શું KKR સાથે અન્યાય થયો? અમ્પાયરની ભૂલથી મચ્યો હોબાળો, કોલકાતા નાઈટ રાઈડર્સે સત્તાવાર નિવેદન આપ્યું

IPLમાં સતત બીજા દિવસે, ક્રિકેટ ચાહકોએ એક રોમાંચક મેચ જોઈ જે છેલ્લા બોલ સુધી ચાલી. લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)ને જીતવા માટે છેલ્લા બે બોલમાં 7 રનની જરૂર હતી, અને મુકુલ ચૌધરી ક્રીઝ પર હતા. ચૌધરીએ ઓવરના પાંચમા બોલ પર સિક્સર ફટકારી અને છેલ્લા બોલ પર એક સિંગલ રન સાથે 182 રનનો લક્ષ્યાંક સફળતાપૂર્વક પ્રાપ્ત કર્યો. કોલકાતાનો 4 મેચમાં ત્રીજો પરાજય થયો, જેમાં એક મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી.

IPL-2026-Umpiring-Blunder2
news.abplive.com

આ હાર પછી, કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) કેમ્પ તેમના સ્ટાર બેટ્સમેન ફિન એલનને આઉટ કરવાના વિવાદાસ્પદ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી રહ્યો છે. મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં, KKR સ્ટાર ખેલાડી રોવમેન પોવેલે ફિન એલન કેચ વિવાદ અંગે તીખા પ્રશ્નો ઉઠાવ્યા. પોવેલે આ નિર્ણયને અમ્પાયરિંગ દ્વારા 'ભયંકર ભૂલ' ગણાવી અને કહ્યું કે અધિકારીઓએ કેચ દરમિયાન દિગ્વેશ રાઠીનો પગ બાઉન્ડ્રી દોરડાને સ્પર્શી રહ્યો હતો કે નહીં તે નક્કી કરવા માટે પરિસ્થિતિની વધુ તપાસ કરવી જોઈતી હતી. પોવેલે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, અમ્પાયરો ઘણીવાર નાની બાબતો માટે ત્રીજા અમ્પાયરની પાસે જતા હોય છે, પરંતુ આવા મહત્વપૂર્ણ નિર્ણય પર અહીં ધ્યાન આપવામાં આવ્યું નહીં.

IPL-2026-Umpiring-Blunder5
ndtv.in

પોવેલ માને છે કે જો ફિન એલનને તે વિવાદાસ્પદ બોલ પર આઉટ આપવાને બદલે સિક્સર મળી ગઈ હોતે તો કોલકાતાએ તેમના સ્કોરમાં વધુ 6 રન ઉમેર્યા હોત. આવી સ્થિતિમાં, મેચ યજમાન ટીમના પક્ષમાં સમાપ્ત થઈ શકી હોત. લખનઉને અંતિમ બે ઓવરમાં 30 રનની જરૂર હતી, ત્યારે KKR વિજયની નજીક હતું, પરંતુ અકલ્પનીય બેટિંગ સાથે મુકુલ ચૌધરીએ માત્ર 27 બોલમાં અણનમ 54 રન ફટકારીને KKR પાસેથી વિજય છીનવી લીધો હતો.

IPL-2026-Umpiring-Blunder4

હારથી નિરાશ, પોવેલે કહ્યું કે તે ઇડન ગાર્ડન્સને એક અભેદ કિલ્લો બનાવવા માંગતો હતો, જ્યાં તેને ચાહકોનો સંપૂર્ણ ટેકો મળે છે, પરંતુ કમનસીબે, તે આમ કરી શક્યો નહીં. તેમણે ટીમના પ્રયાસોની પ્રશંસા કરતા કહ્યું કે, 181 રન બનાવ્યા પછી, તેઓ જીતનો વિશ્વાસ ધરાવતા હતા, પરંતુ શાનદાર બેટિંગ કરનાર યુવા બેટ્સમેન મુકુલ ચૌધરીને શ્રેય આપવો જોઈએ.

IPL-2026-Umpiring-Blunder1
hindustantimes.com

આ તાજેતરની હારનો અર્થ એ છે કે, કોલકાતા નાઈટ રાઈડર્સ હજુ સુધી IPL 2026માં પોતાનું ખાતું ખોલી શક્યું નથી. અત્યાર સુધી રમાયેલી ચાર મેચમાંથી, KKR 3 હારી ગયું છે, જ્યારે એક મેચ વરસાદને કારણે રદ થઈ ગઈ હતી. KKR પોઈન્ટ ટેબલમાં 9મા સ્થાને છે, જ્યારે લખનઉ સુપર જાયન્ટ્સ આ રોમાંચક જીત પછી 5મા સ્થાને પહોંચી ગયું છે.

About The Author

Related Posts

Top News

રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

મંગળવારે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના નવા ડિરેક્ટરની નિમણૂક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ...
Politics 
રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ક ફ્રોમ હોમ (WFH) અને પેટ્રોલ ડીઝલના વપરાશ મુદ્દેના નિવેદન બાદ ગુજરાતના મોટા નેતાઓ અને અધિકારીઓએ...
Gujarat 
PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

અમેરિકા-ઈરાન યુદ્ધની અસર હવે ભારતમાં વ્યાપકપણે જોવા મળી રહી છે. PM નરેન્દ્ર મોદી પોતે લોકોને બચત કરવા માટે વિનંતી કરી...
Business 
યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!

22 વર્ષની ઉંમરે, મોટાભાગના છોકરાઓ કોલેજ પુરી કરીને તેમની પહેલી નોકરી શોધવામાં અથવા તેમની કારકિર્દી બનાવવામાં વ્યસ્ત હોય છે....
Tech and Auto 
સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.