નેપાળમાં 72 મુસાફરોને લઈ જતું વિમાન ક્રેશ, 32 લોકોના મૃતદેહ મળ્યા

નેપાળમાં 72 યાત્રીઓને લઇને જતું એક વિમાન હવામાં હતું ત્યારે જ આગ લાગવાની ઘટનાને કારણે ક્રેશ થઇ ગયું હતું. જાણવા મળેલી માહિતી મુજબ આ દુર્ઘટનામાં 32 લોકોના મોત થયા છે અને આ આંકડો હજુ વધી શકે છે.

નેપાળના પોખરા ઇન્ટરનેશનલ એરપોર્ટના રનવે પર રવિવારે એક 72 સીટર ફલાઇટ ક્રેશ થઇ ગયું છે. બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. અત્યારે એરપોર્ટને સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યું છે. જાણવા મળેલી માહિતી મુજબ કાઠમંડુથી પોખરા પહોંચેલું Yeti Airlinesનું વિમાન ક્રેશ થઇ ગયું છે.

Yeti Airlinesના ATR-72 વિમાનમાં કુલ 68 યાત્રીઓ સવાર હતા. નેપાળની મીડિયાના અહેવાલો મુજબ આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 32 લોકોના મોત થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ દુર્ઘટના પછી નેપાળ સરકારે ઇમરજન્સી મીટિંગ બોલાવી છે.

આ પ્લેન વિશે જાણકારી મળી છે કે લેન્ડિંગ પહેલા જ પ્લેનમાં હવામાં આગ લાગી ગઈ હતી. Yeti Airlinesનુંના પ્રવક્તા સુદર્શન બરતૌલાએ નેપાળી મીડિયા ધ કાઠમંડુ પોસ્ટને જણાવ્યું કે આ વિમાનમાં કુલ 68 મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બર સવાર હતા. પ્લેન જૂના એરપોર્ટ અને પોખરા ઇન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે ક્રેશ થયું હતું. વિમાન દુર્ઘટના પછી પોખરા એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યું છે. પ્લેન પોખરા એરપોર્ટની નજીક ક્રેશ થયું છે.

નેપાળની જે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિમાન ક્રેશ થવાની ઘટના બની છે તે ચીનની મદદથી બનાવવામાં આવ્યું હતું. થોડા દિવસો પહેલાં જ આ એરપોર્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને આજે Yeti Airlinesનું  વિમાન  દુર્ઘટનાનો શિકાર બની ગયું. દુર્ઘટનાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. બચાવ કાર્ય ઝડપથી શરૂ કરી દેવામાં આવ્યું છે. Yeti Airlinesનું  આ વિમાન કાઠમંડુથી પોખરા જઇ રહ્યુ હતું.

પ્લેન ક્રેશને લઈને નેપાળના વડાપ્રધાન કાર્યાલય દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું છે. ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે, કાઠમંડુથી પોખરા જતા મુસાફરોને લઈ જતી Yeti AirlinesANC ATR 72ના દુ:ખદ અકસ્માતથી હું ખૂબ જ દુઃખી છું. હું સુરક્ષા કર્મચારીઓ, નેપાળ સરકારની તમામ એજન્સીઓ અને સામાન્ય જનતાને અસરકારક બચાવ શરૂ કરવા અપીલ કરું છું.

નેપાળની વિમાન દુર્ઘટના પર ભારતના સિવિલ એવિએશન મંત્રી જયોતિરાદિત્ય સિંધિયાએ દુખ વ્યકત કર્યું છે. સિંધિયાએ ટ્વીટ કરીને લખ્યું છે કે નેપાળમાં એક દુખદ વિમાન દુર્ઘટનામાં જાનહાની અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. શોકગ્રસ્ત પરિવારો સાથે મારી સંવેદના અને પ્રાથર્ના છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.