ગંભીરના વર્તનથી ભડક્યો ઇંગ્લેન્ડનો પૂર્વ ખેલાડી, કહ્યું- શા માટે કોચ પણ તેમા...

વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરની વચ્ચે થયેલી જીભાજોડીએ સમગ્ર ક્રિકેટ જગતને ચોંકાવી દીધુ છે. ગંભીર-કોહલીએ જે હરકત કરી છે, તેને લઇને પૂર્વ ક્રિકેટર હવે પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે. હવે ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વૉને પણ પોતાનો અભિપ્રાય આ મામલામાં આપ્યો છે. ક્રિકબઝની સાથે વાત કરતા વૉને ખાસ કરીને ગૌતમ ગંભીરની હરકતને ખોટી ગણાવી છે. વૉને કહ્યું કે, ખેલાડીઓનું ગેમ દરમિયાન એકબીજા સાથે બહેશ કરવાનું ચાલતું રહે છે. મોર્ડન ક્રિકેટમાં હવે આ સામાન્ય વાત બની ગઈ છે, પરંતુ કોચનું આ પ્રકારે આ મામલામાં પડવું ચોંકાવનારું છે.

પૂર્વ ઇંગ્લેન્ડ કેપ્ટને આગળ પોતાની વાત રજૂ કરતા કહ્યું કે, મને ખેલાડીઓના નાના-નાના ટકરાવોથી કોઈ ફરક નથી પડતો. આ માત્ર ગેમ છે. તમે તેને દરરોજ જોવા નથી માંગતા પરંતુ, મને કોચને તેમા સામેલ થતા જોવુ પસંદ નથી. હું એ નથી જોતો કે કોચ અથવા કોચિંગ વિભાગનો કોઈપણ હિસ્સો ગેમમાં શા માટે સામેલ થઈ રહ્યો છે. મેદાન પર જે થાય છે તે મેદાન પર રહે છે. જો બે ખેલાડીઓની વચ્ચે કોઈ બહેસ થાય છે, તો તેમણે તેને સોલ્વ કરવાની જરૂર છે. કોચોનું કામ ખેલાડીઓના મતભેદમાં પોતાને સામેલ કરવાનું નહીં પરંતુ, ડગઆઉટ અથવા ડ્રેસિંગ રૂમમાં રહીને રણનીતિઓને બનાવવાનું છે.

જણાવી દઈએ કે, લખનૌ અને બેંગ્લોરની વચ્ચે રમાયેલી મેચ બાદ ગંભીર અને કોહલી એકબીજા સાથે ઝઘડી પડ્યા હતા. સોશિયલ મીડિયા પર તેને લઇને બવાલ મચી ગઈ હતી. ફેન્સ પણ આ લડાઈને લઈ પોતપોતાની વાતો સોશિયલ મીડિયા પર દેખાઈ રહ્યા હતા. BCCIએ કોહલી-ગંભીર અને નવીન ઉલ હક પર એક્શન લેતા ત્રણેય ખેલાડીઓ પર દંડ લગાવી દીધો હતો. કોહલી અને ગંભીર પર મેચ ફીના 100 ટકા દંડ લગાવવામાં આવ્યો જ્યારે નવીન પર 50 ટકા દંડ લગાવવામાં આવ્યો છે.

કોહલી અને ગંભીર વચ્ચે IPL 2013 સિઝનમાં પણ બોલાચાલી થઈ ચુકી છે. ત્યારે ગૌતમ ગંભીર કોલકાતા નાઇટ રાઇડર્સનો કેપ્ટન હતો. પરંતુ, આ વખતે તે લખનૌ ટીમનો મેન્ટર છે. તેમજ આ IPLમાં ગંભીર અને વિરાટ કોહલી એકબીજાને ગળે મળતા પણ દેખાયા હતા. આ નજારો ત્યારનો છે જ્યારે લખનૌએ બેંગલુરુને 10 એપ્રિલે હરાવી હતી.

About The Author

Related Posts

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.