ઉમરાન મલિકના તિલક ન લગાવવાના વિવાદ બાદ સામે આ તસવીર, ટીકાકારોને મળ્યો જવાબ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચોની ટેસ્ટ સીરિઝ 9 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. સીરિઝ શરૂ થવાના બરાબર પહેલા ભારતના બે સ્ટાર ખેલાડી મોહમ્મદ સિરાજ અને ઉમરાન માલિકનું નામ વિવાદોમાં આવ્યું હતું. શનિવારે (4 ફેબ્રુઆરીના રોજ) સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં બંને ખેલાડી હોટલમાં તિલક લગાવવાની ના પાડી રહ્યા છે. ત્યારબાદ બંનેને ઘણા લોકોએ ટ્રોલ કર્યા તો કેટલાક લોકોએ સમર્થન કર્યું. આ દરમિયાન સોશિયલ મીડિયા પર હવે એક તસવીર વાયરલ થઇ રહી છે.

આ તસવીરમાં ઉમરાન મલિક હોટલમાં તિલક લગાવતો નજરે પડી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ભારતીય ટીમના ફેન્સે આ તસવીરને શેર કરવાની શરૂઆત કરી દીધી છે. તેમણે ઉમરાન માલિકની નિંદા કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો છે. શનિવારે જે વીડિયો વાયરલ થયો હતો તેમાં મોહમ્મદ સિરાજ અને ઉમરાન મલિક સિવાય બેટિંગ કોચ વિક્રમ રાઠોડે પણ તિલક લગાવવાની ના પડી દીધી હતી. એ સિવાય ટીમના કેટલાક અન્ય સભ્યોએ પણ એમ કર્યું હતું.

શું છે આખો મામલો?

ભારતીય ટીમનો એક વીડિયો સોશિયા મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં ટીમના બધા સભ્ય હોટલની અંદર જતા દેખાઇ રહ્યા છે. આ દરમિયાન હોટલ સ્ટાફ તિલક લગાવીને ટીમના સભ્યોનું સ્વાગત કરી રહ્યા છે, પરંતુ ભારતીય ટીમના કેટલાક સભ્ય તિલક લગાવવાની ના પાડી દે છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે, ઉમરાન મલિક, મોહમ્મદ સિરાજ, વિક્રમ રાઠોર અને હરિ પ્રસાદ મોહન તિલક લગાવવાની ના પાડી દે છે. જો કે, ટીમના બાકી સભ્ય તિકલ લગાવે છે અને કેટલાક સભ્ય ચશ્મા ઉતારીને પણ તિલક લગાવે છે.

યોગી દેવનાથ નામના યુઝરે લખ્યું કે, મોહમ્મદ સિરાજ અને ઉમરાન મલિક તિલક લગાવતા નથી કેમ કે તેઓ એ સ્તર પર પહોંચ્યા બાદ પણ પોતાના ધર્મ પ્રત્યે કટ્ટર છે. તો હવે ક્રિકેટ ફેન્સ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરીને ટીકાકારોને જડબાતોડ જવાબ આપી રહ્યા છે. એક યુઝર તસવીર શેર કરતા લખે છે કે આ તસવીર તેમના માટે છે જેમના પેટમાં કાલથી દુઃખાવો છે. તો રજત ગુપ્તા નામના યુઝરે લખ્યું કે, આને શેર નહીં કરો બસ #UmranMalik #Siraj.

About The Author

Related Posts

Top News

EV વાહન લેતા પહેલા વિચારજો... વિશ્વની મોટી કાર કંપનીઓએ EV ઉત્પાદન અટકાવવા વિચારણા શરૂ કરી

વૈશ્વિક ઓટોમોબાઈલ ઉદ્યોગ એક મહત્વપૂર્ણ વળાંક પર આવી ગયો છે. Honda, Ford, General Motors (GM), Stellantis અને Volkswagen જેવી પ્રતિષ્ઠિત...
Tech and Auto 
EV વાહન લેતા પહેલા વિચારજો... વિશ્વની મોટી કાર કંપનીઓએ EV ઉત્પાદન અટકાવવા વિચારણા શરૂ કરી

શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે

(ઉત્કર્ષ પટેલ) ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસકાંઠા જિલ્લાના થરાદ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય શંકરભાઈ લાઘડીરભાઈ ચૌધરી એક એવા વ્યક્તિ છે...
Opinion 
શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે

અચાનક એવું શું થયું કે સંસદમાં કાગળ ફેકનારા 7 સાંસદોનું સસ્પેન્શન સ્પીકરે રદ્દ કરી દીધું

લોકસભામાં કાગળો ફાડીને અધ્યક્ષ પર ફેંકવાની ઘટના બાદ, કોંગ્રેસના 7 સહિત આઠ વિપક્ષી સાંસદોને બજેટ સત્રના બાકીના સમય માટે...
Politics 
અચાનક એવું શું થયું કે સંસદમાં કાગળ ફેકનારા 7 સાંસદોનું સસ્પેન્શન સ્પીકરે રદ્દ કરી દીધું

વોટ્સએપ ચેટ્સના આધારે આવકવેરા વિભાગે આપી રૂ. 22 કરોડની ટેક્સ નોટિસ! કોર્ટે જાણો શું કર્યું

દિલ્હી સ્થિત આવકવેરા અપીલ ટ્રિબ્યુનલ (ITAT)એ આવકવેરા કેસમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જેમાં વોટ્સએપ ચેટ્સને આધાર...
Business 
વોટ્સએપ ચેટ્સના આધારે આવકવેરા વિભાગે આપી રૂ. 22 કરોડની ટેક્સ નોટિસ! કોર્ટે જાણો શું કર્યું

Opinion

શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે
(ઉત્કર્ષ પટેલ) ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસકાંઠા જિલ્લાના થરાદ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય શંકરભાઈ લાઘડીરભાઈ ચૌધરી એક એવા વ્યક્તિ છે જેમણે...
એક સમયે સાબરમતીથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી મોકલવું પડતું હતું, અને આજે...
ગુજરાતના પનોતા પુત્ર મુકેશ અંબાણી અને રિલાયન્સ ગ્રુપ અમેરિકામાં જઈને રોકાણ કરે તે દેશ અને ગુજરાત માટે ગર્વની વાત જ કહેવાય
બીપીનભાઈ પટેલ (ગોતા): સેવા, સમર્પણભાવ સાથે સહકારી અને કૃષિ વિકાસના કાર્યોમાં સક્રિય વ્યક્તિવ
કરસનભાઈ પટેલ: માત્ર એક ઉદ્યોગપતિ નથી, પરંતુ ગુજરાતના હજારો યુવાનો માટે પ્રેરણાનો અમર સ્તંભ છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.