બોર્ડર ખોલી દો, અમને બચાવી લો..’, બાંગ્લાદેશમાં ફસાયેલા હિન્દુઓની ભારતને વિનંતી

બાંગ્લાદેશ ફરી એકવાર હિંસાની આગમાં સળગી રહ્યું છે. બાંગ્લાદેશમાં લઘુમતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ દીપુ ચંદ્ર દાસ અને અમૃત મંડલનો જીવ લઈ લેવાયો હતો. આ દરમિયાન સંકટગ્રસ્ત બાંગ્લાદેશમાં ફસાયેલા અને સતાવવામાં આવી રહેલા હિન્દુ નાગરિકો આતંકથી બચવા માટે ભારતને સરહદો ખોલવા વિનંતી કરી રહ્યા છે.

આ દરમિયાન દેશનિકાલ કરાયેલા બાંગ્લાદેશ સનાતન જાગરણ મચાના નેતા નિહાર હલદરની મદદથી રંગપુર, ચટગાવ, ઢાકા અને મયમનસિંહમાં રહેતા હિન્દુ નાગરિકો સાથે વાતચીત કરવામાં આવી. TOIના સંદર્ભે કહેવામાં આવ્યું છે કે આ લોકોએ વોટ્સએપ કોલ દ્વારા વાત કરી હતી.

રંગપુરના એક 52 વર્ષીય રહેવાસીનું કહેવું છે કે, તેઓ તેમના ધર્મને કારણે સતત અપમાનનો સામનો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે રસ્તાઓ પર ચાલતી વખતે તેમને જે ટોણા સાંભળવા પડે છે, તે ટૂંક સમયમાં મોબ લિંચિંગમાં પરિણમી શકે છે. તેણે કહ્યું કે લઘુમતી હિન્દુઓનું કહેવું છે કે, અમે ફસાઈ ગયા છીએ અને અમારી પાસે જવા માટે કોઈ જગ્યા નથી. અમે અપમાન સહન કરી રહ્યા છીએ કારણ કે અમને ડર છે કે દીપુ અથવા અમૃત સાથે જે બન્યું તે અમારી સાથે પણ થઈ શકે છે.

ઢાકાના અન્ય એક હિન્દુ રહેવાસીએ જણાવ્યું હતું કે, દીપુ દાસની લિંચિંગથી ભય ફેલાયો છે, તો પૂર્વ રાષ્ટ્રપતિ ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાનના બાંગ્લાદેશ પાછા ફરવાથી તેઓ વધુ ચિંતિત થયા છે. જો BNP સત્તામાં આવશે, તો અમને વધુ અત્યાચારનો સામનો કરવો પડી શકે છે. શેખ હસીનાની અવામી લીગ જ અમારી એકમાત્ર રક્ષક હતી.

bangladeshi-hindu2
deccanherald.com

સનાતન જાગરણ મચાના એક કાર્યકર્તાએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં કુલ હિન્દુ વસ્તી 25 લાખ છે. આ સંખ્યાને ઓછી આંકી શકાય નહીં. ભારતમાં હિન્દુ સંગઠનો દેખાવની વાત કરી રહ્યા છે, પરંતુ કંઈ નહીં. અમે નરસંહાર તરફ આગળ વધી રહ્યા છીએ.

મયમનસિંહના અન્ય એક રહેવાસીનું કહેવું કે સીમાઓ ખૂલ્યા બાદ હિંદુઓનું પલાયન થશે, પરંતુ હિન્દુઓ ઓછામાં ઓછા હિંસાથી સુરક્ષિત તો રહેશે. બીજી તરફ, ઢાકાના એક હિન્દુનું કહેવું છે કે, ‘અમે સૌથી ખરાબ સપના જેવું જીવન જીવી રહ્યા છીએ. ભારતીય સરહદો ખોલવાથી ઓછામાં ઓછા અત્યાચારનો સામનો કરી રહેલા લોકો માટે સુરક્ષિત રસ્તો ખૂલી જશે.

About The Author

Related Posts

Top News

દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના સાબરકાંઠામાં ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય રસાયણોનો ઉપયોગ કરીને નકલી દૂધ અને છાશ બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો...
Gujarat 
દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

ભાવનગર જિલ્લાના વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણે આઠ વર્ષ પહેલાં પ્રાકૃતિક ખેતી અપનાવીને એક અલગ જ માર્ગ પસંદ કર્યો. રાસાયણિક...
Gujarat 
ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાંથી સામે આવેલો આ કિસ્સો થ્રીલર ફિલ્મ જેવો લાગે છે, પરંતુ વાસ્તવમાં તે એક એવું નાટક...
National 
નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

કચ્છના તળાવોને મળ્યો મજબૂત આધાર: કલેક્ટર અને મહેસૂલ ટીમનું એક અભિનંદનીય પગલું

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના કચ્છ જિલ્લામાં પાણી એ જીવનરેખા રૂપ છે. સૂકી ધરતી પર વરસાદી પાણીનું એકએક ટીપું અમૂલ્ય...
Gujarat 
કચ્છના તળાવોને મળ્યો મજબૂત આધાર: કલેક્ટર અને મહેસૂલ ટીમનું એક અભિનંદનીય પગલું

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.