દ. આફ્રિકા સામે વર્લ્ડ કપ ફાઇનલ કેવી રીતે જીતી શકે છે ભારતીય મહિલા ટીમ

મહિલા વર્લ્ડ કપની સેમીફાઇનલમાં ગુરુવારે 30 ઓક્ટોબર ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે શાનદાર જીત હાંસલ કરી હતી. ટીમે ટૂર્નામેન્ટની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે જગ્યા બનાવી લીધી છે. ભારતીય ટીમે અત્યાર સુધી એક પણ ICC ટૂર્નામેન્ટ જીતી નથી. આ વર્ષે વર્લ્ડ કપ ફાઇનલમાં જગ્યા બનાવવા પર ભારતીય ટીમ પાસેની પહેલી ICC ટૂર્નામેન્ટ જીતવાની સુવર્ણ તક છે. દિગ્ગજ ક્રિકેટર સુનિલ ગાવસ્કરે ભારતીય મહિલા ટીમ માટે કેટલીક ખાસ ટિપ્સ આપી છે.

સ્પોર્ટ્સ તક સાથે વાતચીતમાં સુનિલ ગાવસ્કરે ટીમને અભિનંદન આપતા કહ્યું કે, મહિલા ટીમનું સારું પ્રદર્શન જોઈને તેઓ ખુશ થઇ. આટલા મોટા સ્કોરને ધ્યાનમાં રાખતા જેમીમાએ ઇનિંગ સંભાળી. હરમનપ્રીત કૌરે પણ તેને ખૂબ સારી રીતે સાથ કો આપ્યો. દીપ્તિએ પણ સારી બેટિંગ કરી. ફાઇનલમાં જીત અંગે ગાવસ્કરે કહ્યું કે, ‘જે રીતે ભારતીય મહિલા ટીમે ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવી, તેનાથી એવું લાગે છે કે તેઓ 2 નવેમ્બરના રોજ ફાઇનલમાં સારું પ્રદર્શન કતા જીત હાંસલ કરશે.

Sunil-gavaskar.jpg-2

તેમણે વધુમાં કહ્યું કે, ‘ફાઇનલ મેચમાં આપણે ધ્યાન રાખવું પડશે કે આપણે અંતિમ ઓવરોમાં મોંઘા ન સાબિત થઈએ. આપણે ઓવરથ્રો પર પણ ધ્યાન આપવાની જરૂરિયાત છે. ખેલાડીઓએ બિનજરૂરી થ્રૉ કરતા બચવું જોઈએ. જ્યાં રન-આઉટની કોઈ શક્યતા ન હોય ત્યાં થ્રૉ ન કરે અને રન બચાવે. ઓવરથ્રૉના વધારાના રન ઘણી સમસ્યાઓનું ઊભી કરે છે. તો જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, ફાઇનલમાં જીતનો મંત્ર શું હશે? તો તેમણે કહ્યું કે, ‘ભારતીય ટીમ ઓવરથ્રૉ પર થોડું વધુ ધ્યાન આપે તો વધુ સારું રહેશે. જો તેના આ પર કામ કરે તો ચિંતા કરવાની કોઈ વાત નથી.

તેમણે કહ્યું કે, આ સિવાય એ પણ જોવાની જરૂર છે કે છેલ્લી 5-10 ઓવરમાં કોની પાસે બોલિંગ કરવાની જરૂરિયાત છે, કારણ કે દક્ષિણ આફ્રિકા માટે 7-8 નંબર પર બેટિંગ કરનાર નાદીન ડી ક્લાર્ક એક જબરદસ્ત હિટર છે. તેના માટે કઈ રીતે ફિલ્ડ સેટ કરવી જોઈએ અને કોને બોલ આપવો જોઈએ. બસ આટલું જ વિચારવાની જરૂર છે.

Sunil-gavaskar.jpg-3

તો ભારતીય મહિલા ટીમની બેટિંગને લઈને તેઓ આશ્વસ્ત દેખાયા, તેમણે કહ્યું કે ભારતે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તેમણે એમ પણ કહ્યું કે, ભારતીય ટીમ 2017માં વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચી હતી. ભારતીય ટીમ પાસે ફાઇનલમાં રમવાનો અનુભવ છે. દક્ષિણ આફ્રિકા પહેલી વાર ફાઇનલમાં પહોંચી છે. તે જરૂર નર્વસ હશે અને તેનો ભારતીય ટીમને ફાયદો થઈ શકે છે.

About The Author

Related Posts

Top News

Xiaomi 17 સીરિઝ ભારતમાં લોન્ચ, ફીચર્સ છે જબરદસ્ત, પણ ભાવ જાણીને લેવાનો વિચાર માંડી વાળશો

Xiaomiએ આજે ​​ભારતમાં તેની નવી ફ્લેગશિપ સ્માર્ટફોન સિરીઝ, Xiaomi 17 સિરીઝ લોન્ચ કરી છે. આ સિરીઝમાં બે...
Tech and Auto 
Xiaomi 17 સીરિઝ ભારતમાં લોન્ચ, ફીચર્સ છે જબરદસ્ત, પણ ભાવ જાણીને લેવાનો વિચાર માંડી વાળશો

સંજૂ નહીં, આ ખેલાડીને મળવો જોઈતો હતો પ્લેયર ઓફ ધ સીરિઝનો એવોર્ડ... ડી વિલિયર્સે કારણ પણ જણાવ્યું

ટીમ ઈન્ડિયાએ અમદાવાદમાં T20 વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચી દીધો છે. ભારતે ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવ્યું. સમગ્ર ટૂર્નામેન્ટ...
Sports 
સંજૂ નહીં, આ ખેલાડીને મળવો જોઈતો હતો પ્લેયર ઓફ ધ સીરિઝનો એવોર્ડ... ડી વિલિયર્સે કારણ પણ જણાવ્યું

ડુંગળી-લસણને તામસિક જાહેર કરો, સુપ્રીમ કોર્ટમાં અરજી આવી, જજોએ શું કહ્યું?

સુપ્રીમ કોર્ટમા સચીન ગુપ્તા નામના વકીલે 5 પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશનજનહિત અરજીઓ દાખલ કરી હતી. તેમાંથી એકમાં કહેવામાં આવ્યું હતું...
National 
ડુંગળી-લસણને તામસિક જાહેર કરો, સુપ્રીમ કોર્ટમાં અરજી આવી, જજોએ શું કહ્યું?

અમદાવાદની 100થી વધુ સોસાયટીઓમાં અશાંત ધારો લાગૂ કરવા અભિયાન શરૂ

અમદાવાદમાં કેટલીક સોસાયટીમાં અશાંત ધારો લાગુ કરવા માટે એક અભિયાન શરૂ થયું છે અને અત્યાર સુધીમાં 100થી વધુ સોસાયટીઓ કલેકટરને...
Gujarat 
અમદાવાદની 100થી વધુ સોસાયટીઓમાં અશાંત ધારો લાગૂ કરવા અભિયાન શરૂ

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.