ભારતીય ટીમ પર ગુસ્સે થયા સુનિલ ગાવસ્કર, બોલ્યા- પોતાની ટીમથી રમવું..

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સીરિઝની પહેલી ટેસ્ટમાં ભારતીય ટીમને એક ઇનિંગ અને 32 રનથી નિરાશાજનક હારનો સામનો કરવો પડ્યો હતો. રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રીત બૂમરાહ જેવા સીનિયર ખેલાડી ICC વર્લ્ડ કપ 2023 બાદ મેદાન પર વાપસી કરી રહ્યા છે. આ ત્રણેય જ દક્ષિણ આફ્રિકા સામેની વન-ડે સીરિઝ દરમિયાન દક્ષિણ આફ્રિકા પહોંચી ચૂક્યા હતા. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ અગાઉ ભારતીય ટીમે ઇન્ટ્રા સ્ક્વોડ મેચ રમી હતી, તેને લઈને પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કર ખૂબ નિરાશ છે.

સુનિલ ગાવસ્કરે કહ્યું કે, પોતાની ટીમ સાથે મેચ રમવું મજાક છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્ક મેદાન પર રમાયેલી પહેલી ટેસ્ટ મેચ 3 દિવસની અંદર જ સમાપ્ત થઈ ગઈ. સુનિલ ગાવસ્કરે સ્ટાર સ્પોર્ટ્સ પર વાત કરતા કહ્યું કે, ‘ભારતીય ટીમ માટે પ્રેક્ટિસ મેચ રમવી જરૂરી હતી, તમે ત્યાં કોઈ મેચ ન રમી અને એ વાતથી તમને વધુ નુકસાન પહોંચ્યું છે. તમે સીધા ટેસ્ટ મેચથી શરૂ નહીં કરી શકો. તમે India-Aને મોકલી, પરંતુ Indiaએ પ્રવાસ અગાઉ આવવું જોઈતું હતું. તમારા પોતાના ફાસ્ટ બોલર તમને તેજ બાઉન્સર નહીં ફેંકે.

ભારતીય ટીમ પહેલી ટેસ્ટ મેચમાં બંને ઇનિંગમાં બેટિંગમાં સંઘર્ષ કરતી નજરે પડી. ભારતીય ટીમ તરફથી પહેલી ટેસ્ટ મેચમાં કે.એલ. રાહુલે 101 રનોની ઇનિંગ રમી હતી. તો વિરાટ કોહલીએ 36 રનોનું યોગદાન આપ્યું હતું, પરંતુ આ બંને સિવાય કોઈ પણ બેટ્સમેન દક્ષિણ આફ્રિકન પેસ એટેક સામે ટકી ન શક્યો. ભારતીય ટીમ બીજી ઇનિંગમાં તો માત્ર 131 રનો પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી.

આ હાર બાદ ભારતીય ટીમનું દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ આફ્રિકામાં ટેસ્ટ મેચ જીતવાનું સપનું પણ અધૂરું રહી ગયું. ભારતીય ટીમ તો આ મેચમાં હારી જ પરંતુ, મેચ બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ભારતીય ટીમને 340 વૉલ્ટનો ઝટકો આપ્યો છે. ICCએ ભારતીય ટીમને દંડ ફટકાર્યો છે. ICCએ મેચ બાદ ભારતીય ટીમ પર દંડ ફટકાર્યો છે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ભારતીય ટીમે ધીમી ઓવર નાખી હતી. તેને જોતા ICCએ અનુચ્છેદ 2.22 હેઠળ ભારતના બધા ખેલાડીઓની મેચ ફીસમાં 10 ટકાની કપાત કરી છે. ભારતીય ટીમે હવે સીરિઝની આગામી ટેસ્ટ મેચ કેપ્ટાઉનમાં 3 જાન્યુઆરી 2024થી રમવાની છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.