રસ્તાઓ જામ-સ્ટેડિયમ ભરાઈ ગયું, ચાહકો ઝાડ પર ચઢ્યા, જુઓ ક્રિકેટ પ્રત્યેનો ક્રેઝ

ક્રિકેટની દુનિયામાં કેટલીક એવી મેચો છે, ચાહકો તે મેચનો સ્ટેડિયમમાં બેસીને આનંદ માણવા માંગે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની સ્પર્ધા પણ આવી જ છે, આ બંને ટીમો વચ્ચેની સ્પર્ધા જોવા માટે ચાહકો દુનિયાના કોઈપણ ખૂણે પહોંચવા તૈયાર છે. ભારત-પાકની દરેક મેચમાં સ્ટેડિયમ ભરાયેલું રહે છે. જો કે, આ બે દેશો સિવાય અન્ય દેશોની મેચોમાં ચાહકોની ભીડ ઓછી રહે છે, પરંતુ હવે એક એવી મેચ પણ સામે આવી છે, જેનો ક્રેઝ ચાહકોમાં એટલો બધો હતો કે સ્ટેડિયમ ભરાઈ ગયા બાદ ચાહકો ઝાડ પર ચડીને મેચની મજા માણવા લાગ્યા.

આ મેચ નેપાળ અને UAE વચ્ચે ત્રિભુવન યુનિવર્સિટી ઈન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ, કીર્તિપુર, નેપાળ ખાતે રમાઈ હતી. આ મેચ માટે ચાહકોમાં એવો ક્રેઝ જોવા મળ્યો કે, જ્યારે સ્ટેડિયમમાં જગ્યા બચી ન હતી ત્યારે લોકો સ્ટેડિયમની બહાર ઝાડ પર ચઢીને મેચની મજા માણવા લાગ્યા હતા. મેચ જોવા માટે ચાહકોની એટલી ભીડ હતી કે, સ્ટેડિયમની બહારના રસ્તાઓ પણ જામ થઈ ગયા હતા. આ મેચમાં દર્શકોની ભીડની તસવીરો અને વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

મહત્વની વાત એ છે કે આ મેચ જોવા માટે કેટલા ચાહકો પહોંચ્યા હતા તે જાણી શકાયું નથી, પરંતુ તસવીરો અને વીડિયો જોઈને ઘણા ચાહકો કહી રહ્યા છે કે, જો પ્રશંસકોની ગણતરી કરવામાં આવે તો આ એક રેકોર્ડ બની શક્યો હોત.

ICC ક્રિકેટ વર્લ્ડ કપ લીગ ટુ 2019-2023ની છઠ્ઠી મેચ નેપાળની ટીમ UAE સાથે રમી હતી. આ મેચમાં યજમાન નેપાળની ટીમે ડકવર્થ-લુઈસ પદ્ધતિથી 9 વિકેટે જીત મેળવી હતી અને આ ટીમ ICC ODI વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં પહોંચી હતી. મેચ જોવા માટે ક્રિકેટ ચાહકોની ભીડ મેદાનમાં ઉમટી પડી હતી. હાલત એવી હતી કે, જે ક્રિકેટ ચાહકો મેદાનમાં ન પહોંચી શક્યા તેઓ ગ્રાઉન્ડની આસપાસના ઝાડ પર ચઢી ગયા અને ત્યાંથી મેચની મજા માણી હતી. નેપાળમાં ક્રિકેટ પ્રત્યેનો આ પ્રકારનો ક્રેઝ ચાહકોમાં જોવા મળવો એ આ રમતના દૃષ્ટિકોણથી અદ્ભુત છે.

નેપાળ અને UAE વચ્ચે રમાયેલી મેચમાં UAEએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. UAEનો આ નિર્ણય સારો સાબિત થયો અને આ ટીમે 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 310 રન બનાવ્યા. નેપાળને જીતવા માટે 311 રનનો ટાર્ગેટ હતો, પરંતુ આ ટીમે 44 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 269 રન બનાવ્યા હતા. આ પછી વરસાદના કારણે ડકવર્થ લુઈસ નિયમ અનુસાર મેચને 44 ઓવરની કરવામાં આવી અને નેપાળને જીતવા માટે 261 રનનો ટાર્ગેટ મળ્યો. નેપાળ પહેલા જ આ સ્કોર પાર કરી ચૂક્યું હતું અને પછી નિયમો અનુસાર આ ટીમ 9 વિકેટે જીતી ગઈ હતી.

About The Author

Related Posts

Top News

‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Entertainment 
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
Gujarat 
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.