રોહિત મેદાન બહાર પણ એવું કામ કરે છે જે જાણીને તમે કહેશો વાહ

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા તેની જોરદાર બેટિંગ માટે જાણીતો છે. તેણે પોતાની વિસ્ફોટક બેટિંગથી ટીમ ઈન્ડિયાને ઘણી વખત જીત અપાવી છે. તે લાંબા ચોગ્ગા અને છગ્ગા ફટકારવા માટે જાણીતો છે. રોહિત શર્માને આખી દુનિયા હિટમેન તરીકે ઓળખે છે.

તે મેદાનમાં જેટલો આક્રમક દેખાય છે, તેટલો જ રિયલ લાઈફમાં તે ખૂબ જ નરમ દિલનો છે. ટીમ ઈન્ડિયાનો આ ઓપનિંગ બેટ્સમેન સામાજિક કાર્યોમાં પણ આગળ છે. તેણે આ દુનિયાને સુંદર બનાવવા માટે ઘણી વખત ઘણા સારા સારા કામો કર્યા છે. તો ચાલો આ બાબતે આજે અમે તમને જણાવીએ કે, રોહિતે દુનિયાને રહેવા લાયક બનાવવા માટે કયા કયા ઉમદા કાર્યો કર્યા છે.

સમગ્ર વિશ્વ પ્લાસ્ટિકના કચરાની સમસ્યા સામે ઝઝૂમી રહ્યું છે. જ્યારે આ પ્લાસ્ટિક દરિયામાં જાય છે ત્યારે તે માત્ર દરિયાઈ જીવો માટે જ નહીં પરંતુ આપણા માટે પણ ખતરો બની જાય છે. તેને ઘટાડવા માટે રોહિત શર્માએ એડિડાસ સાથે મળીને ખાસ કપડાં લોન્ચ કર્યા. આ ખાસ કપડાં પ્લાસ્ટિકના કચરાનું રિસાયકલ કરીને બનાવવામાં આવ્યા હતા.

 
 
 
View this post on Instagram

A post shared by adidas India (@adidasindia)

રોહિત શર્માએ PETA સાથે મળીને બેઘર બિલાડીઓ અને કૂતરાઓની નસબંધી માટે અભિયાન શરૂ કર્યું હતું. તેમની સંખ્યાને નિયંત્રિત કરીને, બેઘર પ્રાણીઓની સમસ્યા હલ કરી શકાય છે. આ માટે તેણે એક જાહેરાત શૂટ કરી હતી. તેમજ રખડતા પશુઓને નુકશાન ન કરવા અપીલ કરી હતી.

રોહિત શર્માએ કેન્યામાં જંગલી પ્રાણીઓને બચાવવા માટે શિકાર વિરોધી અભિયાન ચલાવ્યું. તેનો હેતુ જંગલી પ્રાણીઓને બચાવવાનો હતો. આ અભિયાનમાં હોલિવૂડ સ્ટાર્સ મેટ લે બ્લેન્ક અને સલમા હાયકે પણ તેને સપોર્ટ કર્યો હતો.

રોહિત શર્માએ ગેંડાના સંરક્ષણ માટે અભિયાન પણ ચલાવ્યું છે. તે IPLમાં ગેંડા સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે ખાસ શૂઝ પહેરીને પણ જોવા મળ્યો હતો. 2019માં રોહિતે Rohit4Rhinos અભિયાન પણ કર્યું હતું.

2020માં જ્યારે આખો દેશ કોરોના સામેની લડાઈ લડી રહ્યો હતો, ત્યારે રોહિત શર્મા આગળ આવ્યો અને દાન આપ્યું. રોગચાળા દરમિયાન, તેમણે PM કેર્સ ફંડમાં રૂ. 45 લાખ, CMના રાહત ફંડમાં રૂ. 25 લાખ, ફીડિંગ ઇન્ડિયાને રૂ. 5 લાખ અને રખડતા કૂતરાઓના કલ્યાણ ફંડમાં રૂ. 5 લાખનું દાન આપ્યું હતું.

Related Posts

Top News

લારી પર ફૂલ વેચનારાને મળી 52 લાખની નોટિસ

કર્ણાટક વાણિજ્યિક કર વિભાગે એક ફૂલ વિક્રેતાને નોટિસ મોકલી છે જે લારી પર ફૂલો વેચે છે, કારણ કે અધિકારીઓને...
National 
લારી પર ફૂલ વેચનારાને મળી 52 લાખની નોટિસ

શાળા તો ન બનાવી શક્યા, પરંતુ VIP માટે રસ્તો ઝડપથી બનાવી દીધો, અધિકારીઓ બન્યા અસંવેદનશીલ!

રાજસ્થાનના ઝાલાવાડમાં એક સરકારી શાળાની છત તૂટી પડવાથી અત્યાર સુધીમાં સાત બાળકોના મોત થયા છે. જ્યારે 28 બાળકો ઘાયલ થયા...
National 
શાળા તો ન બનાવી શક્યા, પરંતુ VIP માટે રસ્તો ઝડપથી બનાવી દીધો, અધિકારીઓ બન્યા અસંવેદનશીલ!

'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોકડ નાણાંને ખતરો કેમ ગણાવી રહ્યા છે, આપી ચેતવણી

અમેરિકન રોકાણકાર રોબર્ટ કિયોસાકીએ શુક્રવારે (25 જુલાઈ) રોકાણકારો માટે ચેતવણી સંદેશ શેર કર્યો અને તેમને ETF ખરીદવા વિનંતી કરી. ...
Business 
 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોકડ નાણાંને ખતરો કેમ ગણાવી રહ્યા છે, આપી ચેતવણી

એક નબળો પાસવર્ડ અને હેકર્સે બંધ કરાવી દીધી 158 વર્ષ જૂની કંપની; 700 કર્મચારી રસ્તા પર

આજે, અહીં કોઇ કહાનીની વાત કરવાના નથી, પરંતુ એક સીધી ચેતવણીરૂપ ઘટનાનું વર્ણન કરવા જઇ રહ્યા છીએ. જો...
Tech and Auto  Business 
એક નબળો પાસવર્ડ અને હેકર્સે બંધ કરાવી દીધી 158 વર્ષ જૂની કંપની; 700 કર્મચારી રસ્તા પર
Copyright (c) Khabarchhe All Rights Reserved.