ઓનલાઇન Rummyને લઈને સવાલ થયો તો ગુસ્સે થયો અશ્વિન, બોલ્યો- બેન છે તો..

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 16મી સીઝનમાં રોમાંચક મેચોનો દૌર ચાલી રહ્યો છે. આ સીઝનની 17મી મેચ મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીવાળી ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને વર્ષ 2008ની ચેમ્પિયન રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં લોકલ બોય રવિચંદ્રન અશ્વિને સારું પ્રદર્શન કર્યું હતું. ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન રાજસ્થાન રોયલ્સની ટીમનો હિસ્સો છે. આ મેચ અગાઉ રવિચંદ્રન અશ્વિને એક ઇવેન્ટમાં ભાગ લીધો હતો.

આ ઇવેન્ટ સમર ક્રિકેટ કેમ્પ સાથે જોડાયેલી એપ્સને લઈને હતી. આ ઇવેન્ટ દરમિયાન રવિચંદ્રન અશ્વિનને ઓનલાઇન ગેમ્બલિંગ અને Rummyને લઈને સવાલ પણ કરવામાં આવ્યો હતો, જેના પર તે ગુસ્સે ભરાઈ ગયો હતો. ક્રિકેટ સાથે જોડાયેલી ઓનલાઇન ગેમ્બલિંગ બાબતે સવાલ પૂછાતા અશ્વિને કહ્યું કે, શું તમે હકીકત જાણવા માગો છો કે હેડલાઇન ઈચ્છો છો? ઇવેન્ટ કોઈ બીજી વસ્તુ માટે આયોજિત કરવામાં આવી છે, આ મુદ્દાને અહી કેમ ઉઠાવવામાં આવી રહ્યો છે.

તેમણે કહ્યું કે, ‘ઓનલાઇન બાળકોના મેદાનમાં ન જવાનું કારણ છે. કોણે મોબાઈલ ફોનનો આવિષ્કાર કર્યો? જો આપણે મોબાઈલ ફોન લઈ લઈશું ત્યારે પણ બાળકો મેદાનમાં રમવા નહીં જાય. આપણે માત્ર રસપ્રદ સમાચાર જ કેમ જોઈએ છીએ? આમ તામિલનાડુમાં ગેમ્બલિંગ પર બેન છે. ફેન્ટસી એપ, ઓનલાઇન Rummy જેવી ગેમ રમવા પર 10 લાખ રૂપિયાના દંડ સાથે સાથે 3 વર્ષની સજાનું પ્રવધાન રાખવામાં આવ્યું છે. ઓનલાઇન ક્રિકેટ ગેમ્બલિંગને લઈને અશ્વિને કહ્યું કે, જો તેને પ્રતિબંધિત કરી દેવામાં આવી છે તો નહીં રમો. તમે કોઈ બીજી વસ્તુ માટે લાઇમલાઇટ ઈચ્છો છો.

અશ્વિને એમ પણ કહ્યું કે, એક સારી પહેલ દરમિયાન વિવાદ ઉત્પન્ન કરવું સરાહનીય નથી. હું અહીં કોઈ અન્ય મુદ્દાને લઈને પોતાના વિચાર રાખવા માટે આવ્યો છું, પરંતુ તમે મને વિવાદોમાં નાખવાનો પ્રયાસ કરી રહ્યા છો. એ ઉચિત નથી. આમ IPL મેચ ચાલી રહી છે. 12 એપ્રિલના રોજ ચેન્નાઈ અને રાજસ્થાન વચ્ચે રમાયેલી રોમાંચક મેચમાં રાજસ્થાને 3 રને જીત હાંસલ કરીને પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર સ્થાન મેળવી લીધું છે. મેચની વાત કરીએ તો ચેન્નાઈએ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા રાજસ્થાને સીમિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 175 રન બનાવ્યા હતા. તો ચેન્નાઈ સીમિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 172 રન જ બનાવી શકી.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.