ઉમરાન મલિકના તિલક ન લગાવવાના વિવાદ બાદ સામે આ તસવીર, ટીકાકારોને મળ્યો જવાબ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચોની ટેસ્ટ સીરિઝ 9 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. સીરિઝ શરૂ થવાના બરાબર પહેલા ભારતના બે સ્ટાર ખેલાડી મોહમ્મદ સિરાજ અને ઉમરાન માલિકનું નામ વિવાદોમાં આવ્યું હતું. શનિવારે (4 ફેબ્રુઆરીના રોજ) સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં બંને ખેલાડી હોટલમાં તિલક લગાવવાની ના પાડી રહ્યા છે. ત્યારબાદ બંનેને ઘણા લોકોએ ટ્રોલ કર્યા તો કેટલાક લોકોએ સમર્થન કર્યું. આ દરમિયાન સોશિયલ મીડિયા પર હવે એક તસવીર વાયરલ થઇ રહી છે.

આ તસવીરમાં ઉમરાન મલિક હોટલમાં તિલક લગાવતો નજરે પડી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ભારતીય ટીમના ફેન્સે આ તસવીરને શેર કરવાની શરૂઆત કરી દીધી છે. તેમણે ઉમરાન માલિકની નિંદા કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો છે. શનિવારે જે વીડિયો વાયરલ થયો હતો તેમાં મોહમ્મદ સિરાજ અને ઉમરાન મલિક સિવાય બેટિંગ કોચ વિક્રમ રાઠોડે પણ તિલક લગાવવાની ના પડી દીધી હતી. એ સિવાય ટીમના કેટલાક અન્ય સભ્યોએ પણ એમ કર્યું હતું.

શું છે આખો મામલો?

ભારતીય ટીમનો એક વીડિયો સોશિયા મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં ટીમના બધા સભ્ય હોટલની અંદર જતા દેખાઇ રહ્યા છે. આ દરમિયાન હોટલ સ્ટાફ તિલક લગાવીને ટીમના સભ્યોનું સ્વાગત કરી રહ્યા છે, પરંતુ ભારતીય ટીમના કેટલાક સભ્ય તિલક લગાવવાની ના પાડી દે છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે, ઉમરાન મલિક, મોહમ્મદ સિરાજ, વિક્રમ રાઠોર અને હરિ પ્રસાદ મોહન તિલક લગાવવાની ના પાડી દે છે. જો કે, ટીમના બાકી સભ્ય તિકલ લગાવે છે અને કેટલાક સભ્ય ચશ્મા ઉતારીને પણ તિલક લગાવે છે.

યોગી દેવનાથ નામના યુઝરે લખ્યું કે, મોહમ્મદ સિરાજ અને ઉમરાન મલિક તિલક લગાવતા નથી કેમ કે તેઓ એ સ્તર પર પહોંચ્યા બાદ પણ પોતાના ધર્મ પ્રત્યે કટ્ટર છે. તો હવે ક્રિકેટ ફેન્સ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરીને ટીકાકારોને જડબાતોડ જવાબ આપી રહ્યા છે. એક યુઝર તસવીર શેર કરતા લખે છે કે આ તસવીર તેમના માટે છે જેમના પેટમાં કાલથી દુઃખાવો છે. તો રજત ગુપ્તા નામના યુઝરે લખ્યું કે, આને શેર નહીં કરો બસ #UmranMalik #Siraj.

Top News

શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે

માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ફાઉન્ડર સૌરભ મુખરજીનું કહેવું છે કે, કોવિડ-19 પછી વર્ષ 2022, 2023 અને 2024નું વર્ષ શેરબજારમાં ભારે તેજીવાળા...
Business 
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે

ભારતીય કંપનીએ ફક્ત 6499 રૂપિયામાં લોન્ચ કર્યો 5000mAh બેટરી ધરાવતો સ્માર્ટફોન

લાવાએ ભારતમાં તેની યુવા શ્રેણીનો નવીનતમ સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. લાવા યુવા સ્ટાર 2એ કંપનીનો એક નવો હેન્ડસેટ...
Tech and Auto 
ભારતીય કંપનીએ ફક્ત 6499 રૂપિયામાં લોન્ચ કર્યો 5000mAh બેટરી ધરાવતો સ્માર્ટફોન

મહિને 71 હજાર રૂપિયા કમાતી ડોક્ટર પત્નીની અરજી ફગાવતા કોર્ટે કહ્યું- પતિ પાસેથી ભરણપોષણ નહીં મળે

એક મહત્વપૂર્ણ નિર્ણયમાં, ઇન્દોર ફેમિલી કોર્ટે કરોડોની મિલકતની માલિકી ધરાવતી મહિલા ડોક્ટરની વચગાળાના ભરણપોષણ માટેની અરજી ફગાવી દીધી હતી....
National 
મહિને 71 હજાર રૂપિયા કમાતી ડોક્ટર પત્નીની અરજી ફગાવતા કોર્ટે કહ્યું- પતિ પાસેથી ભરણપોષણ નહીં મળે

અંજીર વેજ છે કે નોન વેજ? હવે પરીક્ષામાં પણ પૂછવામાં આવ્યો સવાલ, શું તમે જાણો છો જવાબ?

NEET UGની પરીક્ષા 04 મે, 2025ના રોજ બપોરે 2:00 થી 5:00 વાગ્યા વચ્ચે થઈ હતી. આ વર્ષે ...
Lifestyle  Health 
અંજીર વેજ છે કે નોન વેજ? હવે પરીક્ષામાં પણ પૂછવામાં આવ્યો સવાલ, શું તમે જાણો છો જવાબ?
Copyright (c) Khabarchhe All Rights Reserved.