બોર્ડર ખોલી દો, અમને બચાવી લો..’, બાંગ્લાદેશમાં ફસાયેલા હિન્દુઓની ભારતને વિનંતી

બાંગ્લાદેશ ફરી એકવાર હિંસાની આગમાં સળગી રહ્યું છે. બાંગ્લાદેશમાં લઘુમતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ દીપુ ચંદ્ર દાસ અને અમૃત મંડલનો જીવ લઈ લેવાયો હતો. આ દરમિયાન સંકટગ્રસ્ત બાંગ્લાદેશમાં ફસાયેલા અને સતાવવામાં આવી રહેલા હિન્દુ નાગરિકો આતંકથી બચવા માટે ભારતને સરહદો ખોલવા વિનંતી કરી રહ્યા છે.

આ દરમિયાન દેશનિકાલ કરાયેલા બાંગ્લાદેશ સનાતન જાગરણ મચાના નેતા નિહાર હલદરની મદદથી રંગપુર, ચટગાવ, ઢાકા અને મયમનસિંહમાં રહેતા હિન્દુ નાગરિકો સાથે વાતચીત કરવામાં આવી. TOIના સંદર્ભે કહેવામાં આવ્યું છે કે આ લોકોએ વોટ્સએપ કોલ દ્વારા વાત કરી હતી.

રંગપુરના એક 52 વર્ષીય રહેવાસીનું કહેવું છે કે, તેઓ તેમના ધર્મને કારણે સતત અપમાનનો સામનો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે રસ્તાઓ પર ચાલતી વખતે તેમને જે ટોણા સાંભળવા પડે છે, તે ટૂંક સમયમાં મોબ લિંચિંગમાં પરિણમી શકે છે. તેણે કહ્યું કે લઘુમતી હિન્દુઓનું કહેવું છે કે, અમે ફસાઈ ગયા છીએ અને અમારી પાસે જવા માટે કોઈ જગ્યા નથી. અમે અપમાન સહન કરી રહ્યા છીએ કારણ કે અમને ડર છે કે દીપુ અથવા અમૃત સાથે જે બન્યું તે અમારી સાથે પણ થઈ શકે છે.

ઢાકાના અન્ય એક હિન્દુ રહેવાસીએ જણાવ્યું હતું કે, દીપુ દાસની લિંચિંગથી ભય ફેલાયો છે, તો પૂર્વ રાષ્ટ્રપતિ ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાનના બાંગ્લાદેશ પાછા ફરવાથી તેઓ વધુ ચિંતિત થયા છે. જો BNP સત્તામાં આવશે, તો અમને વધુ અત્યાચારનો સામનો કરવો પડી શકે છે. શેખ હસીનાની અવામી લીગ જ અમારી એકમાત્ર રક્ષક હતી.

bangladeshi-hindu2
deccanherald.com

સનાતન જાગરણ મચાના એક કાર્યકર્તાએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં કુલ હિન્દુ વસ્તી 25 લાખ છે. આ સંખ્યાને ઓછી આંકી શકાય નહીં. ભારતમાં હિન્દુ સંગઠનો દેખાવની વાત કરી રહ્યા છે, પરંતુ કંઈ નહીં. અમે નરસંહાર તરફ આગળ વધી રહ્યા છીએ.

મયમનસિંહના અન્ય એક રહેવાસીનું કહેવું કે સીમાઓ ખૂલ્યા બાદ હિંદુઓનું પલાયન થશે, પરંતુ હિન્દુઓ ઓછામાં ઓછા હિંસાથી સુરક્ષિત તો રહેશે. બીજી તરફ, ઢાકાના એક હિન્દુનું કહેવું છે કે, ‘અમે સૌથી ખરાબ સપના જેવું જીવન જીવી રહ્યા છીએ. ભારતીય સરહદો ખોલવાથી ઓછામાં ઓછા અત્યાચારનો સામનો કરી રહેલા લોકો માટે સુરક્ષિત રસ્તો ખૂલી જશે.

About The Author

Related Posts

Top News

ITR ફાઇલિંગમાં હોશિયારી બતાવવી મોંઘી પડી, IT વિભાગે લાખો રૂપિયાનો દંડ ફટકારી દીધો

પુણેના એક વ્યક્તિ નેવાસેને ખોટા ઇનવોઇસ સબમિટ કરવાનું મોંઘું પડી ગયું. થોડા હજાર રૂપિયા ટેક્સ બચાવવાના પ્રયાસમાં તેને હવે લાખો...
Business 
ITR ફાઇલિંગમાં હોશિયારી બતાવવી મોંઘી પડી, IT વિભાગે લાખો રૂપિયાનો દંડ ફટકારી દીધો

હાર્વર્ડ યુનિવર્સિટીથી સંસ્કૃતમાં એવો શું લોચો લાગી ગયો કે હિન્દુ સમુદાયની માફી માંગવી પડી?

યુનાઇટેડ સ્ટેટ્સના મેસેચ્યુસેટ્સ સ્થિત કેમ્બ્રિજ સ્થિત હાર્વર્ડ યુનિવર્સિટીને એક સંસ્કૃત પોસ્ટના કારણે હિન્દૂ સમાજ સામે શરમજનક સ્થિતિમાં મૂકવું પડ્યું હતું...
Education 
હાર્વર્ડ યુનિવર્સિટીથી સંસ્કૃતમાં એવો શું લોચો લાગી ગયો કે હિન્દુ સમુદાયની માફી માંગવી પડી?

T20 વર્લ્ડ કપ વચ્ચે BCCIની મોટી જાહેરાત, ભારત આ ટીમ સામે પહેલીવાર ODI સીરિઝમાં રમશે, શેડ્યૂલ આવ્યું સામે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન એક મોટી જાહેરાત કરી છે. IPL 2026 બાદ, ભારતીય ટીમ...
Sports 
T20 વર્લ્ડ કપ વચ્ચે BCCIની મોટી જાહેરાત, ભારત આ ટીમ સામે પહેલીવાર ODI સીરિઝમાં રમશે, શેડ્યૂલ આવ્યું સામે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 04-03-2026 વાર - બુધવાર મેષ - આજે કામ કાજમાં વધારે મહેનતનો દિવસ, આવકમાં વધારો થાય, શનિદેવના દર્શન કરવાથી...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.