્બરના રોજ મેચ રમાશે. હવે જોવાનું એ રસપ્રદ રહેશે કે એ મેચમાં વરસાદ ફરી વિલન બને છે કે નહીં. અને જો વરસાદ વિલન નથી બનતો તો એ મેચ કોણ જીતશે? પરંતુ એ તો 10 તારીખે જ ખબર પડશે.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.