ઉમરાન મલિકના તિલક ન લગાવવાના વિવાદ બાદ સામે આ તસવીર, ટીકાકારોને મળ્યો જવાબ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચોની ટેસ્ટ સીરિઝ 9 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. સીરિઝ શરૂ થવાના બરાબર પહેલા ભારતના બે સ્ટાર ખેલાડી મોહમ્મદ સિરાજ અને ઉમરાન માલિકનું નામ વિવાદોમાં આવ્યું હતું. શનિવારે (4 ફેબ્રુઆરીના રોજ) સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં બંને ખેલાડી હોટલમાં તિલક લગાવવાની ના પાડી રહ્યા છે. ત્યારબાદ બંનેને ઘણા લોકોએ ટ્રોલ કર્યા તો કેટલાક લોકોએ સમર્થન કર્યું. આ દરમિયાન સોશિયલ મીડિયા પર હવે એક તસવીર વાયરલ થઇ રહી છે.

આ તસવીરમાં ઉમરાન મલિક હોટલમાં તિલક લગાવતો નજરે પડી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ભારતીય ટીમના ફેન્સે આ તસવીરને શેર કરવાની શરૂઆત કરી દીધી છે. તેમણે ઉમરાન માલિકની નિંદા કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો છે. શનિવારે જે વીડિયો વાયરલ થયો હતો તેમાં મોહમ્મદ સિરાજ અને ઉમરાન મલિક સિવાય બેટિંગ કોચ વિક્રમ રાઠોડે પણ તિલક લગાવવાની ના પડી દીધી હતી. એ સિવાય ટીમના કેટલાક અન્ય સભ્યોએ પણ એમ કર્યું હતું.

શું છે આખો મામલો?

ભારતીય ટીમનો એક વીડિયો સોશિયા મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં ટીમના બધા સભ્ય હોટલની અંદર જતા દેખાઇ રહ્યા છે. આ દરમિયાન હોટલ સ્ટાફ તિલક લગાવીને ટીમના સભ્યોનું સ્વાગત કરી રહ્યા છે, પરંતુ ભારતીય ટીમના કેટલાક સભ્ય તિલક લગાવવાની ના પાડી દે છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે, ઉમરાન મલિક, મોહમ્મદ સિરાજ, વિક્રમ રાઠોર અને હરિ પ્રસાદ મોહન તિલક લગાવવાની ના પાડી દે છે. જો કે, ટીમના બાકી સભ્ય તિકલ લગાવે છે અને કેટલાક સભ્ય ચશ્મા ઉતારીને પણ તિલક લગાવે છે.

યોગી દેવનાથ નામના યુઝરે લખ્યું કે, મોહમ્મદ સિરાજ અને ઉમરાન મલિક તિલક લગાવતા નથી કેમ કે તેઓ એ સ્તર પર પહોંચ્યા બાદ પણ પોતાના ધર્મ પ્રત્યે કટ્ટર છે. તો હવે ક્રિકેટ ફેન્સ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરીને ટીકાકારોને જડબાતોડ જવાબ આપી રહ્યા છે. એક યુઝર તસવીર શેર કરતા લખે છે કે આ તસવીર તેમના માટે છે જેમના પેટમાં કાલથી દુઃખાવો છે. તો રજત ગુપ્તા નામના યુઝરે લખ્યું કે, આને શેર નહીં કરો બસ #UmranMalik #Siraj.

About The Author

Top News

ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની, બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને શોર્ટ ટેન્કની પહેલી સીઝનમાં જજ રહેલા અશ્નીર ગ્રોવરના લાખો રૂપિયાના...
Business 
ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

JEE મેન્સ સત્ર-2 (એપ્રિલ સત્ર)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ સત્રમાં, વિવિધ રાજ્યોના કુલ 24 વિદ્યાર્થીઓએ ...
Education 
કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

કર્ણાટકના શિવમોગામાં આદિચુંચનગિરી સ્કૂલમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) આપવા ગયેલા વિદ્યાર્થીઓ પાસેથી જનોઈ ઉતારવાના મામલો સામે આવ્યા બાદ, ...
National 
જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ

અત્યારે ઉનાળાની સીઝન ચાલી રહી છે, અને રાજ્યમાં મિશ્રા ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળી...
Gujarat 
અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ
Copyright (c) Khabarchhe All Rights Reserved.