અફઘાનિસ્તાન સામેની મેચ અગાઉ ગિલને હૉસ્પિટલમાં કરાયેલો દાખલ, હવે આવ્યું આ અપડેટ

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓપનર શુભમન ગિલ ડેન્ગ્યૂના કારણે ભારતીય ટીમથી બહાર ચાલી રહ્યો છે. તેણે વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની પહેલી મેચ મિસ કરી હતી અને હવે તે અફઘાનિસ્તાન સામેની મેચમાં પણ ઉપલબ્ધ નહીં હોય. તેને ડેન્ગ્યૂના કારણે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો. તેણે ચેન્નાઈની એક હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ગિલનું પ્લેટલેટ કાઉન્ટ પડી ગયું હતું. હવે તેને હોસ્પિટલથી રજા આપી દેવામાં આવી છે. આ ભારતીય ફેન્સ માટે ગુડ ન્યૂઝ છે.

11 ઓક્ટોબરના રોજ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચ રમાશે, પરંતુ આ મેચ માટે શુભમન ગિલ ભારતીય ટીમ સાથે દિલ્હીની યાત્રા નહીં કરે. ભારતીય ટીમે વર્લ્ડ કપ 2023ની શરૂઆત જીત સાથે કરી છે. ભારતીય ટીમે વર્લ્ડ કપ 2023ની પોતાની બીજી મેચ અફઘાનિસ્તાન વિરુદ્ધ રમવાની છે. આ મેચમાં સ્ટાર ખેલાડી શુભમન ગિલ ડેન્ગ્યૂના કારણે બહાર થઈ ગયો છે. આ અગાઉ તે ઓસ્ટ્રેલિયા સામેની મેચ પણ રમી નહોતો શક્યો. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ એગાઉ જણાવ્યું હતું કે, શુભમન ગિલ ભારતીય ટીમ સાથે દિલ્હીની યાત્રા નહીં કરે, પરંતુ શુભમન ગિલ મેડિકલ ટીમ સાથે ચેન્નાઈમાં જ રહેશે.

શુભમન ગિલને થોડા દિવસ અગાઉ ચેન્નાઈમાં સખત તાવ આવી ગયો હતો અને જ્યારે તેનું ટેસ્ટ કરવામાં આવ્યું તો તેનામાં ડેન્ગ્યૂ નીકળ્યો, ત્યારબાદ તેણે ઓસ્ટ્રેલિયા સામેની મેચ રમી નહોતી.શુભમન ગિલ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સામેની પહેલી મેચથી બહાર થયા બાદ રોહિત શર્માએ ઇશાન કિશનને ઓપનિંગ કરવાનો અવસર મળ્યો હતો, પરંતુ ઇશાન કિશને પહેલી મેચમાં કંઇ ખાસ કરી શક્યો નહોતો. જો કે, અફઘાનિસ્તાન વિરુદ્ધ પણ શુભમન ગિલ બહાર થયા બાદ કિશન જ ઓપનિંગ કરી શકે છે. શુભમન ગિલ ચેન્નાઈમાં રહીને મેડિકલ ટીમ સાથે ડેન્ગ્યૂથી રિકવર કરશે અને જલદી જ ટીમમાં વાપસી કરશે.

મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ ટોસ જીત્યો અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ તેના માટે આ નિર્ણય ખોટો સાબિત થયો અને ઓસ્ટ્રેલિયન ટીમ માત્ર 199 રન જ બનાવી શકી.  200 રનનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી અને માત્ર 2 રનના સ્કોર પર 3 વિકેટ દીધી હતી. જો કે, ત્યારબાદ વિરાટ કોહલી અને કેલ રાહુલે ભારતની ઇનિંગ સંભાળીને 165 રનની ભાગીદારી કરીને મેચ પોતાના પક્ષમાં લઈ ગયા હતા. ભારતીય ટીમે આ મેચ 6 વિકેટે જીતી લીધી હતી.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.