ધોનીને કંઈ રીતે મળ્યો પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ, જાણો કોણ નક્કી કરે છે? શું છે નિયમ

IPL 2025નો ઉત્સાહ ચરમસીમાએ છે. 30થી વધુ મેચ રમાઈ છે અને દરેક મેચમાં કોઈને કોઈ ખેલાડીએ પોતાના ખાસ પ્રદર્શનથી રમતનો માર્ગ જ બદલી નાખ્યો હોય છે. 29મી મેચમાં પણ આવું જ દ્રશ્ય જોવા મળ્યું, જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીએ ફરી એકવાર સાબિત કર્યું કે ઉંમર ફક્ત એક સંખ્યા છે.

ધોનીએ માત્ર 11 બોલમાં 26 રન ફટકાર્યા, જેમાં એક છગ્ગો અને ચાર ચોગ્ગાનો સમાવેશ થાય છે. તેની તોફાની ઇનિંગ્સને કારણે, ચેન્નાઈ સુપર કિંગ્સે મેચ 5 વિકેટથી જીતી લીધી અને ધોનીને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો. પરંતુ મહેન્દ્ર સિંહ ધોનીએ હંમેશની જેમ નમ્રતાથી કહ્યું, 'આ એવોર્ડ મને મળ્યો તેનું મને ખુબ આશ્ચર્ય થયું છે, આ એવોર્ડ શિવમ દુબેને મળવો જોઈતો હતો.'

IPL, POTM
hindustantimes.com

આ કંઈ પહેલી વાર નથી, જ્યારે ચાહકોમાં પ્લેયર ઓફ ધ મેચ (POTM) ચર્ચાનો વિષય બન્યો હોય. તો હવે સવાલ એ ઊભો થાય છે કે, આખરે પ્લેયર ઓફ ધ મેચ (POTM) કોણ પસંદ કરે છે? શું આ ફક્ત આંકડાઓનો ખેલ છે કે પછી તેની પાછળ કંઈક બીજું છે?

IPLમાં પ્લેયર ઓફ ધ મેચની પસંદગી કોમેન્ટ્રી પેનલ દ્વારા કરવામાં આવે છે. દરેક મેચ દરમિયાન કોમેન્ટ્રી કરનારા નિષ્ણાતો આ જવાબદારી નિભાવે છે. આ પેનલ બ્રોડકાસ્ટર દ્વારા બનાવવામાં આવે છે, જેમાં ભૂતપૂર્વ ખેલાડીઓ, કોચ અને અનુભવી વિશ્લેષકોનો સમાવેશ થાય છે.

IPL, POTM
mykhel.com

કોમેન્ટ્રી પેનલ ફક્ત પ્રત્યક્ષદર્શીઓનો અહેવાલ જ આપતું નથી, પરંતુ તેમની પાસે એક સંપૂર્ણ મેચ વિશ્લેષણ ટીમ પણ છે જે આંકડાઓના આધારે દરેક ક્ષણે પરિસ્થિતિને સમજવામાં મદદ કરે છે.

કયો ખેલાડી કયા સમયે આવ્યો? દબાણમાં કોણે સારું પ્રદર્શન કર્યું? કઈ ક્ષણ ગેમ ચેન્જર બની?

તે આ બધી નાની નાની વિગતો તેઓ જાણતા હોય છે. તેથી, જ્યારે મેદાન પર તો ઘણા ખેલાડીઓ ચમકતા હોઈ શકે છે, ત્યારે પેનલ એવા ખેલાડીઓનું મૂલ્યાંકન કરે છે, જેમનો મેચના પરિણામ પર સૌથી વધુ પ્રભાવ પડ્યો હોય છે.

IPL, POTM
reddit.com

આ સિસ્ટમ મોટાભાગે વ્યાવસાયિક અને અનુભવ આધારિત હોવા છતાં, ક્યારેક વિવાદો અથવા મતભેદો ઉભા થાય છે. ઘણી વખત ચાહકોને લાગે છે કે આ એવોર્ડ બીજા કોઈ ખેલાડીને મળવો જોઈતો હતો. રમતગમતની સુંદરતા આ જ છે, ચર્ચા, ભાવના અને ઉત્સાહ.

કેટલીક ટેકનિકલ બાબતોમાં, અમ્પાયરોની સલાહ પણ લેવામાં આવે છે...અથવા તેમનું અવલોકન પણ કરી શકાય છે. જોકે અમ્પાયરો ફક્ત પોતાના મંતવ્યો જ આપી શકે છે, પરંતુ સમગ્ર નિર્ણય પ્રસારણકર્તા પાસે રહે છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 08-12-2025 વાર- સોમવાર મેષ - સાહસથી સફળતા મળશે, ભાગીદારીના કામમાં ધીરજ રાખવી જરૂરી, મિત્રોની મદદથી કામ સરળ બનાવો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

ઉત્તર ગોવાના અરપોરામાં એક નાઈટક્લબમાં લાગેલી ભીષણ આગમાં 25 લોકોના મોત થયા હતા. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ...
National 
ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 3 દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને શનિવારે તેમણે બનાસ ડેરીમાં કેટલાક ઉદઘાટન પણ કર્યા....
Gujarat 
અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

જામનગરના ટાઉન હોલમાં એક સભામાં કોંગ્રેસના કાર્યકર છત્રપાલ સિંહ જાડેજાએ જૂતુ મારવાની ઘટનાને કારણે આમ આદમી પાર્ટી એકદમ જોરમાં આવી...
Politics 
શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?
Copyright (c) Khabarchhe All Rights Reserved.