સૂર્યકુમાર યાદવ સાથે તુલના કરવા પર ભડક્યો પાકિસ્તાનનો આ યંગ બેટ્સમેન

ICC મેન્સ ઈમર્જિંગ એશિયા કપ 2023ની અંતિમ લીગ મેચ 19 જુલાઈના રોજ ભારત A અને પાકિસ્તાન Aની વચ્ચે રમાવા જઇ રહી છે. આ મેચ પહેલા પાકિસ્તાન A ટીમના યુવા બેટ્સમેન અને કેપ્ટને એક મોટું નિવેદન આપ્યું છે.

પાકિસ્તાન A ટીમે નેપાળ અને UAE સામે પહેલી બે મેચ જીતીને સેમીફાઈનલમાં પોતાની જગ્યા બનાવી લીધી હતી. તો ભારતીય A ટીમ પણ બે મેચમાં જીત હાંસલ કરીને સેમીફાઈનલમાં પહોંચી ગઇ છે. એવામાં ભારત A અને પાકિસ્તાન Aની મેચ પહેલા પાકિસ્તાન ટીમના યુવા કેપ્ટન મોહમ્મદ હારિસે ભારતીય ટીમના મિડલ ઓર્ડર બેટ્સમેન સૂર્યકુમાર યાદવને લઈ મોટું નિવેદન આપ્યું છે.

જણાવીએ કે, હારિસે અત્યાર સુધીમાં મેદાન પર એવા ઘણાં શોટ્સ રમ્યા છે, તેને જોઈ કોઈપણ તેને મિસ્ટર 360 ડિગ્રી અને સૂર્યકુમાર યાદવ સાથે તુલના કરી રહ્યા છે. જે હારિસને પસંદ આવ્યું નથી.

એક ઈન્ટરવ્યૂમાં મોહમ્મદ હારિસે પોતાની બેટિંગ શૈલી અને તે કઈ રીતે રમે છે તેના પર પ્રતિક્રિયા આપી. તેને જ્યારે એ પૂછવામાં આવ્યું કે, ભારતના ટી20 સુપરસ્ટાર સૂર્યકુમાર યાદવ સાથે તુલના કરતા તેને પાકિસ્તાનનો 'સૂર્ય' કહેવામાં આવે છે. તો તેના પર હારિસે કહ્યું કે, મારી તુલના સૂર્યા સાથે કરવી જોઇએ નહીં. સૂર્યકુમાર યાદવ 32-33 વર્ષનો છે અને હું 22 વર્ષનો છું. તેમના લેવલ સુધી પહોંચવા માટે મારે હજુ ઘણું કામ કરવાનું રહેશે. સૂર્યાનું પોતાનું અલગ લેવલ છે. ડિવિલિયર્સનું પોતાનું લેવલ છે. હું મારા લેવલ પર બરાબર છું. હું 360 ડિગ્રી ક્રિકેટર તરીકે પોતાનું નામ બનાવવા માગુ છું. નહીં કે તેના નામનો ઉપયોગ કરવા માગું છું. જણાવીએ કે, મોહમ્મદ હારિસને 360 ડિગ્રી ખેલાડી તરીકે ઓળખવામાં આવે છે.

ખેર, આ ટૂર્નામેન્ટની વાત કરીએ તો, ભારત-A ની કેપ્ટન્સી યશ ઢુલ કરી રહ્યો છે. જે સારા ફોર્મમાં ચાલી રહ્યો છે. તે આ ટૂર્નામેન્ટમાં સદી પણ ફટકારી ચૂક્યો છે. ભારત A અને પાકિસ્તાન A વચ્ચેની આ મેચ 19 જૂલાઈના રોજ રમાશે. જે કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. ભારતીય સમય અનુસાર મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે. જેને સ્ટાર સ્પોર્ટ્સ પર જોઇ શકાશે.

About The Author

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.