સૌથી મોટી IPL ડીલમાં લાગ્યું ગ્રહણ!, જાડેજા-સેમસન વચ્ચે એક નવો અવરોધ ઉભો થયો

ભારતના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના ચેન્નાઈ સુપર કિંગ્સથી રાજસ્થાન રોયલ્સમાં જવાના માર્ગમાં એક નવો અવરોધ ઉભો થયો છે. સંજુ સેમસનને પણ ચેન્નાઈ સુપર કિંગ્સમાં જોડાવા માટે હજુ રાહ જોવી પડશે. બંને ફ્રેન્ચાઇઝી વચ્ચેના સોદામાં એક નવો અવરોધ ઉભો થયો છે. અહીં જાડેજા અને સેમસનની આની અંદર કોઈ સંડોવણી નથી. આ સોદામાં ત્રીજો ખેલાડી ઇંગ્લેન્ડનો સેમ કુરન છે. તે ચેન્નાઈથી રાજસ્થાનમાં જાડેજા સાથે જોડાવાનો હતો. હવે, કંઈક એવું ન ધારેલું બન્યું છે કે જેની કોઈએ કલ્પના પણ કરી નહોતી. રાજસ્થાન રોયલ્સની આ નાની વિગત પર ધ્યાન ન ગયું અને આ ટ્રેડ ડીલ હાલ પૂરતી રોકવામાં આવી છે.

IPL-2026-Trade1
sports.ndtv.com

મીડિયા સૂત્રના અહેવાલ મુજબ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સે લગભગ 48 કલાક પહેલા આ સ્વેપ માટે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (EOI) શરૂ કરી હતી. જોકે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને હજુ સુધી કોઈ સત્તાવાર મંજૂરી મળી નથી. આ ટ્રેડ હજુ પણ પ્રક્રિયામાં છે અને તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી. હાલનો આ વિલંબ ટેકનિકલ સમસ્યાને કારણે થયો છે. બંને ટીમોના ચાહકોએ પણ હવે થોડી રાહ જોવી પડશે.

IPL-2026-Trade2
sports.ndtv.com

જાડેજાની બદલીમાં સેમસન આવી વ્યવસ્થાનો સૌથી સરળ ભાગ છે, CSK અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે બે ભારતીય ખેલાડીઓની સીધી અદલા-બદલી. આ સ્વેપ પોતે કોઈપણ IPL નિયમોનું ઉલ્લંઘન કરતું નથી. મુશ્કેલી ત્યારે ઊભી થાય છે, જ્યારે આ સોદામાં સેમ કુરન CSKથી રાજસ્થાન રોયલ્સ જવાનો પણ સમાવેશ થાય છે. કુરન એક વિદેશી ખેલાડી છે, અને રાજસ્થાનનો વિદેશી ક્વોટા પહેલાથી જ ભરાઈ ગયો છે. હાલની સ્થિતિ અનુસાર, ટીમની પાસે હાલમાં ટીમમાં 8 વિદેશી ખેલાડીઓ છે, જોફ્રા આર્ચર, શિમરોન હેટમાયર, વાનિન્દુ હસરંગા, મહેશ તીક્ષણા, ફઝલહક ફારૂકી, ક્વેના મ્ફાકા, નાંન્દ્ર બર્ગર અને લુઆન-ડ્રી પ્રિટોરિયસ. આ ઉપરાંત ફ્રેન્ચાઇઝી પાસે 14 ભારતીય ખેલાડીઓ પણ છે. IPL નિયમો તેમને કુરનને ટીમમાં ઉમેરવાથી રોકે છે સિવાય કે તે 8 ખેલાડીઓમાંથી ઓછામાં ઓછો એક ખેલાડીને રિલીઝ કરવામાં ન આવે.

