વન-ડે વર્લ્ડ કપને લઈને મોટું અપડેટ, આ 2 શહેરોમાં થઈ શકે છે સેમીફાઈનલ

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) વન-ડે વર્લ્ડ કપ આ વર્ષે ભારતની મેજબાનીમાં આયોજિત થવાનો છે, જેનું શેડ્યૂલ 27 જૂન એટલે કે આજે જાહેર થઈ શકે છે, પરંતુ આ અગાઉ વર્લ્ડ કપને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. આ વખત સેમીફાઈનલ મેચ ક્યાં રમશે તેને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. આ વખત સેમીફાઇનલ મેચ ક્યાં રમાશે તેનો ખુલાસો થયો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ વખત વન-ડે વર્લ્ડ કપ દરમિયાન સેમીફાઇનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થવાનું સંભવ દેખાઈ રહ્યું નથી. આ જાણકારી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અધિકારીએ આપી છે.

ફેન્સને આશા હતી કે એક સેમીફાઇનલ મેચ તો અમદાવાદમાં જરૂર થઈ શકે છે, પરંતુ તેમની આશાઓ પર પાણી ફરતું નજરે પડી રહ્યું છે. આ બંને સેમીફાઈનલ ક્યાં રમાશે તેનો ખુલાસો પણ કર્યો છે. જાણકારો મુજબ, વન-ડે વર્લ્ડ કપ 2023માં એક સેમીફાઈનલ મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં રમાઈ શકે છે, જ્યારે બીજી સેમીફાઇનલ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ક્રિકેટ ઇતિહાસમાં એમ પહેલી વખત થઈ રહ્યું છે, જ્યારે આખો વર્લ્ડ કપ જ ભારતમાં રમાશે.

વન-ડે વર્લ્ડ કપની શરૂઆત 5 ઓક્ટોબરથી અમદાવાદમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ અને ગત વખતની રનર્સઅપ ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ થશે. તો ભારતીય ટીમ પોતાની પહેલી મેચ 8 ઓક્ટોબરના રોજ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચેન્નાઈમાં રમશે. વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 15 ઑક્ટોબરના રોજ (રવિવાર) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ વખત વર્લ્ડ કપમાં કુલ 10 ટીમો વચ્ચે 48 મેચોનું આયોજન થશે. ભારત, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા પહેલા જ આ મેગા ઇવેન્ટ માટે ક્વાલિફાઈ થઈ ચૂક્યા છે.

તો બાકી 2 ટીમોનો નિર્ણય ઝિમ્બાબ્વેમાં આ મહિને શરૂ થનારા ક્વાલિફાઇંગ ટૂર્નામેન્ટ દ્વારા થશે. ક્વાલિફાઇંગ ટૂર્નામેન્ટમાં વેસ્ટ ઇન્ડીઝ, શ્રીલંકા, નેધરલેન્ડ, આયરલેન્ડ, નેપાળ, ઓમાન, સ્કોટલેન્ડ, સંયુક્ત અરબ અમીરાત (UAE) અને ઝીમ્બાબ્વે સામેલ છે. વર્ષ 2019માં વન-ડે વર્લ્ડ કપની જેમ આ વખત પણ મેચ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાશે. જ્યાં દરેક ટીમ બીજા વિરુદ્ધ એક વખત રમશે, એટલે કે ગ્રુપ સ્ટેજની સમાપ્તિ બાદ બધી ટીમો 9-9 મેચો રમી ચૂકી હશે. ગ્રુપ સ્ટેજમાં ટોપ-4 ટીમો સેમીફાઈનલ મેચમાં સામસામે હશે.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.