બુમરાહને કમબેકમાં હજુ લાગી શકે છે ઘણો સમય, IPL-એશિયા કપમાં પણ રમવુ મુશ્કેલ

ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ઈજા હવે ટીમ ઈન્ડિયા અને ફેન્સ માટે ચિંતાનો વિષય બનતી જઈ રહી છે. બુમરાહ લાંબા સમયથી ટીમ ઈન્ડિયામાંથી બહાર ચાલી રહ્યો છે. તે T20 વર્લ્ડ કપ પણ ના રમ્યો. જોકે, IPL 2023માં તેના કમબેક કરવાની આશાઓ હતી પરંતુ, હવે સમાચાર એવા આવી રહ્યા છે કે તે IPL અને ત્યારબાદ જૂન મહિનામાં રમાનારી ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાંથી પણ બહાર રહી શકે છે. એશિયા કપમાં તેના પાછા આવવાની આશા છે.

જસપ્રીત બુમરાહની ઈજા શરૂઆતમાં જેટલી ગંભીર દેખાઈ રહી હતી તેના કરતા આ ઈજા અનેકગણી વધારે ગંભીર હોય તેવુ લાગી રહ્યું છે. તે આશા કરતા વધુ સમય સુધી ભારતીય ટીમમાંથી બહાર રહી શકે છે. IPL ની શરૂઆત એક મહિના બાદ થવાની છે અને આ ટૂર્નામેન્ટમાં તેનું રમવુ મુશ્કેલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCI અને IPL સાથે સંકળાયેલા લોકોએ સંકેત આપ્યા છે કે, આશરે પાંચ મહિનાથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી બહાર રહેલો બુમરાહ સહજ અનુભવ કરી રહ્યો નથી અને તે સંભવિત રૂપથી જ લાંબા સમય સુધી ટીમ ઈન્ડિયામાંથી બહાર રહી શકે છે.

ભારતીય ટીમ મેનેજમેન્ટ પણ બુમરાહના ટીમમાં પાછા આવવાને લઈને કોઈ ઉતાવળીયો નિર્ણય કરવા નથી માંગતું અને આ વર્ષે રમાનારા વનડે વર્લ્ડ કપ માટે તેને સંપૂર્ણરીતે ફિટ રાખવા માંગે છે. વનડે વર્લ્ડ કપ આ જ વર્ષે ભારતમાં જ ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં યોજાવાનો છે. આ પહેલા એશિયા કપ પણ રમવામાં આવશે. આ ટૂર્નામેન્ટ દ્વારા જસપ્રીત બુમરાહ કમબેક કરી શકે છે. બુમરાહ દેશ માટે છેલ્લીવાર ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ T20 માં ગત વર્ષે 25 સપ્ટેમ્બરે રમ્યો હતો. ત્યારબાદ જાન્યુઆરી મહિનામાં તેને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો હતો પરંતુ, તે કોઈપણ મેચ રમ્યા વિના જ ટીમમાંથી બહાર થઈ ગયો હતો.

શરૂઆતમાં માનવામાં આવી રહ્યું હતું કે, જસપ્રીત બુમરાહ IPL દ્વારા જ ફરી કમબેક કરશે. T20 ફોર્મેટમાં બોલરે એક મેચમાં ચાર ઓવર જ નાંખવાની હોય છે. એવામાં જસપ્રીત બુમરાહ ધીમે-ધીમે પૂરી ફિટનેસ મેળવી લેશે પરંતુ, એવુ નથી થયુ. હવે ટીમ મેનેજમેન્ટ તેના સંપૂર્ણરીતે ફિટ થયા બાદ જ તેને મેદાનમાં ઉતારવા માંગે છે.

About The Author

Top News

હું ભગવાનમાં માનતો નથી, હું દશરથના માર્ગે ચાલું છુંઃ કમલ હાસન

દક્ષિણ અભિનેતા કમલ હાસન આ દિવસોમાં તેમની આગામી ફિલ્મ 'ઠગ લાઈફ'ને લઈને સમાચારમાં છે. અભિનેતા તેના પ્રમોશનમાં...
Entertainment 
હું ભગવાનમાં માનતો નથી, હું દશરથના માર્ગે ચાલું છુંઃ કમલ હાસન

સુરતના પ્રસિદ્ધ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડૉ. જેની ગાંધી મુખ્યમંત્રી દ્વારા સન્માનિત

સુરત: ગુજરાત અને સુરતના જાણીતા ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડૉ. જેની ગાંધીને ન્યુરોવાસ્ક્યુલર અને પેરિફેરલ વાસ્ક્યુલર ઇન્ટરવેન્શન રેડિયોલોજીના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન બદલ...
Gujarat 
સુરતના પ્રસિદ્ધ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડૉ. જેની ગાંધી મુખ્યમંત્રી દ્વારા સન્માનિત

ડૉ. ગૌરવ ખંડેલવાલનું સ્પાઈન સર્જરીના ક્ષેત્રમાં મુખ્યમંત્રીએ કર્યું બહુમાન

સુરતઃ શેલ્બી હોસ્પિટલ્સ લિમિટેડ, સુરતના સ્પાઈન સર્જરી વિભાગના વડા ડૉ. ગૌરવ ખંડેલવાલ દેશના અગ્રણી સ્પાઈન સર્જન તરીકે ઓળખાય છે. તેમણે...
Gujarat 
ડૉ. ગૌરવ ખંડેલવાલનું સ્પાઈન સર્જરીના ક્ષેત્રમાં મુખ્યમંત્રીએ કર્યું બહુમાન

કોંગ્રેસના સમય કરતા 3 ગણી MSP મોદી સરકાર ચૂકવે છે છતા ખેડૂતો કેમ વિરોધ કરે છે?

ખેડૂતોના પાકને માટે મિનીમમ સપોર્ટ પ્રાઇસ (MSP) ખેડૂતો માટે વર્ષોથી સૌથી મોટો મુદ્દો રહ્યો છે અને હવે રાજકારણનું મોટું...
National 
કોંગ્રેસના સમય કરતા 3 ગણી MSP મોદી સરકાર ચૂકવે છે છતા ખેડૂતો કેમ વિરોધ કરે છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.