આ સમગ્ર સોદામાં પૈસા પણ એક મોટો મુદ્દો છે. રોયલ્સ પાસે તેમના પ્લેયર પર્સમાં ફક્ત રૂ. 30 લાખ બાકી છે, જ્યારે કુરનની હરાજીની કિંમત રૂ. 2.4 કરોડ છે. ભલે તેમની કુલ ટીમ 22 ખેલાડીઓની હોય, કે જે મહત્તમ 25 ખેલાડીઓથી ત્રણ ઓછા છે, ફ્રેન્ચાઇઝ વિદેશી સ્લોટ અને ખેલાડીના વર્તમાન કરાર મૂલ્ય બંનેને મુક્ત કર્યા વિના કુરનને લઇ શકતી નથી.

IPL-2026-Trade3
cricbuzz.com

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, એક સ્પષ્ટ ઉકેલ એ છે કે, રાજસ્થાન રૂ. 2.4 કરોડથી વધુ કિંમતના કોઈ એક વિદેશી ખેલાડીને મુક્ત કરે. ફ્રેન્ચાઇઝ તેના બે શ્રીલંકન સ્પિનરો, વાનિન્દુ હસરંગા (રૂ. 5.25 કરોડ) અને મહિષ તીક્ષણા (રૂ. 4.40 કરોડ)ને મુક્ત કરવાનું વિચારી રહી હોવાનું માનવામાં આવે છે. આનાથી વિદેશી સ્લોટ અને ત્રિ-માર્ગીય અદલાબદલી પૂર્ણ કરવા માટે જરૂરી ભંડોળ તેમને મળી જશે. હવે, રાજસ્થાન અને ચેન્નાઈ વચ્ચેનો આ સોદો 15 નવેમ્બર પછી જ અંતિમ સ્વરૂપ મળવાની અપેક્ષા છે. આગામી મીની-ઓક્શન માટે ખેલાડીઓને જાળવી રાખવાની છેલ્લી તારીખ 15 નવેમ્બર જ છે.

About The Author

Related Posts

Top News

પહેલા વેનેઝુએલા... હવે ઈરાન... ચીન માટે માથાનો દુખાવો બન્યું છે અમેરિકા

અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર શ્રેણીબદ્ધ હુમલાઓ શરૂ કર્યા, જેમાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામેનીની હત્યા કરવામાં આવી. તાજેતરના...
Business 
પહેલા વેનેઝુએલા... હવે ઈરાન... ચીન માટે માથાનો દુખાવો બન્યું છે અમેરિકા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -03-03-2026 વાર- મંગળવાર મેષ - નોકરી ધંધામાં ઉન્નતિના યોગ બને છે, ઘરમાં આનંદ રહે, વડીલોના આશીર્વાદ લો. વૃષભ -...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ડોક્ટર પ્રેમી પહેલાથી જ પરિણીત છે; પ્રેમિકાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે તેનું ગુપ્તાંગ કાપી નાખ્યું!

દિલ્હીના વઝીરાબાદમાં એક મહિલાએ તેના પ્રેમી, 22 વર્ષીય નકલી ડોક્ટર વિસરજીતના ગુપ્તાંગ પર હુમલો કર્યો હોવાનો આરોપ છે. મહિલાને...
National 
ડોક્ટર પ્રેમી પહેલાથી જ પરિણીત છે; પ્રેમિકાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે તેનું ગુપ્તાંગ કાપી નાખ્યું!

ઈરાન યુદ્ધ પર બ્રિટિશ PM સ્ટાર્મરના નિર્ણયથી ટ્રમ્પ ગુસ્સામાં, કહ્યું- 'આવું ક્યારેય બન્યું નથી...'

ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટિશ PM કીર સ્ટોર્મર પ્રત્યે ખુબ ગુસ્સો વ્યક્ત કર્યો...
World 
ઈરાન યુદ્ધ પર બ્રિટિશ PM સ્ટાર્મરના નિર્ણયથી ટ્રમ્પ ગુસ્સામાં, કહ્યું- 'આવું ક્યારેય બન્યું નથી...'

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.