રસ્તાઓ જામ-સ્ટેડિયમ ભરાઈ ગયું, ચાહકો ઝાડ પર ચઢ્યા, જુઓ ક્રિકેટ પ્રત્યેનો ક્રેઝ

ક્રિકેટની દુનિયામાં કેટલીક એવી મેચો છે, ચાહકો તે મેચનો સ્ટેડિયમમાં બેસીને આનંદ માણવા માંગે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની સ્પર્ધા પણ આવી જ છે, આ બંને ટીમો વચ્ચેની સ્પર્ધા જોવા માટે ચાહકો દુનિયાના કોઈપણ ખૂણે પહોંચવા તૈયાર છે. ભારત-પાકની દરેક મેચમાં સ્ટેડિયમ ભરાયેલું રહે છે. જો કે, આ બે દેશો સિવાય અન્ય દેશોની મેચોમાં ચાહકોની ભીડ ઓછી રહે છે, પરંતુ હવે એક એવી મેચ પણ સામે આવી છે, જેનો ક્રેઝ ચાહકોમાં એટલો બધો હતો કે સ્ટેડિયમ ભરાઈ ગયા બાદ ચાહકો ઝાડ પર ચડીને મેચની મજા માણવા લાગ્યા.

આ મેચ નેપાળ અને UAE વચ્ચે ત્રિભુવન યુનિવર્સિટી ઈન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ, કીર્તિપુર, નેપાળ ખાતે રમાઈ હતી. આ મેચ માટે ચાહકોમાં એવો ક્રેઝ જોવા મળ્યો કે, જ્યારે સ્ટેડિયમમાં જગ્યા બચી ન હતી ત્યારે લોકો સ્ટેડિયમની બહાર ઝાડ પર ચઢીને મેચની મજા માણવા લાગ્યા હતા. મેચ જોવા માટે ચાહકોની એટલી ભીડ હતી કે, સ્ટેડિયમની બહારના રસ્તાઓ પણ જામ થઈ ગયા હતા. આ મેચમાં દર્શકોની ભીડની તસવીરો અને વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

મહત્વની વાત એ છે કે આ મેચ જોવા માટે કેટલા ચાહકો પહોંચ્યા હતા તે જાણી શકાયું નથી, પરંતુ તસવીરો અને વીડિયો જોઈને ઘણા ચાહકો કહી રહ્યા છે કે, જો પ્રશંસકોની ગણતરી કરવામાં આવે તો આ એક રેકોર્ડ બની શક્યો હોત.

ICC ક્રિકેટ વર્લ્ડ કપ લીગ ટુ 2019-2023ની છઠ્ઠી મેચ નેપાળની ટીમ UAE સાથે રમી હતી. આ મેચમાં યજમાન નેપાળની ટીમે ડકવર્થ-લુઈસ પદ્ધતિથી 9 વિકેટે જીત મેળવી હતી અને આ ટીમ ICC ODI વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં પહોંચી હતી. મેચ જોવા માટે ક્રિકેટ ચાહકોની ભીડ મેદાનમાં ઉમટી પડી હતી. હાલત એવી હતી કે, જે ક્રિકેટ ચાહકો મેદાનમાં ન પહોંચી શક્યા તેઓ ગ્રાઉન્ડની આસપાસના ઝાડ પર ચઢી ગયા અને ત્યાંથી મેચની મજા માણી હતી. નેપાળમાં ક્રિકેટ પ્રત્યેનો આ પ્રકારનો ક્રેઝ ચાહકોમાં જોવા મળવો એ આ રમતના દૃષ્ટિકોણથી અદ્ભુત છે.

નેપાળ અને UAE વચ્ચે રમાયેલી મેચમાં UAEએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. UAEનો આ નિર્ણય સારો સાબિત થયો અને આ ટીમે 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 310 રન બનાવ્યા. નેપાળને જીતવા માટે 311 રનનો ટાર્ગેટ હતો, પરંતુ આ ટીમે 44 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 269 રન બનાવ્યા હતા. આ પછી વરસાદના કારણે ડકવર્થ લુઈસ નિયમ અનુસાર મેચને 44 ઓવરની કરવામાં આવી અને નેપાળને જીતવા માટે 261 રનનો ટાર્ગેટ મળ્યો. નેપાળ પહેલા જ આ સ્કોર પાર કરી ચૂક્યું હતું અને પછી નિયમો અનુસાર આ ટીમ 9 વિકેટે જીતી ગઈ હતી.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 14-03-2025 વાર- શનિવાર  મેષ -  સંતાનો પ્રત્યે ચિંતા રહે, ધારેલો લાભ દૂર જતો લાગે, ભગવાન શિવના જાપ કરવાથી શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

દેશભરમાં કામ કરતી મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ માટે ફરજિયાત માસિક રજાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે...
National 
પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં આખું વિશ્વ પિસાઈ રહ્યું...
Gujarat 
LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

ગુજરાતમાં જાણીતી મહિલા કલાકારોના આંતરજ્ઞાતીય લગ્નોને લઈને વિવાદોનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. અગાઉ કિંજલ દવે અને આરતી સાંગાણીના...
Gujarat 
લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.