મોહમ્મદ નબીનો ચોંકાવનારો ખુલાસો- કોઇ પણ ખેલાડી IPLની આ ટીમ માટે રમવા માગતો નહોતો

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ટીમને લઇને પૂર્વ ઓલરાઉન્ડર મોહમ્મદ નબીએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. મોહમ્મદ નબીએ કહ્યું કે, હાલના વર્ષોમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો માહોલ એટલો ખરાબ હતો કે કોઇ પણ ટીમ માટે રમવા માગતું નહોતું. મોહમ્મદ નબીના જણાવ્યા મુજબ, ઘણા ખોટા નિર્ણય ટીમ મેનેજમેન્ટ દ્વારા લેવામાં આવ્યા. સનરાઇઝર્સ હૈદરાબાદે વર્ષ 2016માં IPL ટ્રોફી જીતી હતી. એ સમયે ટીમમાં ડેવિડ વોર્નર અને શિખર ધવન જેવા દિગ્ગજ ક્રિકેટર હતા.

ડેવિડ વોર્નર ટીમનો કેપ્ટન પણ હતો. જો કે, છેલ્લી કેટલીક સીઝન દરમિયાન આ ખેલાડીઓને ટીમમાંથી રીલિઝ કરી દેવામાં આવ્યા અને ટીમનું પ્રદર્શન પણ એવું ન રહ્યું. મોહમ્મદ નબીના જણાવ્યા મુજબ, ટીમનો માહોલ ખૂબ ખરાબ થઇ ગયો હતો અને કોઇ પણ રમવા માગતું નહોતું. એક સ્પોર્ટ્સ વેબસાઇટ સાથે વાતચીત કરવા દરમિયાન મોહમ્મદ નબીએ કહ્યું કે, જ્યારે અમે વર્ષ 2017માં સનરાઇઝર્સ હૈદરાબાદમાં આવ્યા અને જે પ્રકારે અમે આગામી 3 વર્ષો સુધી રમ્યા, ટીમ કોમ્બિનેશનથી લઇને પ્રદર્શન સુધી બધુ યોગ્ય હતું.

તેણે આગળ કહ્યું કે, ત્યારબાદ છેલ્લા 2 વર્ષોમાં ટીમને ખબર નહીં શું થઇ ગયું અને તે કોણે અને કેમ કર્યું મને ખબર નથી. ટીમ કોમ્બિનેશનથી લઇને કોચિંગ સ્ટાફ અને ટીમનો માહોલ બધુ જ ચેન્જ થઇ ગયું. મોહમ્મદ નબીએ રાશિદ ખાને ડેવિડ વોર્નર જેવા ખેલાડીઓને બહાર કરવાના નિર્ણય પર પણ સવાલ ઉઠાવ્યા. તેણે કહ્યું કે, સનરાઇઝર્સ હૈદરાબાદ જેવી મોટી ફ્રેન્ચાઇઝીએ ટીમ બનાવવા બાબતે વિચારવું જોઇએ, ન કે તેને તબાહ કરવી જોઇએ. તેમણે અચાનક મોટા બદલાવ કરવાની જગ્યાએ ધીરે-ધીરે ટીમને બનાવવી જોઇએ.

મોહમ્મદ નબીએ કહ્યું કે, રાશિદ ખાનને તેમણે જવા દીધો, જે 5 વર્ષ સુધી ટીમનો બ્રાન્ડ રહ્યો હતો. ન માત્ર રાશિદ ખાન, પરંતુ અન્ય મોટા ખેલાડીઓને પણ રીલિઝ કરી દીધા. તેમણે એમ કરવું જોઇતું નહોતું. મને સમજ પડી રહી નથી કે તેઓ શું ઇચ્છતા હતા. સનરાઇઝર્સ હૈદરાબાદ માટે IPL 2021માં ડેવિડ વોર્નર કેપ્ટન હતો. એ સીઝનમાં ટીમના ખરાબ પ્રદર્શનના કારણે ડેવિડ વોર્નરને કેપ્ટન્સીમાંથી હટાવી દેવામાં આવ્યો હતો. સાથે જ તેને ટીમમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યો. રાશિદ ખાન જેવા T20 સ્પેશિયાલિસ્ટ બોલરને પણ રીલિઝ કરી દીધો હતો.

About The Author

Related Posts

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.