સૌથી મોટી IPL ડીલમાં લાગ્યું ગ્રહણ!, જાડેજા-સેમસન વચ્ચે એક નવો અવરોધ ઉભો થયો

ભારતના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના ચેન્નાઈ સુપર કિંગ્સથી રાજસ્થાન રોયલ્સમાં જવાના માર્ગમાં એક નવો અવરોધ ઉભો થયો છે. સંજુ સેમસનને પણ ચેન્નાઈ સુપર કિંગ્સમાં જોડાવા માટે હજુ રાહ જોવી પડશે. બંને ફ્રેન્ચાઇઝી વચ્ચેના સોદામાં એક નવો અવરોધ ઉભો થયો છે. અહીં જાડેજા અને સેમસનની આની અંદર કોઈ સંડોવણી નથી. આ સોદામાં ત્રીજો ખેલાડી ઇંગ્લેન્ડનો સેમ કુરન છે. તે ચેન્નાઈથી રાજસ્થાનમાં જાડેજા સાથે જોડાવાનો હતો. હવે, કંઈક એવું ન ધારેલું બન્યું છે કે જેની કોઈએ કલ્પના પણ કરી નહોતી. રાજસ્થાન રોયલ્સની આ નાની વિગત પર ધ્યાન ન ગયું અને આ ટ્રેડ ડીલ હાલ પૂરતી રોકવામાં આવી છે.

IPL-2026-Trade1
sports.ndtv.com

મીડિયા સૂત્રના અહેવાલ મુજબ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સે લગભગ 48 કલાક પહેલા આ સ્વેપ માટે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (EOI) શરૂ કરી હતી. જોકે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને હજુ સુધી કોઈ સત્તાવાર મંજૂરી મળી નથી. આ ટ્રેડ હજુ પણ પ્રક્રિયામાં છે અને તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી. હાલનો આ વિલંબ ટેકનિકલ સમસ્યાને કારણે થયો છે. બંને ટીમોના ચાહકોએ પણ હવે થોડી રાહ જોવી પડશે.

IPL-2026-Trade2
sports.ndtv.com

જાડેજાની બદલીમાં સેમસન આવી વ્યવસ્થાનો સૌથી સરળ ભાગ છે, CSK અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે બે ભારતીય ખેલાડીઓની સીધી અદલા-બદલી. આ સ્વેપ પોતે કોઈપણ IPL નિયમોનું ઉલ્લંઘન કરતું નથી. મુશ્કેલી ત્યારે ઊભી થાય છે, જ્યારે આ સોદામાં સેમ કુરન CSKથી રાજસ્થાન રોયલ્સ જવાનો પણ સમાવેશ થાય છે. કુરન એક વિદેશી ખેલાડી છે, અને રાજસ્થાનનો વિદેશી ક્વોટા પહેલાથી જ ભરાઈ ગયો છે. હાલની સ્થિતિ અનુસાર, ટીમની પાસે હાલમાં ટીમમાં 8 વિદેશી ખેલાડીઓ છે, જોફ્રા આર્ચર, શિમરોન હેટમાયર, વાનિન્દુ હસરંગા, મહેશ તીક્ષણા, ફઝલહક ફારૂકી, ક્વેના મ્ફાકા, નાંન્દ્ર બર્ગર અને લુઆન-ડ્રી પ્રિટોરિયસ. આ ઉપરાંત ફ્રેન્ચાઇઝી પાસે 14 ભારતીય ખેલાડીઓ પણ છે. IPL નિયમો તેમને કુરનને ટીમમાં ઉમેરવાથી રોકે છે સિવાય કે તે 8 ખેલાડીઓમાંથી ઓછામાં ઓછો એક ખેલાડીને રિલીઝ કરવામાં ન આવે.

આ સમગ્ર સોદામાં પૈસા પણ એક મોટો મુદ્દો છે. રોયલ્સ પાસે તેમના પ્લેયર પર્સમાં ફક્ત રૂ. 30 લાખ બાકી છે, જ્યારે કુરનની હરાજીની કિંમત રૂ. 2.4 કરોડ છે. ભલે તેમની કુલ ટીમ 22 ખેલાડીઓની હોય, કે જે મહત્તમ 25 ખેલાડીઓથી ત્રણ ઓછા છે, ફ્રેન્ચાઇઝ વિદેશી સ્લોટ અને ખેલાડીના વર્તમાન કરાર મૂલ્ય બંનેને મુક્ત કર્યા વિના કુરનને લઇ શકતી નથી.

IPL-2026-Trade3
cricbuzz.com

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, એક સ્પષ્ટ ઉકેલ એ છે કે, રાજસ્થાન રૂ. 2.4 કરોડથી વધુ કિંમતના કોઈ એક વિદેશી ખેલાડીને મુક્ત કરે. ફ્રેન્ચાઇઝ તેના બે શ્રીલંકન સ્પિનરો, વાનિન્દુ હસરંગા (રૂ. 5.25 કરોડ) અને મહિષ તીક્ષણા (રૂ. 4.40 કરોડ)ને મુક્ત કરવાનું વિચારી રહી હોવાનું માનવામાં આવે છે. આનાથી વિદેશી સ્લોટ અને ત્રિ-માર્ગીય અદલાબદલી પૂર્ણ કરવા માટે જરૂરી ભંડોળ તેમને મળી જશે. હવે, રાજસ્થાન અને ચેન્નાઈ વચ્ચેનો આ સોદો 15 નવેમ્બર પછી જ અંતિમ સ્વરૂપ મળવાની અપેક્ષા છે. આગામી મીની-ઓક્શન માટે ખેલાડીઓને જાળવી રાખવાની છેલ્લી તારીખ 15 નવેમ્બર જ છે.

About The Author

Related Posts

Top News

'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ સમશેરપુરા ખાતે આગામી 25 જાન્યુઆરીના રોજ રબારી સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલન...
Gujarat 
'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

માતૃત્વની વેદના અને વિરહના આંસુ સાથે રેહાનાએ પાકિસ્તાનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજીજી કરી રહી છે કે ભારત આવવામાં તેની મદદ...
Gujarat 
‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

બિહારના કિશનગંજ જિલ્લામાં એન્જિનિયરો નદી કે નાળાને બદલે ખેતરમાં પુલ બનાવીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. જ્યા એક તરફ જનતા પુલ...
National 
એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર બબાલ, બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ, ‘બુલડોઝર બાબા કી જય’ના નારા લાગ્યા

પ્રયાગરાજના માઘ મેળા વિસ્તારમાં સેક્ટર-4, ત્રિવેણી માર્ગ પર સ્થિત શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના શિબિરમાં અસામાજિક તત્વોએ હોબાળો મચાવ્યો હતો. એવો...
National 
અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર બબાલ, બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ, ‘બુલડોઝર બાબા કી જય’ના નારા લાગ્યા

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.