સદી બાદ બોલ્યો કોહલી-બહારના લોકો મારી બાબતે શું વિચારે છે મને કોઇ ફરક પડતો નથી

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વિરુદ્ધ મેચમાં પોતાની સદી લગાવવાને લઈને મોટી પ્રતિક્રિયા આપી છે. વિરાટ કોહલીના જણાવ્યા મુજબ, તે પોતાને કોઈ વસ્તુ માટે વધારે ક્રેડિટ આપતો નથી અને તેની બાબતે બહારના લોકો શું કહે છે તેનાથી પણ તેને કોઈ ફરક પડતો નથી. તે બસ પરિસ્થિતિઓના હિસાબે બેટિંગ કરવાનો પ્રયાસ કરે છે. વિરાટ કોહલીએ સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ મેચમાં ટાર્ગેટનો પીછો કરતા જબરદસ્ત ઇનિંગ રમી.

તેણે માત્ર 63 બૉલમાં 12 ફોર અને 4 સિક્સની મદદથી 100 રન બનાવ્યા અને ટીમને એક તરફી મેચમાં જીતાડી દીધી. આ વિરાટ કોહલીના કરિયરની છઠ્ઠી સદી છે અને ટૂર્નામેન્ટમાં સૌથી વધુ સદી લગાવવાની બાબતે હવે તેણે ક્રિસ ગેલન રેકોર્ડની બરાબરી કરી લીધી છે. મેચ બાદ તેણે આ શાનદાર સદીને લઈને મોટું નિવેદન આપ્યું હતું. વિરાટ કોહલીએ કહ્યું કે, આ મારી છઠ્ઠી IPL સદી છે. હું પોતાની જાતને ક્યારેય આટલું બધું ક્રેડિટ આપતો નથી કેમ કે હું પોતાને પહેલાથી જ ખૂબ સ્ટ્રેસમાં રાખું છું.

તેણે આગળ કહ્યું કે, બહારના લોકો શું કહે છે, મને તેનાથી જરાય ફેર પડતો નથી. આ તેમના પોતાના મંતવ્યો છે. જ્યારે તમે આ પ્રકારની પરિસ્થિતિમાં હોવ છો તો ખબર પડે છે કે મેચ કેવી રીતે જીતવાની છે. હું ઘણા સમયથી એમ કરી રહ્યો છું. એવું નથી કે જ્યારે હું રમું છું તો પોતાની ટીમને મેચ જીતાડતો નથી. હું પરિસ્થિતિઓના હિસાબે રમવામાં વધારે ગર્વ અનુભવું છું. ઉલ્લેખનીય છે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આ મેચમાં જીત બાદ પોતાની પ્લેઓફમાં જવાની આશા યથાવત રાખી છે. હવે તેણે પોતાની અંતિમ લીગ મેચમાં ગુજરાત ટાઈટન્સ (GT) વિરુદ્ધ જીત હાંસલ કરવી પડશે.

મેચની વાત કરીએ તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે સીમિત 20 ઓવરમાં ક્લાસેનની સદી (104 રન) અને હેરી બ્રુકની 27 રનની મદદથી 5 વિકેટ ગુમાવીને 186 રન બનાવ્યા હતા. 187 રનનો પીછો કરવા ઉતરેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે 19.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને આ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. બેંગ્લોર તરફથી વિરાટ કોહલીએ સદી ફટકારી હતી, જ્યારે કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે 71 રનની ઇનિંગ રમી હતી.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.