KKR સામે ઊભું થયું મોટું સંકટ, IPL 2023ની શરૂઆતમાં જ બહાર થયો આ ઘાતક ઓલરાઉન્ડર

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ બે વખત IPL ટ્રોફી જીતી છે, પરંતુ ગત સીઝનમાં કોલકાતાની ટીમ સારું પ્રદર્શન કરી શકી નહોતી. IPL 2023માં કોલકાતા નાઈટ રાઇસર્સની ટીમની શરૂઆત સારી રહી નથી. કોલકાતા નાઈટ રાઈડર્સ IPL 2023ની પહેલી મેચમાં પંજાબ કિંગ્સ વિરુદ્ધ 7 રનોથી હારનો સામનો કરવો પડ્યો. હવે કોલકાતા નાઈટ રાઇડર્સને જોરદાર ઝટકો લાગ્યો છે. તેનો એક સ્ટાર ખેલાડી IPL 2023થી બહાર થઈ ગયો છે.

એક સ્પોર્ટ્સ વેબસાઈટના રિપોર્ટ મુજબ શાકિબ અલ હસન IPL 2023થી બહાર થઈ ગયો છે. બાંગ્લાદેશના આ ઓલરાઉન્ડરે કોલકાતા નાઈટ રાઈડર્સ ફ્રેન્ચાઇઝીને IPL 2023 સીઝન માટે પોતાની અનુપલબ્ધતાની જાણકારી આપી દીધી છે. માનવામાં આવી રહ્યું છે કે, ઇન્ટરનેશનલ કમિટમેન્ટ અને પર્સનલ મુદ્દાઓના કારણે તેણે આ નિર્ણય લીધો છે. શાકિબ અલ હસન શાનદાર બોલિંગ અને બોલિંગમાં માહિર છે. IPL 2023ના મિની ઓક્શનમાં તેને કોલકાતા નાઈટ રાઇડર્સની ટીમે દોઢ કરોડ રૂપિયાની મોટી રકમ આપીને ખરીદી લીધો.

આ અગાઉ વર્ષ 2022માં તેને કોઈ પણ ખરીદાર મળ્યો નહોતો. તેની ગણતરી દુનિયાના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર્સમાં થાય છે. ભારતીય પીચો પર તે શાનદાર બોલિંગ કરે છે. તે IPLથી બહાર થવા પર કોલકાતાને મોટો ઝટકો લાગ્યો છે.

જો કોલકાતા નાઈટ રાઇડર્સની પહેલી મેચની વાત કરીએ તો કોલકાતાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પંજાબ કિંગ્સે પહેલા બેટિંગ કરતા સીમિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 191 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી કેપ્ટન શિખર ધવને 40 રન બનાવ્યા, જ્યારે રાજપક્ષાએ 50 રન બનાવ્યા. તો 192 રનનો પીછો કરવા ઉતરેલી કોલકાતા નાઈટ રાઈડર્સ 16 ઓવરમાં 146 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી. હવે જોવાનું એ રહેશે કે આગામી મેચોમાં તે કેવું પ્રદર્શન કરે છે.

IPL 2023 માટે કોલકાતા નાઈટ રાઇડર્સની ટીમ:

રહમાનુલ્લાહ ગુરબાઝ, મનદીપ સિંહ, નીતિશ રાણા (કેપ્ટન), રિન્કુ સિંહ, આન્દ્રે રસેલ, શાર્દૂલ ઠાકુર, સુનિલ નરીન, ટિમ સાઉથી, અનુકૂલ રૉય, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી, વેંકટેશ ઐય્યર, એન. જગદીશન, લોકી ફોર્ગ્યૂંશન, ડેવિડ વિસે. કુલવંત ખેજરોલિયા, વૈભવ અરોડા, હર્ષિત રાણા, સુએશ શર્મા.  

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.