સુરેશ રૈનાની ભવિષ્યવાણી, T20 WC 2024માં આ ભારતીય સ્પિનરની ટિકિટ પાક્કી

પૂર્વ ભારતીય સ્ટાર બેટ્સમેન સુરેશ રૈનાએ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની પહેલી T20 ઇન્ટરનેશનલ બાદ મોટી ભવિષ્યવાણી કરી દીધી છે. સુરેશ રૈનાનું માનવું છે કે જે પ્રકારે અક્ષર પટેલ સતત T20 ઇન્ટરનેશનલમાં પ્રદર્શન કરી રહ્યો છે તેને જોતા લાગે છે કે તે વેસ્ટ ઈન્ડીઝ અને અમેરિકાની મેજબાનીમાં આ વર્ષે થનારા T20 વર્લ્ડ કપ માટે ટિકિટ કન્ફર્મ કરી ચૂક્યો છે. અક્ષર પટેલ T20 ઇન્ટરનેશનલમાં સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે.

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઘરેલુ સીરિઝમાં બે વખત પ્લેયર ઓફ ધ મેચ બનવા છતા તેને દક્ષિણ આફ્રિકાના પ્રવાસે T20 ટીમમાં જગ્યા મળી નહોતી, પરંતુ અફઘાનિસ્તાન વિરુદ્ધ વાપસી કરીને તેણે ફરીથી ધમાલ મચાવી દીધી છે. અક્ષર પટેલે અફઘાનિસ્તાન વિરુદ્ધ પહેલી T20 મેચમાં પોતાની 4 ઓવરના કોટામાં 23 રન ખર્ચીને 2 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેણે ઓપનર બેટ્સમેન રહમાનુલ્લાહ ગુરબાજ સાથે રહમત શાહની વિકેટ લીધી.

તેની આ શાનદાર બોલિંગના દમ પર ભારતીય ટીમ મહેમાન ટીમ પર લગામ લગાવવામાં સફળ રહી. ભારતીય ટીમે પહેલી T20 મેચ 6 વિકેટે પોતાના નામે કરીને 3 મેચોની T20 સીરિઝમાં 1-0ની લીડ બનાવી લીધી છે. ભારત અને અફઘાનિસ્તાન સામેની પહેલી T20 મેચ બાદ સુરેશ રૈનાએ કલર્સ સિનેપલેક્સ પર પૂર્વ સ્પિનર પ્રજ્ઞાન ઓઝા સાથે વાત કરી હતી. આ દરમિયાન તેણે કહ્યું કે, 'તે (અક્ષર પટેલ) પાવરપ્લેમાં બોલિંગ કરે છે. જ્યારે પણ તેણે બેટિંગ કરી છે, તેણે સારું પ્રદર્શન કર્યું છે. પ્રજ્ઞાન ઓઝા તેની તાકત બાબતે સારું બતાવી શકે છે કેમ કે તે પોતે એક ડાબા હાથનો સ્પિનર છે. તે પોતાની ગતિ બદલતો રહે છે, જે પ્રકારે તેણે (રહમાનુલ્લાહ ગુરબાજને આઉટ કર્યો. મને લાગે છે કે તેની ટિકિટ પાક્કી છે.

પ્રજ્ઞાન ઓઝાએ સુરેશ રૈના સાથે સહમતી દર્શાવી અને કહ્યું કે, અક્ષર પટેલે ટીમનો હિસ્સો હોવું જોઈએ. પૂર્વ સ્પિનરે કહ્યું કે ઓલરાઉન્ડર ખેલાડીને જ્યારે અવસર મળે છે તો તે સારું પ્રદર્શન કરે છે અને તેની રમતને વાંચવાની સમજ ઉચ્ચ સ્તરની હોય છે. પ્રજ્ઞાન ઓઝાએ કહ્યું કે, તેને ટીમમાં રાખવો જોઈએ. જ્યારે કોઈ બોલર કે ઓલરાઉન્ડર ટીમની અંદર-બહાર રહે છે અને અવસર મળવા પર સારું પ્રદર્શન કરે છે તો તેનો અર્થ છે કે તેની રમત વાંચવાની સમજ ઉચ્ચ સ્તરની છે, તેની રમત પ્રત્યે જાગૃતિ હંમેશાં યથાવત રહે છે.

About The Author

Top News

દેશની એકમાત્ર ટ્રેન જે નાસ્તાથી લઈ રાત્રિભોજન સુધી બધું મફતમાં પીરસે છે, 6 જગ્યાએ લંગર લાગે છે

ભારતીય રેલ્વે દરરોજ લગભગ 2.5 કરોડ લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. સ્વાભાવિક છે કે, આટલી મોટી...
National 
દેશની એકમાત્ર ટ્રેન જે નાસ્તાથી લઈ રાત્રિભોજન સુધી બધું મફતમાં પીરસે છે, 6 જગ્યાએ લંગર લાગે છે

ટાઇટેનિક જહાજની ભવિષ્યવાણી લખેલો 113 વર્ષ જૂનો પત્ર 3,14,00,000 રૂપિયામાં વેચાયો

આજે પણ 15 એપ્રિલ, 1912ની કાળી તારીખ યાદ કરીને આત્મા કંપી ઉઠે છે. આ દિવસે, વિશાળ ટાઇટેનિક...
Offbeat 
ટાઇટેનિક જહાજની ભવિષ્યવાણી લખેલો 113 વર્ષ જૂનો પત્ર 3,14,00,000 રૂપિયામાં વેચાયો

IPL ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનારા ટોચના 5 બેટ્સમેન,14 વર્ષના આ ખેલાડીએ વિશ્વ ક્રિકેટમાં મચાવી હડકંપ

રાજસ્થાન રોયલ્સનો 14 વર્ષીય અદ્દભુત ખેલાડી વૈભવ સૂર્યવંશીએ IPL 2025માં ગુજરાત ટાઇટન્સ સામે માત્ર 35 બોલમાં પોતાની પહેલી IPL સદી...
Sports 
IPL ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનારા ટોચના 5 બેટ્સમેન,14 વર્ષના આ ખેલાડીએ વિશ્વ ક્રિકેટમાં મચાવી હડકંપ

ભારતમાં રહીએ તો કાયદો માનવો પડશે, ઇસ્લામ બળવાની મંજૂરી નથી આપતું: મૌલાના સાદ

હરિયાણામા નુંહમાં તાજેતરમાં તબલીગી જમાતની ધર્મસભાં કાંઘલવી તબલીગી જમાતના પ્રમુખ મૌલાના સાદે ઘણી મહત્ત્વની વાત કરી હતી. તેમણે કહ્યું કે...
National 
ભારતમાં રહીએ તો કાયદો માનવો પડશે, ઇસ્લામ બળવાની મંજૂરી નથી આપતું: મૌલાના સાદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.