બુમરાહને કમબેકમાં હજુ લાગી શકે છે ઘણો સમય, IPL-એશિયા કપમાં પણ રમવુ મુશ્કેલ

ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ઈજા હવે ટીમ ઈન્ડિયા અને ફેન્સ માટે ચિંતાનો વિષય બનતી જઈ રહી છે. બુમરાહ લાંબા સમયથી ટીમ ઈન્ડિયામાંથી બહાર ચાલી રહ્યો છે. તે T20 વર્લ્ડ કપ પણ ના રમ્યો. જોકે, IPL 2023માં તેના કમબેક કરવાની આશાઓ હતી પરંતુ, હવે સમાચાર એવા આવી રહ્યા છે કે તે IPL અને ત્યારબાદ જૂન મહિનામાં રમાનારી ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાંથી પણ બહાર રહી શકે છે. એશિયા કપમાં તેના પાછા આવવાની આશા છે.

જસપ્રીત બુમરાહની ઈજા શરૂઆતમાં જેટલી ગંભીર દેખાઈ રહી હતી તેના કરતા આ ઈજા અનેકગણી વધારે ગંભીર હોય તેવુ લાગી રહ્યું છે. તે આશા કરતા વધુ સમય સુધી ભારતીય ટીમમાંથી બહાર રહી શકે છે. IPL ની શરૂઆત એક મહિના બાદ થવાની છે અને આ ટૂર્નામેન્ટમાં તેનું રમવુ મુશ્કેલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCI અને IPL સાથે સંકળાયેલા લોકોએ સંકેત આપ્યા છે કે, આશરે પાંચ મહિનાથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી બહાર રહેલો બુમરાહ સહજ અનુભવ કરી રહ્યો નથી અને તે સંભવિત રૂપથી જ લાંબા સમય સુધી ટીમ ઈન્ડિયામાંથી બહાર રહી શકે છે.

ભારતીય ટીમ મેનેજમેન્ટ પણ બુમરાહના ટીમમાં પાછા આવવાને લઈને કોઈ ઉતાવળીયો નિર્ણય કરવા નથી માંગતું અને આ વર્ષે રમાનારા વનડે વર્લ્ડ કપ માટે તેને સંપૂર્ણરીતે ફિટ રાખવા માંગે છે. વનડે વર્લ્ડ કપ આ જ વર્ષે ભારતમાં જ ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં યોજાવાનો છે. આ પહેલા એશિયા કપ પણ રમવામાં આવશે. આ ટૂર્નામેન્ટ દ્વારા જસપ્રીત બુમરાહ કમબેક કરી શકે છે. બુમરાહ દેશ માટે છેલ્લીવાર ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ T20 માં ગત વર્ષે 25 સપ્ટેમ્બરે રમ્યો હતો. ત્યારબાદ જાન્યુઆરી મહિનામાં તેને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો હતો પરંતુ, તે કોઈપણ મેચ રમ્યા વિના જ ટીમમાંથી બહાર થઈ ગયો હતો.

શરૂઆતમાં માનવામાં આવી રહ્યું હતું કે, જસપ્રીત બુમરાહ IPL દ્વારા જ ફરી કમબેક કરશે. T20 ફોર્મેટમાં બોલરે એક મેચમાં ચાર ઓવર જ નાંખવાની હોય છે. એવામાં જસપ્રીત બુમરાહ ધીમે-ધીમે પૂરી ફિટનેસ મેળવી લેશે પરંતુ, એવુ નથી થયુ. હવે ટીમ મેનેજમેન્ટ તેના સંપૂર્ણરીતે ફિટ થયા બાદ જ તેને મેદાનમાં ઉતારવા માંગે છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.