સદી ફટકારવા પર વિરાટનું સ્ટેટમેન્ટ-દરેક મેચ અંતિમ મેચ હોય તે રીતે રમું છું

ભારતીય ટીમે શ્રીલંકા વિરુદ્ધની 3 વનડે મેચની સીરિઝમાં ધમાકેદાર શરૂઆત કરી છે. ગુવાહાટીમાં રમાયેલી પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ 67 રનથી જીત મેળવીને સીરિઝમાં 1-0થી બઢત બનાવી લીધી છે. આ મેચમાં પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ તાબડતોડ અંદાજમાં શતક માર્યું હતું. મેચમાં કોહલીએ 87 બોલ પર 113 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ ઈનિંગમાં તેણે એક સિક્સ અને 12 ચોગ્ગા માર્યા હતા. આ દમદાર શતકીય ઈનિંગના કારણે ભારતીય ટીમને જીત મળી અને કહોલીને પ્લયર ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવ્યો હતો.

પરંતુ મેચ પછી કોહલીએ એવું સ્ટેટમેન્ટ આપ્યું છે, જેણે બધાને ચોંકાવી દીધા છે. કોહલીએ કહ્યું હતું કે, તે દર વખતે દરેક મેચને તેની છેલ્લી મેચ હોય તે રીતે માનીને જ રમે છે. દરેક મેચને એન્જોય કરે છે. કોહલીના આ સ્ટેટમેન્ટનું શું કારણ હોઈ શકે છે. તેનો સટીક જવાબ તો તે જ આપી શકે તેમ છે. પંરતુ તેના આ રીતના સ્ટેટમેન્ટ પછી ઘણી બધી અટકળો ઉઠવાની શરૂ થઈ ગઈ છે. પરંતુ એક વાત તો સાફ છે કે હવે કોહલી કોઈ ટેન્શન વગર બિન્દાસ મેચ રમવા લાગ્યો છે.

પ્લેયર ઓફ ધ મેચ જીત્યા પછી કોહલીએ કહ્યું હતું કે, મેં એક વાત જે શીખી છે, તે છે કે હતાશા તમને કશે લઈ જતી નથી. રમત ઘણી સરળ હોય છે. આપણે પોતાના લગાવ અને ઈચ્છાઓથી તેને મુશ્કેલ બનાવીએ છે અને લોકોના નજરિયાથી વિચારીએ છીએ અને તે રીતે જ બનવા લાગીએ છે, પરંતુ એ નહીં જે આપણે છીએ. વાસ્તવમાં ડર્યા વગર રમત રમવાની જરૂર છે. ઘણા ખેલાડી ભૂતકાળમાં પણ રમી ચૂક્યા છે. હું હંમેશાં નહીં રમીશ. હું ખુશ છું અને પોતાની ગેમને એન્જોય કરી રહ્યો છું. જ્યારે પણ રમીશ, આ રીતની મજા લઈને રમતો રહીશ.

તેણે આગળ કહ્યું હતું કે, મને નથી લાગતું કે મેં મારી આ ઈનિંગમાં કંઈ અલગ કર્યું છે. મારી તૈયારી અને ઈરાદો હંમેશાં એક જેવો જ હોય છે. મને લાગે છે કે હું બોલને સારી રીતે હિટ કરી રહ્યો છું. આ તે લયની નજીક હતો, જેની સાથે હું રમું છું, મને સમજમાં આવી ગયું છે કે અમારે વધારાના 25-30 રનની જરૂર છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.